________________
૧૮૦
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
મેલું કરે તે ય પુલ, ચોખ્ખું કરે તે ય પુલ !
૧૭૯ તો જ્ઞાતા-દ્રષ્ટા જ્યારે જરા કાચું રહેતું હોયને...
પ્રશ્નકર્તા : તો પ્રતિક્રમણ કરવાનું ?
દાદાશ્રી : હા, પણ તે પ્રતિક્રમણ તો આપણે જાતે કરવાનું નહીં હોતું. આ અક્રમ વિજ્ઞાન છે ને, એટલે કષાયો જરાક જાડાં રહેલાં હોય. હવે ચંદુભાઈએ કો'કને ટેકડાવ્યો, તે પેલાને દુઃખ થાય એવો ટૈડકાવ્યો. એટલે તમારે ચંદુભાઈને કહેવું કે, ‘ભઈ, તમે અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો. આપણે પ્રતિક્રમણ નહીં કરવાનું.
પ્રશ્નકર્તા: જ્ઞાતા-દ્રષ્ટામાં જરા ગૂંચવણ રહે છે. જ્ઞાતા-દ્રષ્ટા એ તો આત્માનો ભાગ છે અને પ્રતિક્રમણ એ પુદ્ગલને કરવાનું છે ?
દાદાશ્રી : હા, પુદ્ગલનો ભાગ છે. તે અતિક્રમણ પુદ્ગલનું ને પ્રતિક્રમણે ય પુદગલનું ! પ્રશ્નકર્તા : હા. એ જો સમજાય તો પછી બહુ ગૂંચ નથી રહેતી.
કરે પુદ્ગલ, માતે મેં ક્ય' ! દાદાશ્રી : મેલું કર્યું તેય પુદ્ગલ અને ચોખ્ખું કરે છે તેય પુદ્ગલ જ. અને આ મેલું કરતું હતું એ પુદ્ગલ કરતું હતું તોય આપણે “મેં કયું” કહેતા હતા. હવે ચોખ્ખું કરતી વખતે પુદ્ગલ જ કરે છે, પણ પાછું આપણે ‘મેં કર્યું’ કહીએ કે ફરી હિસાબમાં આવી ગયા. એટલે ચોખ્ખું કરનારા ને મેલું કરનારા ને ગંદુ કરનારા બધુંય આપણે ન્હોય. એ ગંદુ કરતી વખતે
આપણે હોય’ એવું બોલ્યા નથી તેથી તો આ ચાલ્યું. હવે ચોખ્ખું કરતી વખતે “આપણે હોય’ એવું બોલીએ તો છૂટા.
ખરી રીતે આપણે મેલું કર્યું નથી છતાં આપણે માન્યું કે “મેં કર્યું એટલે આપણે જવાબદારી આવી. હવે ચોખ્ખું કરતી વખતે ચોખ્ખું કરે તે ઘડીએ ‘હું નથી કરતો' કહીએ તો જવાબદારી છૂટી.
આખું જગત, મેલું કરી રહ્યું છે, એ તો પુદ્ગલ કરે છે ને કહે છે ‘હું જ કરું છું’. ગાયનું દૂધ કાઢે છે તેય મુગલ કાઢે છે અને પોતે કહે
છે, ‘હું કાઢું .” ગાયને કોણ દોહે છે? જુગલ. અને આપણે શું કહીએ છીએ ? “મેં દોહી.” અને એ પાછું એનું પરિણામ આવે ચોખ્ખું કરવાનું ત્યારે ? “મેં ચોખ્ખું કર્યું કહે. તે આવી જવાબદારી. પેણે જવાબદારી લીધી આપણે ભૂલથી. જગત આખું જવાબદારીના ઉપર ઊભું રહ્યું છે અને આપણે જવાબદારી છોડી રહ્યા છીએ.
પુદ્ગલે મેલું કરતી વખતે આપણે કહ્યું કે “મેં મેલું કર્યું. જરાય તેણે ઊંચું કર્યું હોય તો ‘મેં ઊંચું કર્યું'. પુદ્ગલ ઊંચું કરે છે, નફોય પુદ્ગલ કમાય છે, ખોટ ય પુદ્ગલ કરે છે. એમાં ‘મેં કર્યું' કહે છે. એથી તો આપણે મુશ્કેલીમાં મૂકાયા. ‘મેં કર્યું” એ કહે છે અહંકાર અને ‘મેં આમાં કશું નથી, કર્યું એ શુદ્ધાત્મા.
‘કર્યું’ એવી ઊંધી માન્યતા, એનું નામ મિથ્યાત્વ અને “મેં નથી કર્યું, એનું નામ સમ્યકત્વ. ‘કરે છે કોણ” એ સમજે તો કાયમી કોયડો ઉકલે.
મેલું કરે છે એ પુદ્ગલ કરે છે, એ પુદ્ગલે મેલું કર્યું છે ને ચોખ્ખું કરવાનું કહીએ તો પોતે ચોખ્ખું કરવા પાછો લાગી જાય. તે ચોખ્ખું કરવા લાગી જાય પોતે તે ઘડીએ, એ પોતે જાતે ‘હું કરું છું” એવું માને છે. ત્યાં પાછો ભૂલ ખાય છે. ચોખ્ખું કરનારો થઈ જાય છે. મેલું કરનારો મટી ગયો ને હવે ચોખ્ખું કરનારો થયો. એનો એ જ એ. ત્યાં લોકો અટક્યા છે. એનાથી બોજો છે બધો !
શ્રદ્ધા - દર્શન - અનુભવ - વર્તત ! આ તો તમે સાંભળ્યું હોય એટલું જ, કંઈ એ ઓછું વર્તનમાં આવી જાય ? શ્રદ્ધા બેઠી પણ વર્તનમાં આવે નહીં ? આવે જ નહીં ?
પ્રશ્નકર્તા : દાદા, વર્તનમાં આવે તે એ કેવું હોય ? દાદાશ્રી : એ જુદી જાતનું હોય.
પ્રશ્નકર્તા ઃ હવે આજે અમે સાંભળ્યું શ્રદ્ધા બેઠી, અંદર મહીં ફીટ થયું અને હંડ્રેડ પરસેન્ટ આ વાત જ કરેક્ટ છે એવું લાગ્યું.