SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્ત રાગ એટલે બહુ થઈ ગયું આ. જાય ? ૧૪૧ પ્રશ્નકર્તા : પ્રશસ્ત રાગ જો આવ્યો તો બીજી વૃતિઓ સાવ તૂટી દાદાશ્રી : તૂટી જાય. એટલે અમે કહીએ ને પ્રશસ્ત રાગ કરજે બા. અને તે એકલો રાગ તે ઉઘાડો હઉ રાગ કરજે, બા ! એટલે વાંધો નહીં. આવાં ઉપકારી ઉપર પ્રશસ્ત રાગ ના થાય તો ક્યાં થાય ?! ગૌતમસ્વામીને પ્રશસ્ત રાગ શાથી હતો ભગવાનનો, કે ભગવાન મહાવીરનો ઉપકાર હતો. એ જબરજસ્ત ઉપકાર હતો. બોલાવીને મોક્ષમાર્ગ આપ્યો હતો. ગણધર પદ આપ્યું. પછી ભગવાને છોડાવવા માટે બહાર મોકલ્યા એ ઉપકાર હતો. પછી મહીં થયું કે આ આવડો મોટો પેસી ગયેલો રાગ. ‘તું પ્રમાદ છોડ છોડ.’ પછી ભગવાને ચમત્કાર કર્યો, બહાર મોકલ્યા ને પછી નિર્વાણ પામ્યા. એટલે તરત જ થયું કે ‘અરે ! આ મહીં ધ્રાસકો પડ્યો કે ભગવાન આવું કરે ! એમને એમ લાગ્યું કે આ ભગવાન એવું કાર્ય કરે ..... પછી જ્યારે ભગવાન તો આવી ભૂલ કરે નહીં. આ તો મારી ભૂલ થતી હોય. તપાસ કરી ને ખબર પડી કે ઓહોહો ! એ તો વીતરાગ હતા, પણ મને છે તે આ રાગ. એટલે મારો આ રાગ કાઢવા માટે ભગવાન કહીને ગયા. એટલે કેવળજ્ઞાન થઈ ગયું, કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું. આટલા હારુ અટકેલું હોય. પ્રશ્નકર્તા : દાદા, અમારો ય પછી પ્રશસ્ત રાગ છેવટની ઘડી જતો રહેવાનો ? છેવટે જતો રહેવાનો ને ? દાદાશ્રી : છૂટી જવાનો ત્યાં. ત્યાં છે તો સીમંધર સ્વામીના દર્શન કરશોને તેની સાથે બધું ઊખડી જાય. આ તો ઉપરનું ઊંચું દર્શન કરવાનું મળે અહીં આગળ, તો હમણે ય ઊખડી જાય. પ્રશ્નકર્તા : પણ સીમંધર સ્વામી પાસે જવા માટે આ રાગ તો અમારે ચોંટાડી રાખવો પડશે ને ? ૧૪૨ જાય. આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) દાદાશ્રી : એ તો ચોંટીને રહે જ. એ ઉખાડો તો ય ના ઉખડે. પ્રશ્નકર્તા : પછી ત્યાં સીમંધર સ્વામી પાસે જઈએ ત્યારે ભલે ઊખડી દાદાશ્રી : એની મેળે ઊખડી જશે. એ તો તમારે કશી આ લેવાદેવા નહીં. બહારનું ઊખડી જવું જોઈએ. પ્રશ્નકર્તા : અહીંયા ચોંટે તો પછી બહારનું ઊખડી જ જવાનું. દાદાશ્રી : બહારનું ચોંટેલું હોયને તો પાછું એક અવતાર કરવા આવવું પડશે, એ આપણે ચૂકી જઈએ ! ભગવાને ય વખાણ્યો પ્રશસ્ત રાગને ! પ્રશ્નકર્તા : એટલે દાદાનો રાગ થઈ જાય, એ રાગ તો જરૂરનો છે. દાદાશ્રી : એ તો થાયને ! એ રાગ તો કામનો છે. એ રાગ તો નિરાલંબ થતાં સુધી કામનો છે. એ અવલંબન છે, છેલ્લું અને આ રાગ તો અહીં થાયને એટલે બીજી જગ્યાએથી બંધ થઈ જાય. એક જ જગ્યાએ હોય માણસ. અહીં હોય તો ત્યાં ના હોય. ત્યાં હોય તો અહીં ના હોય. પ્રશ્નકર્તા : દાદા, એવું જ થાય છે. એવું જ થયું છે હવે તો. અહીંયા રાગ થયો છે એટલે બીજો રાગ બધો ઊડી જ જાય છે. દાદાશ્રી : એટલા માટે ભગવાને પણ આ પ્રશસ્ત રાગને વખાણ્યો બીજા રાગો ઊડી જાય. પ્રશ્નકર્તા : દાદા, પણ તોય વ્યવહારમાં રહીએ છીએ તો એમ થાય કે કોઈ ખેંચે છે આપણને, ખેંચાવું પડે છે. દાદાશ્રી : ખેંચાવાનો કશો અર્થ નથી. એ નિકાલી બાબત છે. પ્રશ્નકર્તા : ના. પણ એ પહેલાં રાગ હતોને ત્યાં.
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy