________________
૧૪૮
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
પ્રશસ્ત રણને કારણે તથી વીતરાણ ! જ્ઞાનીઓ એટલે તો વીતરાગ કહેવાય. પૌગલિક રાગ જ્યાં સ્ટેજે નથી એવા વીતરાગ. પૌગલિક રાગ-દ્વેષ નથી રહ્યાં. તમેય વીતરાગ કહેવાઓ પણ તમને હજુ પ્રશસ્ત રાગ છે.
પ્રશ્નકર્તા: દાદા ભગવાનને પ્રાર્થના કરો કે આ જન્મમાં જ્ઞાની પુરુષ વીતરાગ ન થઈ જાય. જો વીતરાગ થઈ જશે તો કોઈના ભાગે નહીં આવે.
દાદાશ્રી : હા, એ બરોબર છે. થાય એવા ય નહીં ને ! કાળે ય એવો છે, વીતરાગ થાય એવું નથી.
પ્રશ્નકર્તા : આ કાળમાં થાય એમ જ નથી ? દાદાશ્રી : થાય એમ જ નથી. એ તો તમારે સીફારશ નહીં કરવી
[૨.૫] વીતરાગતા
રાણમાં વીતરાગ !
પડે.
પ્રશ્નકર્તા ઃ એટલે અમારે ચિંતા કરવાની જરૂર નથી.
દાદાશ્રી : ના, ચિંતા કરવાની જરૂર નહીં. આ કાળની વાડ એવી છે કે સંપૂર્ણ વીતરાગ થઈ શકે નહીં. થાય જ નહીં, સંપૂર્ણ વીતરાગતા.
સમત્વતી સમાલોચતા !
જ્ઞાનીઓનો સમભાવ જગતે જોયો નથી દુષમકાળમાં, પાંચમાં આરામાં. સમભાવ ને રગમાં વીતરાગ. આ તો, આમને તો વીતરાગતામાં વીતરાગ. અરે મૂઆ, એવું ના બને, રાગમાં વીતરાગતા હોય તે સાચી વીતરાગતા. તો તમે રાગ વગર વીતરાગતા કરવા માંડ્યો. અરે મૂઆ, બીજ તો છે નહીં. શેનો આધાર ? કંઈ આધાર જોઈશે કે ના જોઈએ ? કહે છે, રાગ બધાં છોડી દો. ત્યારે પણ વીતરાગતા શી રીતે લાવીશ ? રાગ તો જ્ઞાની પર બેસે તો, પ્રશસ્ત રાગ, એ જ મોક્ષે લઈ જાય. જે તમારો ગાંડો રાગ હતો, અપ્રશસ્ત રાગ હતો, તે જ્ઞાની મળવાથી એ પ્રશસ્ત થઈ ગયો. એ જ મોક્ષે લઈ જાય. મોક્ષે જતાં પ્રશસ્ત રાગની જરૂર ખરી કે નહીં ?
પ્રશ્નકર્તા : જરૂર, જરૂર.
દાદાશ્રી : એની જ મુખ્ય જરૂર. તેથી તો આ દાદા પર તો બધાને ભયંકર રાગ છે. હા, છો ને રહ્યો રાગ, એનો વાંધો નહીં. એ મોક્ષે લઈ જાય.
પ્રશ્નકર્તા : સમત્વ એટલે શું ?
દાદાશ્રી : વીતરાગતા. ગાળ ભાંડે તેની ઉપર દ્વેષ નહીં, માન આપે તેની પર રાગ ના થાય. માન આપે તો ગમે. એને આપણે છૂટ આપીએ છીએ. એને લાઈક-ડીસ્લાઈક કહીએ છીએ. પેલું સંપૂર્ણ વીતરાગતા એ જુદું પદ છે. હવે આ તો માન આપે તો ગમે, રાગ ના થાય. માન આપનાર જે હોય તે ગમે, તેનું નામ રાગ કહેવાય. આ તો માન આપે તે અવસ્થા ગમે છે.
પ્રશ્નકર્તા : પાર્શ્વનાથના વીતરાગની વાત છેને, કે ધરણેન્દ્રદેવ છે તો એમણે રક્ષણ કર્યું અને કમઠ છે તે એમણે ઉપસર્ગ કર્યા, તો ય ભગવાનની
પ્રશ્નકર્તા : એને દાદા, ભયંકર ઉપમા અપાય ?
દાદાશ્રી : કહેવાય, કહેવાય. આ કાળમાં આવું બોલવું પડે.