SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ વીતદ્વેષ ૧૨૯ ૧૩) આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) રૌદ્રધ્યાન એ દ્રષ છે. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન એ દ્વેષ કહેવાય કે રાગ કહેવાય ? આ દ્વેષ છે એ તો. જ્યાં રાગ હોય ત્યાં રૌદ્રધ્યાન હોય ? રાગ હોય તે વખતે રૌદ્રધ્યાન ના હોય. દ્વેષ હોય ત્યાં રૌદ્રધ્યાન હોય. વીતદ્વેષ કેમ નહીં ? વીતદ્વેષ થયા પણ વીતરાગ થયો નથી ને ! ત્યારે પછી આ રાગ જાય. હવે એ રાગ શી રીતે જાય ? એવું છે ને, કડવું છોડી દો ખરાં અને કડવાં ઉપર તમે ષ છોડી દો. પણ ગળ્યું છોડી દેતાં તમને વાર લાગશે અને એના પર રાગ જતાં ય વાર લાગશે. કડવું છોડી દેતાં સહુ કોઈને આવડે અને ગળ્યું છોડી દેતા ? પ્રશ્નકર્તા : એ વાર લાગે, બરોબર. દાદાશ્રી : હવે એટલે એવું કહ્યું કે કડવું છૂટયું છે એ જ મોટામાં મોટું જોખમ હતું દૈષનું. પ્રશ્નકર્તા : એટલે મૂળ દ્વેષમાંથી ઊભું થયું હોય ? દાદાશ્રી : મૂળ દ્વેષમાંથી ઊભું થયું છે. આ બધું. અને એનાથી આગળ જઈએ તો વેરમાંથી ઊભું થયું છે. એટલે મૈત્રી થાય તો કામ થાય, નહીં તો વેર રહેશે ત્યાં સુધી બાંધશે. આટલી જો ચોવીસ તીર્થકરોની એક જ વાત સમજે તો જગતનું કલ્યાણ થઈ જાય. આ એક જ વાત, ચોવીસ તીર્થંકરોની કે ‘વીતદ્વેષ થાવ !' પ્રશ્નકર્તા : બહુ મોટી વાત છે. દાદાશ્રી : હા. બહુ ઊંડી વાત છે, કોઈક ફેરો આવી વાત નીકળી જાય. વીતષ ને વીતરાગ ! વીતષ તો જગતે સાંભળ્યો જ નથી ને શબ્દ ! પ્રશ્નકર્તા : અને જાય તો પણ પહેલાં દ્વેષ જાય ને પછી રાગ જાય. દાદાશ્રી : હા. દ્વેષ પહેલો જાય. દ્વેષ પહેલો જવો જ જોઈએ. એ ના જાય, તો પછી મોક્ષ થાય નહીં. ગમે કેટલાં રાગ કાઢશે તો ય દા'ડો વળશે નહીં. ચંદુ'માં રાગ તો સ્વરૂપમાં દ્વેષ ! ‘હું ચંદુલાલ છું’ એ જ આરોપિત જગ્યાએ રાગ છે અને બીજી જગ્યાએ ટ્વેષ છે. એટલે કે સ્વરૂપમાં દ્વેષ છે, એક બાજુ રાગ હોય તો તેની સામી બાજુએ, સામે ખૂણે દ્વેષ હોય જ. અમે સ્વરૂપનું ભાન કરાવીએ, શુદ્ધાત્માનું લક્ષ બેસાડીએ, એટલે તે જ ક્ષણે તે ‘વીતષમાં આવ્યો અને જેમ જેમ આગળ વધ્યો તેમ તેમ વીતરાગ થતો જાય. વીતરાગ એટલે મૂળ જગ્યાનું, સ્વરૂપનું જ્ઞાન-દર્શન તે. થયાં વીતદ્વેષ, જ્ઞાત મળતાં જ ! પ્રશ્નકર્તા : આ વીતરાગ જે છે, એમને રાગ ના જ હોય પણ આપના પ્રત્યે અમને રાગ છે. દાદાશ્રી : મારી જોડે રાગનો વાંધો નથી. પ્રશ્નકર્તા: એટલે અહીંયા આવવાનું મન થઈ આવે. દાદાશ્રી : મારી જોડે તો રાગ હોય જ. પ્રશ્નકર્તા તો વીતરાગ એટલે શું ? દાદાશ્રી : વીતરાગ એટલે, વીતરાગને ખરી રીતે જોવા જતાં એવું બોલવું જોઈએ કે વીતરાગ-દ્વેષ. પણ વીતરાગ કેમ કહે છે ? ત્યારે કહે છે, એમને આત્માની જ્યારે જાગૃતિ થઈ ગઈ, સમ્યક્દર્શન થઈ ગયું. લાયક સમ્યક્દર્શન તે વખતે વીતદ્વેષ તો થઈ જ જાય છે. અમે તમને જ્ઞાન આપીએને ત્યારે વીતષ એટલે તમારામાં દ્વેષ નામની વસ્તુ ખસી જાય છે. દ્વેષ ચાલ્યો જાય. એટલે ક્રોધ થાય એ તમને ગમે નહીં. એના તરફ તિરસ્કાર થાય તો ગમે નહીં. એ બધું જેને દ્વેષ કહેવામાં આવે છે, જેને તિરસ્કાર કહે છે એ ના હોય. એટલે વીતદ્વેષ તો થઈ ગયા છો.
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy