________________
પ્રશસ્ત રાગ
એટલે બહુ થઈ ગયું આ.
જાય ?
૧૪૧
પ્રશ્નકર્તા : પ્રશસ્ત રાગ જો આવ્યો તો બીજી વૃતિઓ સાવ તૂટી
દાદાશ્રી : તૂટી જાય. એટલે અમે કહીએ ને પ્રશસ્ત રાગ કરજે બા. અને તે એકલો રાગ તે ઉઘાડો હઉ રાગ કરજે, બા ! એટલે વાંધો નહીં.
આવાં ઉપકારી ઉપર પ્રશસ્ત રાગ ના થાય તો ક્યાં થાય ?! ગૌતમસ્વામીને પ્રશસ્ત રાગ શાથી હતો ભગવાનનો, કે ભગવાન મહાવીરનો ઉપકાર હતો. એ જબરજસ્ત ઉપકાર હતો. બોલાવીને મોક્ષમાર્ગ આપ્યો હતો. ગણધર પદ આપ્યું. પછી ભગવાને છોડાવવા માટે બહાર મોકલ્યા એ ઉપકાર હતો. પછી મહીં થયું કે આ આવડો મોટો પેસી ગયેલો રાગ. ‘તું પ્રમાદ છોડ છોડ.’ પછી ભગવાને ચમત્કાર કર્યો, બહાર મોકલ્યા ને પછી નિર્વાણ પામ્યા. એટલે તરત જ થયું કે ‘અરે ! આ મહીં ધ્રાસકો પડ્યો કે ભગવાન આવું કરે ! એમને એમ લાગ્યું કે આ ભગવાન એવું કાર્ય કરે ..... પછી જ્યારે ભગવાન તો આવી ભૂલ કરે નહીં. આ તો મારી ભૂલ થતી હોય. તપાસ કરી ને ખબર પડી કે ઓહોહો ! એ તો વીતરાગ હતા, પણ મને છે તે આ રાગ. એટલે મારો આ રાગ કાઢવા માટે ભગવાન કહીને ગયા. એટલે કેવળજ્ઞાન થઈ ગયું, કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું. આટલા હારુ અટકેલું હોય.
પ્રશ્નકર્તા : દાદા, અમારો ય પછી પ્રશસ્ત રાગ છેવટની ઘડી જતો રહેવાનો ? છેવટે જતો રહેવાનો ને ?
દાદાશ્રી : છૂટી જવાનો ત્યાં. ત્યાં છે તો સીમંધર સ્વામીના દર્શન કરશોને તેની સાથે બધું ઊખડી જાય. આ તો ઉપરનું ઊંચું દર્શન કરવાનું મળે અહીં આગળ, તો હમણે ય ઊખડી જાય.
પ્રશ્નકર્તા : પણ સીમંધર સ્વામી પાસે જવા માટે આ રાગ તો અમારે ચોંટાડી રાખવો પડશે ને ?
૧૪૨
જાય.
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) દાદાશ્રી : એ તો ચોંટીને રહે જ. એ ઉખાડો તો ય ના ઉખડે. પ્રશ્નકર્તા : પછી ત્યાં સીમંધર સ્વામી પાસે જઈએ ત્યારે ભલે ઊખડી
દાદાશ્રી : એની મેળે ઊખડી જશે. એ તો તમારે કશી આ લેવાદેવા નહીં. બહારનું ઊખડી જવું જોઈએ.
પ્રશ્નકર્તા : અહીંયા ચોંટે તો પછી બહારનું ઊખડી જ જવાનું. દાદાશ્રી : બહારનું ચોંટેલું હોયને તો પાછું એક અવતાર કરવા આવવું પડશે, એ આપણે ચૂકી જઈએ !
ભગવાને ય વખાણ્યો પ્રશસ્ત રાગને !
પ્રશ્નકર્તા : એટલે દાદાનો રાગ થઈ જાય, એ રાગ તો જરૂરનો છે.
દાદાશ્રી : એ તો થાયને ! એ રાગ તો કામનો છે. એ રાગ તો
નિરાલંબ થતાં સુધી કામનો છે. એ અવલંબન છે, છેલ્લું અને આ રાગ તો
અહીં થાયને એટલે બીજી જગ્યાએથી બંધ થઈ જાય. એક જ જગ્યાએ હોય માણસ. અહીં હોય તો ત્યાં ના હોય. ત્યાં હોય તો અહીં ના હોય.
પ્રશ્નકર્તા : દાદા, એવું જ થાય છે. એવું જ થયું છે હવે તો. અહીંયા રાગ થયો છે એટલે બીજો રાગ બધો ઊડી જ જાય છે.
દાદાશ્રી : એટલા માટે ભગવાને પણ આ પ્રશસ્ત રાગને વખાણ્યો બીજા રાગો ઊડી જાય.
પ્રશ્નકર્તા : દાદા, પણ તોય વ્યવહારમાં રહીએ છીએ તો એમ થાય કે કોઈ ખેંચે છે આપણને, ખેંચાવું પડે છે.
દાદાશ્રી : ખેંચાવાનો કશો અર્થ નથી. એ નિકાલી બાબત છે. પ્રશ્નકર્તા : ના. પણ એ પહેલાં રાગ હતોને ત્યાં.