SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગતા ૧૫૭ ૧૫૮ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) આપણે શું કહીએ છીએ કે જીવમાત્ર, તમામ જીવો નિર્દોષ જ છે. દોષિત દેખાય છે તે જ ભ્રાંતિ છે. એટલે વીતરાગ ના કહીએ. વીતરાગનું છે તે ડિવેલ્યુ થાય, વીતરાગ ના બોલીએ. બાકી જો વીતરાગ છે એવું સમજી જાયને થઈ રહ્યું, ખલાસ જ થઈ ગયું. આ રેકર્ડ ગાળો ભાંડતી હોય તો? રેકર્ડ ગાળો ભાંડે કે, “ચંદુ તું ચોર છે, ચંદુ તું ચોર છે, ચંદુ તું ચોર છે' તો શું કરું ? પ્રશ્નકર્તા રેકર્ડ હોય એટલે હસવું આવે પછી. દાદાશ્રી : આ રેકોર્ડ છે તે. પણ તું માની બેઠો છે કે એ બોલ્યો અને બોલનારોય માની બેઠો કે હું બોલ્યો. એવું છેને, આ પાછાં બહુ ફોડ કરવા જેવા નહીં. અતિશય ફોડ કરીએ ત્યારે પછી વૈરાગ્ય આવી જાય. શું આવી જાય ? પ્રશ્નકર્તા : વૈરાગ લાવવામાં બાકી શું રાખ્યું છે? દાદાશ્રી : કશું બાકી નહીં રાખ્યું. પણ તોય થોડું ઘણું રહ્યું હોય તો રહેવા દેવુંને ? તમને અત્યારે રસ્તામાં જતાં કહે કે “તમે નાલાયક છો, ચોર છો, બદમાશ છો” એવી તેવી ગાળો ભાંડી દે, ને તમને વીતરાગતા રહે તો જાણવું કે આ બાબતમાં તમે આટલા ભગવાન થઈ ગયા. જેટલી બાબતમાં તમે જીત્યા એટલી બાબતમાં તમે ભગવાન થયા. અને તમે જગત જીતી ગયા એટલે પછી આખા, પૂર્ણ ભગવાન થઈ ગયા. પછી કોઈનીય જોડે મતભેદ પડે નહીં. ફાઈલોનો નિકાલ કરેને સમભાવે ત્યારે વીતરાગ થઈ જાય એ. પ્રશ્નકર્તા : દેહને રમતો મૂકવાનો એટલે શું ? દાદાશ્રી : આ ભમરડો નાખ્યા પછી જે રમત કરે એ બરોબર. પછી હવે ફરી એને દોરી વીંટવાની જરૂર નહીં. પછી ભમરડો પાછો આમ ફરેહરે, પાછો ઊંચો થઈને કૂદે, એ પાછો એક જગાએ બેસી જાય. પાછું આમ, આમ થાય. એટલે આપણે જાણીએ કે દવાખાનામાં હંડ્યા, દવાખાનામાંથી પાછો આવે તે સીધો થઈ જાય. ઘાત ગઈ ખબર પડે ને ? પ્રશ્નકર્તા: પાછો થોડો ઊંધો હઉ ફરે. દાદાશ્રી : હા, ઊંધો હઉ ફરે. એને કહેવાય નહીં, ભમ્મરડો ! પ્રશ્નકર્તા : જે તે રસ્તે રાગ-દ્વેષથી રહિત થવું એ વીતરાગ માર્ગ. દાદાશ્રી : કિંચિત્માત્ર રાગ નહીં અને કિંચિત્માત્ર દ્વેષ નહીં. એકદમ થઈ ના જવાય. પણ એ ભાવના કરવાથી એમ કરતાં કરતાં ય ધીમે ધીમે જ્ઞાન મળ્યું હોય તો થાય, નહીં તો થાય નહીં, લાખ અવતારે ય થાય નહીં. એ પુદ્ગલ શું કહે છે કે તું શુદ્ધાત્મા થઈ ગયો માટે તું છૂટો થઈ ગયો એવું માનીશ નહીં. તે મને બગાડ્યો હતો, માટે તું શુદ્ધ અમને કર, એટલે તું છૂટો અને અમે છૂટા. ત્યારે કહે, શી રીતે છૂટા કરું ? ત્યારે કહે, અમે જે કરીએ એ તું જ. બીજું ડખલ ના કરીશ. રાગ-દ્વેષ રહિત જોયા કર. પ્રશ્નકર્તા: રાગ-દ્વેષ રહિત જોયા કરવાનું? દાદાશ્રી : જોયા કર, બસ. એટલે અમે છૂટા. રાગ-દ્વેષથી અમે મેલા થયેલા છીએ, તારા રાગ-દ્વેષને લઈને તારી વીતરાગતાથી અમે છૂટા. શુદ્ધ પરમાણુ થાય. મતો મૂક તારા દેહતે વાતચીતો બધું થાય, રાગ-દ્વેષ ન થાય. દેહને રમતો મૂકવાનો. જેમ ભમરડાને આપણે ફેરવીએ ને પછી એની મેળે ફર્યા કરતો હોય, રમતો મૂકવાનો. એટલે રાગ-દ્વેષ થાય નહીં ને ! “હું” ને “મારું” ગયું એટલે રાગદ્વેષ ગયા. ‘હું' ને ‘મારું’ જતાંની સાથે જ વીતષ થઈ જાય. પછી એ પેલો સમ્યક્ દર્શન અને આત્મસાક્ષાત્કાર ! પ્રશ્નકર્તા : સમ્યક્ દર્શન અને આત્મસાક્ષાત્કાર એ બંને એક જ
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy