________________
પ્રશસ્ત રાગ
૧૩૯
૧૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
દાદાશ્રી : કપટવાળો લોભ નહીં. ખરો રાગ છે તે કપટને ને લોભને બે ભેગું કરાય છે. આ પ્રશસ્ત રાગ તે લોભ એકલો જ.
પ્રશ્નકર્તા મોક્ષ માટેનો લોભ.
દાદાશ્રી : લોભ.
નથી. એમાં સંસારી ભાવ નથી, ભૌતિક નથી.
પ્રશસ્ત રણ અને પ્રશસ્ત મોહ ! આ તો પ્રશસ્ત રાગ તો નિરંતર રાખવા જેવો છે. પ્રશસ્ત એટલે માઠો નહીં તેવો રાગ, હિતકારી. જ્ઞાનીઓએ વખાણ્યો છે એવો. અને અપ્રશસ્ત એટલે માઠાં, સંસારમાં ભટકાવનારાં.
પ્રશ્નકર્તા : રાગ અને પ્રશસ્ત રાગમાં શું ફેર ?
દાદાશ્રી : પ્રશસ્ત રાગ મોક્ષમાં લઈ જનારો રાગ અને આ રાગ સંસારમાં ડૂબાડનારો. ભૌતિક સુખને માટે જે રાગ થાય એ રાગ કહેવાય અને ભૌતિક છોડવા માટેનો જે રાગ મૂકાય એ પ્રશસ્ત રાગ.
પ્રશ્નકર્તા : પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત મોહમાં શું ફરક?
દાદાશ્રી : પ્રશસ્ત રાગ ખસી શકે, ધોવાઈ જાય. મોહ જરા ધોવાતા વાર લાગે. રાગ ચોંટાડેલી વસ્તુ અને મોહ ચોંટેલી વસ્તુ. પછી આ તો છૂટી જાય, આ રાગ પછી ચીકાશ નથી હોતી. પ્રશસ્ત રાગમાં ચીકાશ હોય કોઈ જગ્યાએ ? સંસારી રાગ ચીકાશવાળો હોય અને પ્રશસ્ત રાગ ચીકાશવાળો ના હોય.
પ્રશ્નકર્તા: આ મહાત્માઓને જગત કલ્યાણની ભાવના થયા કરે છે, અંદર રહ્યા કરે એ શું છે ?
દાદાશ્રી : એટલે એનો અર્થ એટલો કે જેનું પોતાનું કલ્યાણ થાય તેને જ એવો વિચાર આવે. નહીં તો વિચાર કોઈને આવેલો નહીં આ દુનિયામાં. બીજાને તો આ વિચાર જ શેનો આવે ? મૂઆ, એના જ ઘરમાં ડખો પાર વગરનો ! એક કૃપાળુદેવને આવેલા બાકી આપણા સાધુસંન્યાસીને ય નહીં. કારણ કે એ એના શિષ્યથી જ કંટાળી ગયેલા હોયને,
પ્રશ્નકર્તા : એ પણ લોભ કહેવાય, એ જગત કલ્યાણના જે ભાવ આવે ?
જ્ઞાતીની ભક્તિ એ શુદ્ધ લોભ ! પ્રશ્નકર્તા : દાદા તરફ ભક્તિના ભાવ થાય, ઉમળકો આવે, એને શેમાં મૂકશું ? ક્રોધ-માન-માયા-લોભમાં શેમાં મૂકશું ?
દાદાશ્રી : એ છે તે લોભમાં જાય. લોભ એકલામાં જ.
દાદાશ્રી : હા. એ પણ લોભને. એક પ્રકારનો રાગ છે ને, પ્રશસ્ત રાગ. પોતાનું કલ્યાણ થયેલું હોય તે એવું ખોળે. હવે આ છોકરાઓ બ્રહ્મચારીઓ બધાં તે આખો દહાડો એ જ કરે છે. ઓહોહો... આવાં માણસો નથી. લોકો આફ્રિન થઈ જાય એમને જોઈને. કારણ કે જેને કશું જોઈતું નથી, કશું જેને લાભ ઉઠાવવો નથી !
પ્રશ્નકર્તા : દાદા, તો આ મહાત્માઓને અત્યારે તો આવો લોભ હોય એ સારું ને ? આ પ્રશસ્ત રાગવાળો લોભ ?
દાદાશ્રી : આ લોભ કરવાથી, પેલા બધામાંથી તમારી વૃતિઓ બધી ઊઠી જશે અને વૃતિ એક જ જગ્યાએ ચોંટશે. દાદાની ઉપર ચોંટશે તો દાદા આપણને આવતે ભવ કામ આવશે, એમાં શું બગડી ગયું ! માટે પેલી વૃતિઓ ઊઠી જાય, આ બીજી જગ્યાએ વૃતિઓ બહુ ના જાય.
પ્રશ્નકર્તા : એ પ્રશસ્ત રાગ નહીં, દાદા ? આ ક્રોધ-માન-માયલોભમાં કઈ રીતે આવે ? પ્રશસ્ત રાગ થયોને મહાત્માને.
દાદાશ્રી : એટલે લોભને ? પ્રશ્નકર્તા : લોભ, બરોબર છે.