________________
પ્રશસ્ત રાગ
૧૪૩
૧૪૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
જ. આપણે બીજ રોપ્યું. મકાઈનો દાણો રોપીએ, પાણી નાખ્યું, બધું નાખ્યું પછી ડૂડો એની મેળે આવે ને કે આપણે મહીં બનાવવું પડે ?
જ્ઞાતી એ જ તારો આત્મા ! પ્રશસ્ત રાગ એટલે સર્વ દુઃખને મુક્ત કરનારો રાગ. સર્વ દુઃખનો, સંસારિક દુ:ખનો અભાવ કરનારો એ રાગ. એટલે દ્વેષ તમારે છૂટી ગયો છે પણ તમારો રાગ છૂટયો નથી. એ રાગ બધે ચોંટેલો છે ને, તે ત્યાંથી મારી પર બેસી જાય છે. પેલો રાગ દુઃખદાયી લાગે છે. એટલે કહેશે, ‘દાદા ઉપર રાગ છે તે ?” એ તો પ્રશસ્ત રાગ કહેવાય. જે રાગ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે ! અને રાગ એ જ્ઞાની પુરુષ પર બેસી જાય તો સારું ને ! પછી બધી ભાંજગડ છૂટી ગઈ !
અને કૃપાળુદેવે પાછો તાળો મેળવી આપ્યો કે સત્પુરુષ એ જ તારો આત્મા છે. એટલે આ પાણી ત્યાંનું ત્યાં જ જાય છે ! બધાં તાળાં મળે એવાં છે !
દાદાશ્રી : ઊડી ગયો. એટલે હવે તમને માથે પડ્યા જેવું લાગે. માન આપે તોય માથે પડ્યા જેવું લાગે.
પ્રશ્નકર્તા : હંઅ... એવું જ લાગે છે.
દાદાશ્રી : માન આપે તોય ના ગમે હવે તો. ચંદુભાઈને ‘ચંદુભાઈ સાહેબ, અમારે ત્યાં પધારો, પધારો તોય તમને મહીં ના ગમતું હોય. કહેશે, આ શું વળી પાછી ડખલ ? અને પહેલાં જે મીઠું લાગતું હતું, એ અત્યારે ના ગમે.
વીતરાગ પ્રતિ પ્રસ્થાન ! પ્રશ્નકર્તા : રાગથી શું થાય ?
દાદાશ્રી : મૂછ થાય. મૂર્છા, બેભાનપણું ! એ રાગનું ફળ બેભાનપણે હોય અને દ્વેષનું ફળ ભય. આ બે જાય ત્યારે વીતરાગ થાય. ત્યાં સુધી વીતરાગ ના થાય. આપણા મહાત્માઓ વીતરાગ થવાને માટે તૈયારી કરી રહ્યા છે. કોઈ પૂછે કે કંઈક થયા છે ? ત્યારે કહે, હા, થયા છે ખરાં. વીતષ થયા છે.
હવે વીતરાગ થવાનું છે. બે હતું, તેમાં એક ઓછું થયું. ત્યારે કહે, વીતદ્વેષ થયા પછી રાગ ક્યાં રહ્યો ? ત્યારે કહે, જ્ઞાની ઉપરનો રાગ થાય. જ્ઞાની ઉપર, મહાત્માઓ ઉપર, તે આ સંસારમાંથી રાગ ઉઠ્યો ને અહીં પેઠો. પણ આ રાગ પ્રશસ્ત રાગ કહેવાય છે.
એ પ્રશસ્ત રાગ વીતરાગતાનું કારણ છે. આ એકલો જ રાગ એવો છે કે જે વીતરાગ બનાવે. આપણા આ બધા મહાત્માઓની ઉપર તમને રાગ બેઠો કે નથી બેઠો ?
પ્રશ્નકર્તા : બેઠો.
દાદાશ્રી : જ્ઞાની પુરુષ ઉપર બેસે, મહાત્માઓની ઉપર બેસે એ રાગ હિતકારી રાગ કહેવાય છે. એ પ્રશસ્ત રાગનું ફળ શું, ત્યારે કહે, વીતરાગ. આનું ફળ જ આવશે. એમ ને એમ, બીજું કશું કરવાનું નહીં, આનું ફળ
જ્ઞાત મળતાં જ દાદા પર રગ !
પ્રશ્નકર્તા : દાદા, આપે કહ્યું ને કે ગૌતમ સ્વામીનું કેવળજ્ઞાન એ પ્રશસ્ત રાગને લીધે જ અટક્યું'તું !
દાદાશ્રી : હા. બીજું શું ત્યારે ? એ રાગથી અટકે તો વાંધો નહીં. એ પાંચ જન્મ સુધી એ રાગથી અટકે તો ય વાંધો નહીં. આ રાગના જેવો તો રાગ જ નથી દુનિયામાં. બીજું ભૂત ના પેસેને સંસારનું ! અને આ રાગ તો બહુ હિતકારી, પણ એ રાગ બેસે જ નહીં ને ! આ બેસવો મુશ્કેલ છે !! આ તો આ અક્રમ વિજ્ઞાન છે, એટલે પેલું એકદમ ઠંડક થઈ જાય. એટલે તરત દાદા પર રાગ બેસી જાય, નહીં તો રાગ બેસે નહીં. બેસાડી બેસાડીને ચોંટાડીએ તો ય ચોંટે નહીં.
પ્રશ્નકર્તા : દાદા, આપની પાસે આવ્યા પછી લગભગ ઘણાંનો એવો અનુભવ થાય છે. અંદર શાંતિ થાય છે. એટલે પછી રાગ બેસે છે.