________________
વીતરાગતા
૧૬૭
બધું. આ તો ફલાણા આવ્યા, પેલાં આવ્યાં, તે વ્યક્તિગત થઈ જાય. પેલું વ્યક્તિગત ના હોય, સરખું સમાન. તેમની દીકરી આવે કે બીજું કોઈ પણ આવે તો ય સમાન.
પ્રશ્નકર્તા : એનાં પરિણામ અને આના પરિણામ કંઈ ફેર પડે ખરો?
દાદાશ્રી : પરિણામ તો એક જ પ્રકારના પરિણામમાં ફેર ના પડે. પણ આમ દેખાવમાં આવું આવે, વર્તનમાં. પરિણામ ચોખા હોય પણ વર્તન આવું આવે. વર્તન તો પહેલાં જે પ્રતિતી હતી તેનાં આધારે છે. એટલે થોડો ફેર દેખાય આમાં.
વીતરાગોને તો સહેજે ય રાગ-દ્વેષ નહીં. એટલે કરી શકે જ નહીં અને અમારે તો હેજ આ ચાર ડિગ્રી ઓછી છે એટલે અમારામાં કરી શકવાની શક્તિ. એટલી જ ભાંજગડ છે. આ કામ ફુલ કરે. પેલામાં કરી શકવાની શક્તિ નહીં અને આમનામાં શક્તિ, એટલો જ ફેર. કારણ કે આ ચાર ડિગ્રી ફેલ છે અને પેલા પૂર્ણાહુતિ છે. એટલે આવો વારો કોઇ દા'ડો આવતો નથી.
૧૬૮
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) કરીને પામો, ન જવાના હોય તે ન પામો, વીતરાગ. જે પામવાના હોય તે પામો, ના પામવાના ના પામો. અને અમારે આટલો આગ્રહ હોય. હજુ અમે ખટપટ કર્યા કરીએ. અમે ખટપટીયા વીતરાગ કહેવાઈએ.
પ્રશ્નકર્તા : એ તો દાદા, જે આપની પાસે આવે અને સમજે તો એનો મતભેદ જાય, પણ ન આવે એને તો મતભેદ રહેને ? તીર્થંકરોના વખતમાં પણ એવું જ હશેને ?
દાદાશ્રી : એ બરોબર છે, પણ એ ખટપટ ના કરે ને ? અમે ખટપટ કરીએ ને ! અમે તો આમથી બચાવી લઈએ ને આમથી આમ બચાવીએ. પેલા તો બોલે એટલું જ. ના ઠીક લાગે તો જતો રહે. અમારે તો ખટપટ, બેસાડી બેસાડીને બોલ બોલ કરીએ.
પ્રશ્નકર્તા : રાતનો ઉજાગરો કરીને પણ !
દાદાશ્રી : હા, રાતનો ઉજાગરો કરીને. આ ભાઈ ત્રીસ વરસથી આશ્રમમાં જતાં હતાં તે પછી મેં સમજણ પાડી કે તારું ખોટું નથી, પણ જો આત્મા જાણવો હોય તો આ હોય. આત્મા ક્યાંથી લાવે લોકો ? લોકોનું ગજું જ નહીંને આમાં !
જગતનું લ્યાણ થઈને જ રહેશે ! આ અમે ખટપટ કરીએ છીએ તે, ‘આમ આવો ને તમને મોક્ષ આપીએ.’ આ ભાઈને ફાઈલ જોડે ભાંજગડ થાય તો છૂટી કરી આપીએ.
પ્રશ્નકર્તા: સત્સંગમાં જ રહો એમ કહીએ આપણે એમને.
દાદાશ્રી : હા. આ બધું અમારે ખટપટ એટલા જ માટે કરવી પડે છે ને ? પોતાને કંઈ પણ જોઈતું નથી, એનું નામ વીતરાગ ! ખટપટ શી ? તો કહે, સામાને કંઈક પોતાના જેવું થાય એવી ગણતરી.
મહાવીર ભગવાન ખટપટીયા વીતરાગ નહોતા, હું તમને બોલાવું કે આવજો. તમારા સર્વસ્વ દુઃખો જતાં રહેશે. મહાવીર ભગવાનને એવું નહોતું. સંપૂર્ણ વીતરાગ કોઇ ડખો જ નહીં ને ! ડખો નહીં, ખટપટ નહીં.
આ અમારે તો હજુ એક-બે અવતાર બાકી હોય એટલે ખટપટીયા હોઇએ, ખટપટીયા વીતરાગ ! અમે તો કહીએ, પેલા ભઇને અહીં તેડી લાવજો બા. આમ કરજો, તેમ કરજો, આમ કરજો, તેમ કરજો. અને એ વીતરાગ તો કશુંય નહીં. એમના દર્શનથી જ આપણું કલ્યાણ થઇ જાય. કેવું કે સાચાં દર્શન થઇ ગયા, કરતાં આવડવા જોઇએ. જેવું જેને આવડે એવું એને લાભ. બસ, એ વીતરાગ, પણ એની વીતરાગતાને જેણે ઓળખી, એના બાપની વીતરાગતા. જેટલી જેટલી ઓળખી એટલો એને લાભ. એ પોતે કશું આવી બાબતમાં હાથ ઘાલે નહીં. વાણી સહજ ભાવથી નીકળ્યા કરે, બસ. એટલે એ ખટપટીયા નહીં. અમે ખટપટીયા, કે આ બેનને તેડી લાવજો. કારણ કે અમે જાણીએ છીએ કે અમારો છેલ્લો અવતાર નથી. એટલે અમારાથી આ બધું બોલાય અહીં આગળ. અને એ એવું ના બોલે કે તમારો કોઇ ઉપરી નથી કે તમારામાં કોઇ આંગળી ઘાલી દે એવું નથી. એવું તેવું ના બોલે. કારણ કે એમને તો જે મોક્ષમાં જવાના હોય તે દર્શન