________________
પ્રશસ્ત રાગ
૧૪૫
૧૪૬
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
જાય ! પછી આ બેઠાં પછી આમાંથી કાઢવાનો, ખેંચવાનો. ઉકેલ લાવી નાખે.
દાદાશ્રી : શાંતિ થાય એટલે રાગ બેસે જ હંમેશાં. આ સંસારમાં ય છે તે એ રાગ, એ બધો પેસે છે ને, તે શાંતિને લઈને બેસે, પણ એ શાંતિ એ આસક્તિવાળી શાંતિ, તે થોડો કાળ રહીને પછી જતી રહે. એટલે વઢે પાછો. અને આ તો રાગ બેઠો આમાં બીજું હોય નહીં ને ! આ તો અજાયબી આ કાળની, જો સમજે તો કામ કાઢી નાખે. અને આડું ચાલે તો ઊંધું ય થઈ જાય. પ્રશસ્ત રાગ કોઈ કાળે બેઠો જ નથી ને ! જો બેઠો હોત તો આજે આ દશા જ ના હોય ને !
પ્રશસ્ત રણ એ જ આ કાળતો મોક્ષ ! આ પ્રશસ્ત રાગ એ વીતદ્વેષ કહેવાય છે. પણ વીતરાગ નથી કહેવાતું. વીતરાગ તો આ પ્રશસ્ત રાગે ય ઊડી જાય પછી. પ્રશસ્ત રાગ તો આ કાળમાં બહુ હિતકારી છે. આ પ્રશસ્ત રાગ રહેને તો જાણવું કે આપણો મોક્ષ થઈ ગયો. કારણ કે બધાં રાગને તોડી નાખે. બહારનાં બધાં ય મોજશોખ, બધાંય રાગોને તોડી નાખે આ રાગ. એટલે આ પ્રશસ્ત રાગ ઉત્પન્ન થયો, તેને આ કાળમાં મોક્ષ કહેવો..
પરમાર્થ રાગથી મળે જ્ઞાતી ! પ્રશ્નકર્તા ઃ તમે જે કીધું કે, મેં પહેલાં પ્રશ્ન કર્યો કે આવતે જન્મ પણ જ્ઞાની મલશે ? તમે કીધું જરૂર મળે. ત્યારે કહે કે દાદા તો એમ કહે છે કે દસ લાખ વર્ષે જ જ્ઞાની તો આવે. તો પછી આવતા ભવમાં ક્યાંથી મળવાના જ્ઞાની ?
દાદાશ્રી : જેણે જેણે હિસાબ બાંધ્યો છે તેને તો આવે ને ! જેણે હિસાબ એમની જોડે બાંધ્યો છે. જ્યાં રાગ કર્યો તે છોડે કે ?! હું ના કહું તો ય છૂટે નહીં અને તમે ના કહો તો ય છૂટે નહીં. તેથી હું કહું છું ને, વાંધો ના રાખશો. ગભરાશો નહીં.
પ્રશ્નકર્તા : દાદા, ત્યારે આપણે આગળ કંઈ મળ્યા હોઈશું કે નહીં મળ્યા હોય ?
પ્રશ્નકર્તા : પ્રશસ્ત રાગનું કાર્ય શું ?
દાદાશ્રી : ત્યારે કહે, પ્રશસ્ત રાગ બીજી જગ્યાએથી, વિનાશી ચીજોમાંથી રાગ ઉઠાડે અને અવિનાશી તત્ત્વ પ્રગટયું છે જ્યાં તેની ઉપર એટલે જ્ઞાની પુરુષ ઉપર રાગ બેસવાથી એનો જલદી ઉકેલ આવી જાય છે.
પ્રશસ્ત રાગ બેઠાં પછી, આ બેસી રહેલો રાગ પાછો ઉખડી જાય. આ બેઠાં પછી પાછું ઉખાડવાનું, ચૂલો સળગાવવાનો, ખાવાનું કરી રહ્યા પછી ઓલવવાનો. ખાવાનું થઈ રહ્યાં પછી ઓલવવાનું નહીં ?
દાદાશ્રી : હા, પરમાર્થિક રાગ અને સંસારી રાગ એ બેનાં સંબંધથી ભેગાં થયા છે. સંસારિક રાગ તો બધો હોય છે જ, પણ પરમાર્થે રાગ એ ય રાગ કહેવાય. અને એ રાગના આધારે પરમાર્થ પૂરો થાય. રાગ ના હોય તો ? વીતરાગ થઈ ગયો હોય તો મારી જોડે કશું તમારું કામ પૂરું થાય નહીં. એટલે આ છેવટે પરમાર્થ રાગ કહેવાય છે. એ પ્રજ્ઞાનો રાગ છે. કોઈ દા'ડોય બંધન ના આવવા દે અને મુક્તિ અપાવડાવે.
પ્રશ્નકર્તા: ઓલવી નાખવાનું.
દાદાશ્રી : ત્યારે ઓલવવાનો તો સળગાવ્યો શું કરવાં ? કહેશે. પ્રશસ્ત રાગ બેસાડ્યોને એટલે ઉતારવો પડ્યો. આ તમારો બેઠો નથી. તમારે બેસાડવાનો. બેસે એટલે પેલો બહારનો રાગ બંધ થઈ જાય, પૂરો થઈ