SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ રિયલ-રિલેટિવની ભેદરેખા ! પ૯ ૬૦ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) તો ચાલે. પણ આ લોકોને એટલી બધી જાગૃતિ હોતી નથીને ? બહુ જાગૃતિવાળાને તો કશું જ કરવાનું નથી. હેન્ડલેય મારવાની જરૂર નથી. આ તો બધું સહજ રહે જ ! આત્મદ્રષ્ટિની અસર સ્વતે જ ! ભેંસને, ગધેડાને, બધાંને શુદ્ધ જ જોશો તો તમને શુદ્ધતાનો લાભ મળશે. તમે ભેંસ જોશો તોય ચાલી જશે અને તેને શુદ્ધાત્મા જોશો તોય ચાલી જશે. હમણે કોઈ માણસ હોય, આપણે એના શુદ્ધાત્મા જોઈએ તોય ચાલ્યો જશે અને ‘નાલાયક છે, બદમાશ છે” એવું કહીશું તોય ચાલ્યો જશે. ગમે તેવી દ્રષ્ટિ તમારી હશે, તેની તો સામાને પડેલી નથીને! પ્રશ્નકર્તા : પણ આપણા આત્માના જે ભાવ હોય, તે સામાનાં આત્માના ભાવને અસર ના કરે ? દાદાશ્રી : કશું ના અસર કરે. સામાને ને આપણે કશું લેવાદેવા જ નથી. ફક્ત જો લેવાદેવા હોય તો તમે પ્રતિક્રમણ કરો છો તે. પ્રતિક્રમણેય સમજાવું જોઈએ. કારણ કે આત્મા વીતરાગી સ્વભાવનો હોવાથી એ પ્રતિક્રમણ પહોંચે છે. એ અમારી જાત અનુભવીને મૂક્યું છે આ. તમનેય થોડા ઘણા અનુભવ તો થયા હશે ? આપણે શુદ્ધાત્મા છીએ અને એય શુદ્ધાત્મા છે. આપણે લૂગડાં જોડે શું લેવાદેવા ? લૂગડાં તો રેશમીય હોય ને કકરાય હોય. આ શરીર એ તો બધાં લૂગડાં છે ! આ છે પુણિયા શ્રાવકનું સામાયિક ! આ બધામાં શુદ્ધાત્મા જુઓ છો ? પ્રશ્નકર્તા : જોઉં છું પણ કોક વખત વિસ્મૃત થઈ જાય. દાદાશ્રી : કો'ક વખત વિસ્મૃત થઈ જાય એમ નહીં, પણ કો'ક વખત જુઓ છો ખરાંને ? પ્રશ્નકર્તા : હા, જોઉં છું. દાદાશ્રી : એ જોવાનો અભ્યાસ કરે એટલે મહીં પુણિયા શ્રાવક જેવું સામાયિક થાય. આખો દહાડો સમાધિ રહે ! એક કલાક આમ બહાર નીકળ્યા, શુદ્ધાત્મા જોતાં જોતાં જઈએ, તો કોઈ વઢે આપણને કે શું જુઓ છો ! આ આંખે રિલેટિવ દેખાય, અંદરની આંખથી શુદ્ધાત્મા દેખાય. આ દિવ્યચક્ષુ છે. તમે જ્યાં જોશો ત્યાં દેખાશે. એનો પણ અભ્યાસ પહેલો કરવાનો, પછી સહજ થઈ જશે. પછી એમ ને એમ સહેજા સહેજ દેખાયા કરશે. પહેલો અભ્યાસ કરવો પડેને ? અભ્યાસ પહેલાંનો તો અવળો હતો. એટલે આનો અભ્યાસ કરવો પડે ને ? એટલે થોડા દહાડા હેન્ડલ મારવું પડે. પાંચ વાક્યોમાં રહેવાય તેટલું અવશ્ય રહેવું જ અને ના રહેવાય તો મહીં ખેદ રાખવો થોડો ઘણો, કે એવાં તે મહીં શું કર્મના ઉદય લાવ્યા કે મહીં આપણને આજ જંપીને બેસવા નથી દેતાં ! દાદાની આજ્ઞામાં રહેવાને માટે, કર્મના ઉદય પાછા સહિયારા જોઈએ ને ? ના જોઈએ ? નહીં તો એક કલાક આમ હેડતાં હેડતાં, શુદ્ધાત્મા જોતાં જોતાં જવું. તે કલાક કાઢી નાખવો. હેડતાં-ચાલતાં પુણિયા શ્રાવકનું સામાયિક થઈ ગયું ! પ્રશ્નકર્તા : જેની સામાયિક ભગવાન મહાવીરે વખાણી, એમાં શું રહસ્ય છે, સમજાવો જરા. દાદાશ્રી : એ શુદ્ધ સામાયિક હતી. એવી સામાયિક મનુષ્યનું ગજુ જ નહીં ને ! શુદ્ધ સામાયિક, આ જેવું મેં તમને આપ્યું છે, એ દિવ્યચક્ષુ સાથેનું સામાયિક હતું. એ ઘરમાં રહે, બહાર ફરે તોયે પણ એનું શુદ્ધ સામાયિક, દિવ્યચક્ષુના આધારે એમને સામાયિક હતું. એ રૂ લઈ આવે. એની પુણિઓ કરીને પછી એને વેચે, એટલે પુણિયા શ્રાવક કહેવાતા’તા. પુણિઓ કાંતતી વખતે, એનું મન જે હતું, તે આની મહીં, તારમાં હતું અને ચિત્ત ભગવાનમાં હતું અને આ સિવાય બહાર બધું કશું જોતો-કરતો ન્હોતો. ડખલ કરતો જ હોતો. વ્યવહારમાં મન રાખતો'તો અને નિશ્ચયમાં ચિત્તને રાખતો'તો. તો એ ઊંચામાં ઊંચી સામાયિક કહેવાય !
SR No.008837
Book TitleAptavani 12 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy