SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગતા ૧૬૩ ૧૬૪ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) વીતરણ, નિર્ભય જે થાય, તે ભગવાન ! પ્રશ્નકર્તા : કૃષ્ણને ભગવાન કહે છે, પછી વળી પાછાં કહે છે કે તમારી અંદર ભગવાન છે, તો દાદાની દ્રષ્ટિએ યથાર્થ રીતે ભગવાન એટલે શું સમજવું ? દાદાશ્રી : જ્યાં સુધી રાગ અને દ્વેષ હોય, ત્યાં સુધી જીવાત્મા કહેવાય. અને વીતરાગ થાય એટલે ભગવાન, જેને ગાળ ભાંડીએ તો ષ નથી, ફૂલ-હાર ચઢાવે તો રાગ નથી એ ભગવાન. તંદ્વથી પર થયા, એનું નામ ભગવાન. તંદુ તમે સમજયા કે નહીં ? શેને સમજો છો ? એક હોય ત્યારે બીજું હોય જ, અવશ્ય હોય. નફો હોય ત્યાં ખોટ હોય જ. કંકુથી પર થઈ ગયા હોય, એને દુ:ખેય નહીં, સુખેય નહીં. ગાળો ભાંડવાથી દુ:ખ નહીં, ફૂલ-હાર ચઢાવે તો સુખ નહીં, વીતરાગ કહેવાય, નિર્ભયતા હોય. પછી આત્મા વીતરાગ છે, તેને ભગવાન કહેવાય. અને આત્મા જે અંદર છે તે પરમાત્મા કહેવાય. બહાર ભગવાન થયેલો હોય, તેનો અંદર આત્મા પરમાત્મા હોય. અંદર પરમાત્મા સ્ટેજ ઉપર થાય ત્યારે આ ખોખું પણ ભગવાન થઈ ગયું હોય. થોડું સમજાયું આ હું શું કહેવા માંગું છું, પોઈન્ટ ઑફ યુ ? પ્રશ્નકર્તા : તો પછી આ કૃષ્ણ ભગવાન જે કહેવાય છે. દાદાશ્રી : હા, એવું જ, એવું જ. ગમે તે થઈ શકે, કોઈનું લાઈસન્સ નથી આ મહાવીરનું કે કૃષ્ણનું, આ જે થઈ શકે એના બાપનું !!! વીતરાગ થઈ શકે અને નિર્ભય થઈ શકે એ ભગવાન. પ્રશ્નકર્તા : એટલે ભગવાન એ ગુણ છે, એ કોઈ વ્યક્તિ નથી. એ વિશેષણ જ છે ભગવાન એ ? દાદાશ્રી : છેલ્લી કક્ષા છે આ પુદ્ગલની. આ પુદ્ગલની છેલ્લી કક્ષા જ્યારે ભગવાનની હોય ત્યારે આત્માની છેલ્લી કક્ષા પરમાત્મા હોય. તે ભગવાન આત્માને કહેતા નથી. ભગવાન એ પુદ્ગલની છેલ્લી દશા છે. એટલે અમે ના કહીએ છીએ કે અમે ભગવાન નથી. અમને ભગવાન જો અમે કહીએ તો આત્મા મહીં પરમાત્મા થઈ ગયો ને પરમાત્મા આત્માને ખટપટ ના હોય. અમે તો ખટપટ કરીએ કે ચંદુભાઈ આવજો. મારા પોતાની જાત, અંગત માટે નહીં, તમારા માટે. મેં શું નક્કી કર્યું હોય કે હું જે સુખ પામ્યો છું એવું સુખ બીજા પામો. એ તો મને ગરજ પડી છે આ લોકો સુખને પામે, મોક્ષે જાય જ્યારે પરમાત્માને ગરજ ના હોય કોઈ જાતની. પ્રશ્નકર્તા : પણ દાદા, એ આપણને જે ગરજ થઈ છે એ તો નિષ્કામ કષ્ણાને ? દાદાશ્રી : નિષ્કામ કણા પણ એ કષ્ણા પણ ગરજ છેને ! એ પદ આવ્યા પછી છે તે પેલું પદ આવે. આ પદ આવવાથી જે છેલ્લું પદ આવે છે તે જગત ખુશ થઈ જાય એવું આવે છે. એ તીર્થંકર પદ . લોકોના કલ્યાણ માટે જ જીવે છે. પોતાના માટે જીવતા ન હોય. થોડું સમજાયું હું શું કહેવા માગું છું ? પ્રશ્નકર્તા: હા. દાદાને જ્યારે જ્ઞાન થયું ત્યારે આ જગત કલ્યાણ કરવાનું કોણે કીધું ? કઈ શક્તિએ કીધું ? દાદાશ્રી : કોઈએ કહ્યું નહોતું. પહેલેથી ભાવના જ હતી કે આ જગત આવું ન હોવું જોઈએ, કલ્યાણ થવું જોઈએ. તે આ કારણો છોડ્યા ! એ જ્ઞાન કોઈને થજો અને લોકોનું કલ્યાણ થાય એવું. અને તે આ જ્ઞાન મને જ થઈ ગયું. મને ખબર નહીં કે આવું જ્ઞાન થશે. પ્રશ્નકર્તા : એટલે વ્યવસ્થિતે આપને પસંદ કર્યા. દાદાશ્રી : વ્યવસ્થિતના નિયમે. પ્રશ્નકર્તા : પુદ્ગલને તો કંઈ ઈચ્છા હોય જ ના કે મને બધા ભગવાન કહે. દાદાશ્રી : પણ પુદ્ગલની ઇચ્છા ના હોય પણ પુલ એના જેવું જ થાય, એક્ઝક્ટ, ભગવાન સ્વરૂપ જ પડછાયો થઈ જાય.
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy