SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) દાદાશ્રી : એ પ્રેમ પણ પ્રશસ્ત રાગ કહેવાય છે. એ જો થઈ ગયો તો થઈ રહ્યું. પ્રશ્નકર્તા : પ્રશસ્ત રાગનો શબ્દાર્થ શું છે એ સમજાવો. દાદાશ્રી : એ તો બહુ ઊંચા પ્રકારનો રાગ છે. એ બંધન ના થાય એવો રાગ કહેવાય છે. જેનું ફળ બંધન ના આવે. બીજા બધાં રાગથી બંધન થાય, આ રાગ મુક્તિ આપે. નિરંતર દાદા ભૂલાય નહીં એ પ્રશસ્ત રાગ. નિરંતર દાદા ના ભૂલાય એવું થાય છે કોઈને ? આંગળી ઊંચી કરો જોઈએ. એક-બે-ત્રણ.... બધાને થાય છે એવું ?! શું વાત છે ? એ નિરંતર ભૂલાય નહીં. દાદાને ના ભૂલાય એ આત્માને ના ભૂલ્યા બરાબર થાય. કારણ કે એ જ્ઞાની પુરુષ એ જ પોતાનો આત્મા છે. પ્રશ્નકર્તા: આપની પાસે ના આવીએ તો લાગે કે કંઈક ખૂટ્યા [૨૪] પ્રશસ્ત રાણ નિરંતર ભૂલાય તો તે પ્રશસ્ત રાગ ! પહેલાં વીતદ્વેષ થાય પછી વીતરાગ થાય. વીતષ ઉત્પન્ન થયા પછી રાગ એકલો રહે. રાગ પછી જ જાય એવો એનો સ્વભાવ છે. કારણ કે રાગ છેવટે અહીંથી ઊઠ્યો હોય પુદ્ગલમાંથી, તો જ્ઞાની પુરુષ ઉપર એ બેસે. તે રાગ પણ કેવો ? પ્રશસ્ત રાગ. જે જ્ઞાનીએ જ્ઞાન આપ્યું હોય તે જ્ઞાની ઉપરનો રાગ અગર તો શાસ્ત્રો દેખાડ્યા હોય તો શાસ્ત્ર ઉપરનો રાગ. એટલે આત્મા સંબંધીના જે સાધનો છે, તેમાં રાગ રહ્યો તે પ્રશસ્ત રાગ, અને તે રાગ ધીમે ધીમે કમી થઈ અને છેવટે પછી રાગ જાય ત્યારે વીતરાગ થાય. જ્ઞાની પુરુષ અને બધા ઉપર બેસે તે ય રાગ પછી છેવટે કાઢવો જ પડશે ને જ્યારે-ત્યારે ? દાદાશ્રી : જ્યાં સુધી પોતાના આત્માનો સ્પષ્ટ અનુભવ નથી ત્યાં સુધી જ્ઞાની પુરુષ એ જ પોતાનો આત્મા છે અને જો એમની પાસે રહ્યો તો બધું આવી ગયું. બહુ સહેલી વાત છે ને ! કંઈ અઘરી નથી. જ્ઞાતી માટે ઘેલછા ! પ્રશ્નકર્તા: જ્ઞાનીને જો જ કરવાથી મુક્તિ મળે એટલે શું પણ ? દાદાશ્રી : જેને જુએ તે રૂપ થઈ જવાય. નિરીક્ષણ કર્યા કરો તે રૂપ થઈ જવાય. પ્રશ્નકર્તા ઃ તો રાગ હોય તો ષ હોય એવું નહીં, દાદા ? દાદાશ્રી : એ પૌગલિક રાગ હોય તો દ્વેષ હોય. આને પ્રશસ્ત રાગ કહેવાય છે, એને દ્વેષ ના હોય. પ્રશસ્ત રાગ એ દ્રષવાળો ના હોય. આ રાગ અજાયબ રાગ છે અને જે રાગ જ મોક્ષ આપે. પ્રશસ્ત રાગ જ્ઞાની પુરુષ પર હોય. પ્રશ્નકર્તા : બીજાને સામાન્યરૂપે જોઈએ છે તો અંદર શુદ્ધાત્મા ભાવ દેખાય છે. તમારામાં એ વિચાર જ નથી આવતો. તમારા શરીરમાં જ મન ચોંટી જાય છે. પ્રશ્નકર્તા : તે રાગ નથી પણ પ્રેમ છે. દાદાશ્રી : આ આખો જ દેહ સાથે શુદ્ધાત્મા કહેવાય.
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy