SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગતા ૧૫૯ ૧૬૦ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) દાદાશ્રી : કોઈ રીતે ભિન્ન છે નહીં, વીતરાગતામાં ફેર હોતો નથી. વીતરાગતા રાખનારમાં ફેર હોય છે. પ્રશ્નકર્તા : વીતરાગતા એ મનોદશા કે આંતરિક સ્થિતિ છે ? દાદાશ્રી : વીતરાગતા એ મનોદશા ય નથી ને એ આંતરિક સ્થિતિ ય નથી. એ જ્ઞાનદશા છે. એની પોતાની જ્ઞાનની દશા છે આ. આ જ્ઞાનનું પરિણામ છે. વસ્તુ છે ? દાદાશ્રી : હા, એક જ, એમાં જરાય ફેર નથી. સમ્યક્ દર્શન એટલે જ સાક્ષાત્કાર, જે ભૌતિક જોતા'તા, તે આ અવિનાશી જોયું. ભૌતિક વિનાશી જોતા’તા અત્યાર સુધી, તેમાં પ્રેમ હતો. આમાં પ્રેમ ઉત્પન્ન થયો તો અવિનાશી જોયું. અવિનાશી જોયું, વીતરાગ થઈ ગયો. પ્રશ્નકર્તા : એટલે સમ્યક્ દર્શન અને વીતરાગ બે વચ્ચે ફેર ખરો કે ? દાદાશ્રી : સમ્યક્ દર્શન વીતરાગતાની શરૂઆત છે, બિગિનિંગ છે. અને વીતરાગતા પછી જેટલી જેટલી ઉત્પન્ન થઈ એટલે એનું પ્રમાણ વધતું જાય અને સંપૂર્ણ વીતરાગતા એ છેલ્લું પદ છે. સંપૂર્ણ વીતરાગતા એ કેવળજ્ઞાન કહેવાય. શું પ્રતિષ્ઠિત આત્મા વીતરાગ થાય ? પ્રશ્નકર્તા ઃ તો જે જીવ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે, એના વર્તન, વિચાર, વાણી કેવાં હોય ? દાદાશ્રી : રાગ-દ્વેષ રહિત હોય. એ ગાળ ભાંડે તો ય રાગ-દ્વેષ ના હોય. એ ધોલ મારે તો ય રાગ-દ્વેષ ના હોય. અને આ ધોલ ના મારતો હોય તો ય રાગ-દ્વેષ હોય અજ્ઞાનીને. એટલે વર્તન રાગ-દ્વેષ રહિત હોય, ભય વગરનું, નિર્ભયતા હોય ! પ્રશ્નકર્તા: વીતરાગતા એ આત્મપુરુષાર્થથી એચીવ કરેલી સ્થિતિ છે કે કુદરતી રચનાનો અંશ છે? દાદાશ્રી : એ આત્મપુરુષાર્થથી કરેલી સ્થિતિ છે. કુદરતી રચનાનો અંશ નથી. કુદરતી રચનામાં તો લીંબુ થાય, જામફળ થાય, દાડમ થાય, કંઈ વીતરાગતા ના થાય. કોઈ જગ્યાએ વીતરાગતાનું ઝાડ ના હોય કે એનું ફળ આવું ને આવું આવે એ. પ્રશ્નકર્તા એટલે કુદરતી રચનામાં એટલે એવો કોઈ સંયોગ ઊભો થાય ને અમે વીતરાગ થઈ જઈએ કે પછી પુરુષાર્થથી જ થવાય ? દાદાશ્રી : ના, કુદરતી રચનાને આમાં કશું લાગતું જ નથી. એ પુરુષાર્થ વગર વીતરાગતા ન આવે. કારણ કે પ્રકૃતિ ને પુરુષ બે જુદાં પડ્યા પછી, જેટલું તમે આ આજ્ઞાનો પુરુષાર્થ રાખો તો એટલી વીતરાગતા ઉત્પન્ન થાય. અને આત્મપુરુષાર્થ તો પ્રકૃતિ ને આત્મા બે જુદાં થયા સિવાય થાય ય નહીં. બીજો આ સંસારના લોકોને જે પુરુષાર્થ છે એ ભ્રાંત પુરુષાર્થ છે. પ્રશ્નકર્તા : વીતરાગનું વિજ્ઞાન હોય તો એની પ્રાપ્તિમાં સંકલ્પનો ફાળો ખરો કે ? દાદાશ્રી : શરૂઆત તો સંકલ્પની કંઈ પ્રાપ્તિ હોય તો જ વીતરાગ રહે. તો જ એ જાય ને ! એટલે સંકલ્પ તો પહેલો જોઈએને ! પછી સંકલ્પ છૂટી જાય એ દશા આવ્યા પછી. અહીંથી સ્ટેશને જવું હોય, તો અહીંથી જ કંઈ ગાડીમાં બેસાય ? ત્યાં રીક્ષા કરવી પડે. રીક્ષાનો ફાળો ખરો ? અહીંથી પ્રશ્નકર્તા : પ્રતિષ્ઠિત આત્મા પણ વીતરાગ થઈ શકે ? દાદાશ્રી : ના, એ પાવર આત્મા છે. વીતરાગતાના ગુણો આવે. ખરેખર એ વીતરાગ હોય નહીં. વીતરાગતાનો પાવર આવે. મહાવીર ભગવાનમાં હતો જ ને ! સ્પષ્ટ વ્યાખ્યાઓ વીતરાગતા તણી ! પ્રશ્નકર્તા : ભગવાન મહાવીરની વીતરાગતા અન્ય વીતરાગોની વીતરાગતા કરતાં કઈ રીતે ભિન્ન હોઈ શકે ?
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy