________________
વીતરાગતા
૧૪૯
૧૫O
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
સમદ્રષ્ટિ એટલે બંને પર સરખો જ ભાવ. આની પર દ્વેષ નહીં, આની પર રાગ નહીં.
દાદાશ્રી : કમઠ ઉપર બિલકુલ જેને દ્વેષ નથી અને ધરણેન્દ્ર ઉપર જેને રાગ નથી. ઉપકારી પ્રત્યે રાગ નથી અને ભયંકર અપકારી છે, તેની ઉપર કિંચિત્માત્ર દ્વેષ નથી.
પણ એ વીતરાગની પાસે વિગત હોય કે આ એના પુણ્યકર્મનો ઉદય છે, એટલે એ પુણ્યકર્મનો ઉદય ભોગવી રહ્યો છે. આ પાપકર્મનો ઉદય છે. આ પાપકર્મનો ઉદય ભોગવી રહ્યો છે. વીતરાગ પોતે વીતરાગતામાં રહે છે, જાણે તો બધું ય. એ કંઈ એવા નથી કે પાછળ થાય છે તે ના જાણતા હોય.
ઉદાસીનતાથી શરૂઆત ! જે ગંધાય છે તેની ઉપર ષ થાય છે અને સુગંધી આવે છે તેમાં રાગ થાય છે. એ આ બે ડખા ઊભા ને તેનાથી સંસાર ઊભો થયો છે. અને તેમાં આમાંનું કશું છે જ નહીં. આ બધું સંસાર વ્યવસ્થા જ છે. આ બધું સમાજ વ્યવસ્થા, સારું ને ખોટું ને આમ ને તેમ ! - દરેક જોવાની વસ્તુ, શેય વસ્તુને જુએ છે. જુએ પણ રાગ-દ્વેષ નહીં, એનું શું કારણ કે શેયને ય સ્વરૂપે જ જુએ છે. આ સારું-ખોટું ત્યાં હોય નહીં. સારું-ખોટું આ બધુંય ભ્રાંતિ છે.
હા, આપણા લોકો ગાયનો પોદળો ઝાલે અને માણસનો ના ઝાલે. આ તો એય પોદળા જ છે ને ! એનું કારણ શું ? ત્યારે કહે, એના મનમાં એમ કે આહાહા... એટલે એને પોતાને જ બધી આ એની કિંમત ગોઠવેલી છે, વેલ્યુએશન પોતે જ કરેલી છે આ. કુદરતને ઘેર આવું કશું જ નહીં. સુગંધ હોય કે દુર્ગધ હોય બેય સરખું છે કુદરતને ઘેર. અને ત્યાં સરખું છે અને અહીં સરખું નથી. ત્યાં સરખું શી રીતે છે? ત્યારે કહે, બધું શેય સ્વરૂપે છે.
પ્રશ્નકર્તા: તો જ્ઞાતા-દ્રષ્ટા થયા એટલે ઉદાસીનતા સહેજે રહે જોયો પ્રત્યે ?
દાદાશ્રી : હા ! એ તો સ્વભાવે જ ઉદાસીનતા, એનો બીજો ગુણ
જ નથી ત્યાં પછી, ઉદાસીન જ છે ને ! અહંકાર સાથે વીતરાગતા રહે એ ઉદાસીનતા. એને વીતરાગતા ના બોલાય. કારણ કે હજુ અહંકારનું પોઇઝન છે અને આ પોઇઝન વગરનું છે એટલે વીતરાગતા કહેવાય.
- હવે આ ક્રમિક માર્ગમાં ઉદાસીનતા કહેવાય. છેલ્લા અવતારમાં વીતરાગ. અહીં છે તો જ્ઞાન મળતાંની સાથે જ વીતરાગ. ખાલી સમજવાનું જ છે, કરવાનું કશું નથી.
દાદા દેખે વિશાળતાથી તે માણે ઐશ્વર્ય ! પ્રશ્નકર્તા એટલે ઘણીવાર એમ થાય કે ઇન્દ્રિયો બધી વીતરાગને ? દાદાશ્રી : એટલે?
પ્રશ્નકર્તા: વીતરાગ નહીં, પણ એને રાગ-દ્વેષ ના હોય કંઈ. આંખથી કોઈ વસ્તુ જોઈ હોય આપણે, તો આંખને તો એને દેખાડવાનો જ ગુણને ?
દાદાશ્રી : બતાવે, બસ. આપણે અહીંયા આગળ એક દૂરબીન માંથી જોઈએ, તે દૂરબીન બિચારું શું કરે ? એ દૂરબીનમાંથી જોનારામાં રાગ છે તેથી પેણે રાગ છે. એટલે તમારામાં અજ્ઞાન હોય તો બધું ઊંધું દેખાય. ઇન્દ્રિયો બિચારી શું કરે ? મને લોકો કહે કે, ‘દાદા તમને દુનિયા કેવી દેખાય છે?” મેં કહ્યું, સૂર્ય પડી ગયેલો દેખાય છે મને.’ મૂઆ ગાંડો છું કે શું, કંઈ ભાન છે ? મને આ કંઈ તારાથી જુદી જાતનું દેખાતું હશે ? તને દેખાય છે એમાં તને રાગ-દ્વેષ છે અને મને એમાં રાગ-દ્વેષ નથી એટલો જ ફેર. તને જે દેખાય છે એવું મને દેખાય છે.
અને બીજું, તને ના દેખાતું હોય એવું મને અનંત બધું દેખાય એ મારા જ્ઞાનની વિશાળતા છે અને ઐશ્વર્યપણું છે. પણ તને તારા ઐશ્વર્ય પ્રમાણે, દેખાય તને તારી વાડ પ્રમાણે, કમ્પાઉન્ડ પ્રમાણે. ઐશ્વર્યપણું એટલે કમ્પાઉન્ડ. આખા જગતનું કમ્પાઉન્ડ થઈ જાય એ ઐશ્વર્યપણું, પૂર્ણ !
વીતરણતા પ્રગટ ક્યારે તે કેવી રીતે ? પ્રશ્નકર્તા ઃ અમને મહાત્માઓને સંપૂર્ણ વીતરાગતા ક્યારે પ્રગટ