________________
વીતષ
૧૩૩
૧૩૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
મને કહેવું કે એટેકના મને વિચારો આવે છે. તે વિચાર ભલે આવતાં હોય, પણ તારા પોતાનો એટેક નથી ને ? ત્યારે કહે, ના, નથી. તો એમાં કશું નહીં.
દાદાશ્રી : તો એ રાગ ના કહેવાય. રાગમાં તો પોતાની ઇચ્છા પ્રમાણે થાય. અને પોતાની ઇચ્છા ના હોય અત્યારે. અમે આ જ્ઞાન આપ્યા પછી આ બધાને સ્ત્રીઓ છે પણ ઇચ્છા વગરનું હોવું જોઈએ, આકર્ષણ
પૂરતું જ !
તારા ભાવમાં એટેક નથી તો તે મહાવીર જ છું, શાસ્ત્રો કહે છે. તે જ્યારથી મારા એટેક બંધ થઈ ગયા ત્યારથી મારી જાતને મહાવીર જ માનતો'તો, હું કહું નહીં એટલું જ. ભગવાને કહ્યું છે તે જ વસ્તુ હશે, મારી પાસે બીજી વસ્તુ ખોળવાની રહી નહીં. એટેક બંધ થઈ ગયેલો માણસ આ વર્લ્ડમાં ખોળી કાઢો, હોઈ શકે નહીં. જરાક આમ ‘મેરેક', ‘હમકુ’ આ ‘હમકાના લીધે મૂઆ અહીંથી ટળતું નથી. ‘હમકુ’ ટળે ને તો બધું જ દુનિયા ટળી જાય. એવો કોઈ ઉપદેશક નથી કે જે એટેક બંધ કરી શક્યો હોય.
રાગ-દ્વેષતા ભોગવટાનો અનોખો હિસાબ ! પ્રશ્નકર્તા: રાગ જેમાં હોય તે પછી શ્રેષથી ભોગવવું પડે અને ષ જેમાં હોય તે પછી રાગથી ભોગવવું પડે. આ સૂત્ર જરા સમજાવો.
દાદાશ્રી : રાગ તો એમ ને એમ થાય નહીં કોઈ દહાડો ય. રાગ તો કંઈક ઝટકો-બટકો વાગ્યો હોયને ત્યારે થાય. કોઈ મિત્ર જોડે કંઈ બાબતમાં અબોલા થયા હોય, તે એ અબોલા છ મહિના-બાર મહિના રહે તો બહુ રાગ ઉત્પન્ન થાય એમાં. એ જ્યારે ફરી બોલવાનું થાય ત્યારે ભેટે મૂઆ. હવે દ્વેષથી અબોલા થયા હતાં અને શ્રેષમાંથી રાગ જે જભ્યો જમ્યો. તે છેવટે ભેટીને તે એટલી બધી એકતા આવી જાય છે ભાઈબંધીની, મિત્રાચારીની કે ન પૂછો વાત ! એવી રીતે આ જગત બધું ચાલે છે.
તમારો હિસાબ હોય ત્યાં જ આકર્ષણ થાય. રાગ કોનું નામ કહેવાય કે આપણે ખુશ થઈને આકર્ષણ ઊભું કરીએ. અને આ રાગ નહીં એનું શું કારણ કે તમારી ઈચ્છા નથી છતાં આકર્ષણ થાય છે. એવું બને કે ના બને ?
પ્રશ્નકર્તા: બને, બને.
વૈષ વિકર્ષણ છે અને રાગ આકર્ષણ છે. આકર્ષણ-વિકર્ષણ થયા જ કરે, એ પુદ્ગલનો સ્વભાવ છે. આત્મસ્વભાવ તેવો નથી.
આ છે સંપૂર્ણ વિજ્ઞાન ! જ્ઞાની પુરુષને મળ્યાને ત્યારથી જ વીતદ્વેષ કર્યા છે. પછી જેમ જેમ ફાઈલોનો નિકાલ થયે વીતરાગ થતાં જાય અને સર્વસ્વ ફાઈલોનો નિકાલ થઈ ગયો એ વીતરાગ થઈ ગયો. એવાં જ્ઞાની પુરુષ સંપૂર્ણ વીતરાગ હોય. એક-બે અંશ જરા કચાશ હોય, બાકી સંપૂર્ણ વીતરાગ !
વીતરાગતા જેમ જેમ વધતી જતી હોય, તેટલી રાગ-દ્વેષ રહિતતા થાય. અને તેટલો મોક્ષ આપણને સમજાતો થાય, પૂર્ણ દશા ઉત્પન્ન થતી જાય. સંપૂર્ણ વીતરાગતા એ ભગવાન કહેવાય.
આ વૈજ્ઞાનિક ઢબ છે આપણું આ બધું ! સંપૂર્ણ વિજ્ઞાન છે આ તો ! આખું ય વિજ્ઞાન છે. આ સત્યાવીસ વર્ષથી હું બોલું છું બધું, સંપૂર્ણ વિજ્ઞાન છે. શબ્દ શબ્દ વિજ્ઞાન છે. વિજ્ઞાનને સિદ્ધાંત કહેવાય.