________________
વીતરાગતા
૧૫૩
૧૫૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
પ્રશ્નકર્તા : બીજાનું કેવું હોય ? દાદાશ્રી : બીજાનું તો એ ચાલુ જ છે ! રાગ-દ્વેષ સિવાય બીજું હોય
નહીં.
દાદાશ્રી : નિર્દોષ છે એ તો વીતરાગ રસ્તો છે પણ વીતરાગતા ના કહીએ. વીતરાગ કહીએ તો વીતરાગના ઉપર વિરાધના થઈ કહેવાય. વીતરાગ એટલે ભગવાન કહેવાય. એટલે નિર્દોષ કહીએ છીએ.
પ્રશ્નકર્તા : તમે હમણાં જે કીધુંને કે આમાં રેકર્ડ બોલે, ‘તું ચોર છો, ચોર છો’ તો દાદા એમ વિચાર થાય કે ખરેખર હું શું છું ? એ જાણવાની ઇચ્છા થાય ખરી અને અંદર ઉતરી અને શોધી કાઢવાનું ચોર છે કે નહીં એની પૃથ્થકરણ કરવાની ઇચ્છા થાય.
દાદાશ્રી : ના, એવું નથી. ચોર હશે તોય વાંધો નથી કે ચોર નહીં હોય તો ય વાંધો નથી.
પ્રશ્નકર્તા : એનું પણ મિશ્રચેતન વીતરાગ કીધું.
દાદાશ્રી : એ પોતે આખોય વીતરાગ છે. વીતરાગ છે, એવું જો સમજાય તે તો સંપૂર્ણ વીતરાગ થઈ ગયો અહીં આ દુનિયામાં.
પ્રશ્નકર્તા : એટલે આપણે એને વીતરાગ સમજવાનો છે એમ ? દાદાશ્રી : હા, એવું જો સમજાય તો સંપૂર્ણ વીતરાગ થઈ ગયો. પ્રશ્નકર્તા એ કઈ દ્રષ્ટિએ એવું સમજાય ?
દાદાશ્રી : વાત એ એમ જ છે પણ એ વાત સમજાવી જોઈએ. જો પોતે સંપૂર્ણ વીતરાગ થઈ જાય, તો જગત વીતરાગ દેખાય. એવો દ્રષ્ટિફેર થઈ જાય, તો કામ જ થઈ જાય !
આ પાંચસો ગાયો જતી હોય પણ આપણને એમાં સરખું જ લાગેને ! વીતરાગ રહેતા નથી, મૂઆ ? સરખું જ લાગે છેને ?
પ્રશ્નકર્તા : હા, હા. સરખું જ લાગે.
દાદાશ્રી : આ તો મનુષ્ય એકલામાં જ બધી ભાંજગડ છે ને આપણને ! અને તેય તમે અમેરિકા, બીજે બધે વીતરાગ જ છોને તમે. આ તમારી ફાઈલો પૂરતી જ છેને ભાંજગડ. ક્યાં ક્યાં ભાંજગડ છે ?
પ્રશ્નકર્તા : ફાઈલ પૂરતી.
દાદાશ્રી : અને ફાઈલો તો તમારે હિસાબ આપવા માટે જ ભેગી થયેલી છે અને તે વીતરાગ જ છે.
પ્રશ્નકર્તા: આપે જે કીધું કે જગત માત્ર આખું નિર્દોષ છે, એ...
પ્રશ્નકર્તા: તો પછી આ વાક્ય એવું થાયને જગત વીતરાગ દેખાય તો ઉકેલ આવી ગયો.
દાદાશ્રી : જગત વીતરાગ છે એવું ના બોલાય. જગત નિર્દોષ છે બોલાય. નિર્દોષ દેખાય છે આ જગત.
પ્રશ્નકર્તા : આ બધી જે દેખાવમાં આવે છે એ બધી મિકેનીકલ પ્રક્રિયાઓ છે.
દાદાશ્રી : એ જાણે કે આ વીતરાગ આને કહેવાયને ! આ ના કહ્યું કે ભઈ આ ટેપરેકર્ડ બોલે છેને ! એના જેવી બધી ક્રિયાઓ છે.
જગત નિર્દોષ છે, ભોગવે એની ભૂલ છે, આ બધું શું સૂચવે છે ? જગત નિર્દોષ દેખાય તો વીતરાગ જ દેખાયું કહેવાય. વીતરાગ સિવાય કોઈ નિર્દોષ હોઈ શકે નહીં. તમને સમજાય ખરું કે આ વાક્ય ? પ્રશ્નકર્તા : હા, બરોબર સમજાય છે.
‘હું' - “મારું” ગયે વીતરાગ ! દાદાશ્રી : આ મિશ્રચેતનમાં, જે હુંપણું છે, મારાપણું છે તે કાઢી લીધું એટલે થઈ રહ્યું મિશ્રચેતન વીતરાગી. હું-મારાપણું કાઢી નાખ્યું એટલે