________________
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
[૨] રિયલ-રિલેટિવની ભેદરેખા !
જ્ઞાત લીધા પછી.. પ્રશ્નકર્તા: રિયલ અને રિલેટિવ બે જુદું પાડ્યું, તો હવે જુદું પાડ્યા પછી શુદ્ધાત્માની પ્રગતિ કરવા માટે શું કરવાનું?
- દાદાશ્રી : એ જ આ જુદું પડ્યું ને, એટલે રિયલ એ પુરુષ છે અને રિલેટિવ એ પ્રકૃતિ છે. તે પુરુષ ને પ્રકૃતિ બે જુદા પડ્યા. એટલે આ પુરુષ પુરુષોત્તમ થયા જ કરે. નિરંતર થયા કરે, સ્વભાવથી જ થાય. પેલો વિભાવ હતો ને, ત્યાં સુધી વધી શકાતું ન હતું. પણ હવે સંપૂર્ણ પુરુષોત્તમ થઈને ઊભા રહેશે. ત્યારે કહે, એ માટે શું કરવાનું ? ત્યારે કહે, આ પાંચ આજ્ઞા છે તે પાળવી. એ સ્વભાવમાં રહેવા દેવાને માટે આ પાંચ આશા છે. સ્વભાવમાં રહે એટલે પછી આ એનું લાઈટ વધતું જ જાય ને પૂર્ણ પ્રકાશ થાય.
પામ્યા મહાત્માઓ ભેદજ્ઞાત ! રાત્રે જાગો છો ત્યારે શુદ્ધાત્મા છો એવું લક્ષ આવી જાય છે ને ?
દાદાશ્રી : કહેવાયને ! પામી જ ગયા, એમાં શંકા નહીં !
શુદ્ધાત્મા એ તથી શબ્દ સ્વરૂપ ! પ્રશ્નકર્તા : “શુદ્ધાત્મા છું' એની માળા કરવાની જરૂર ખરી ?
દાદાશ્રી : એ માળા કરવાની કશી જરૂર નથી. આત્માની માળાઓ ફેરવશો નહીં. માળા સ્વરૂપ નથી એ. શબ્દ સ્વરૂપ નથી એ. ‘હું શુદ્ધાત્મા છુંએ આપણને ખ્યાલમાં રહેવું જોઈએ, બસ. અને એ “શુદ્ધાત્મા છું' એવું લક્ષ રહે, એનું નામ શુદ્ધાત્માનું ધ્યાન કહેવાય. એ શુક્લધ્યાન વર્ત છે. કલ્યાણ થઈ ગયું, બીજું કશું હવે આઘુંપાછું કરવાની જરૂર નથી. પેલી ચોપડી-બોપડી વાંચો છો ? ચરણ વિધિ.
પ્રશ્નકર્તા : હા, બધી વાંચું છું.
દાદાશ્રી : વાંચજો. એટલું જ કરવાની જરૂર છે. બીજું આ શુદ્ધાત્મા જોવાના બધા લોકોમાં ! બહુ સારું રહે. આ તો બેસ્ટ વે છે.
પ્રશ્નકર્તા : હવે રોજ ચરણ વિધિ-નમસ્કાર વિધિ છે એ વાંચું છું.
દાદાશ્રી : હા. પણ આજ્ઞા પાળોને, તો બહુ સુંદર રહેશે. આજ્ઞા એની વાડ છે, નહીં તો કોહવાઈ જાય બધું આ તો !
શરૂઆતમાં મારવું પડે હેડલ ! પ્રશ્નકર્તા : આજ્ઞાઓ ખ્યાલમાં હોય, પણ જે સહજભાવે થવી જોઈએ એ નથી થતી. એનું શું ?
દાદાશ્રી : તમારે એ ધ્યાન દેવાની જરૂર. બાકી સહજભાવે ના થાય એવું અઘરું નથી. બહુ સહેલામાં સહેલી છે વસ્તુ, પણ ટેવ પાડવી જોઈએ. એનો પહેલા અભ્યાસ કરવો પડે. અન્અભ્યાસ છે ! અન્અભ્યાસ એટલે આપણે રિયલ અને રિલેટિવ જોવાનો અભ્યાસ જ નથીને ! એટલે એક મહિનો તમે અભ્યાસ કરો પછી સહેજે થઈ જાય. એટલે પહેલાં હેન્ડલ મારવું પડે. આ રિયલ અને આ રિલેટિવ, એ બહુ જાગૃતિવાળો ના મારે
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એનું નામ સાક્ષાત્કાર કહેવાય. પ્રશ્નકર્તા ઃ એટલે દાદા, અમને આ ભેદજ્ઞાન પમાડ્યું કહેવાય ?