SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાની મહત્વતા આજ્ઞાથી જાય. એટલે અમે જ્ઞાન અને આજ્ઞા બેઉ આપીએ છીએ. જ્ઞાનીની આજ્ઞા મનનું શુદ્ધિકરણ કરે છે. સ્વરૂપજ્ઞાન મનને ગમે તે સંજોગોમાં સમાધાન આપશે. ૪૯ કિંચિત્માત્ર બુદ્ધિ તહીં તે જ્ઞાતી ! આપણાં પાંચ વાક્યોમાં બધું આવી જાય છે. આખા વર્લ્ડનું સાયન્સ આવી જાય છે. આ પાંચ આજ્ઞામાં એટલું બધું બળ છે કે ભગવાનનાં, તીર્થંકરોનાં પિસ્તાળીસેય આગમો, આ આજ્ઞામાં આવી ગયાં છે. પિસ્તાળીસ આગમો આવી જાય એવી આજ્ઞા આપી છે. તે નિરંતર આરાધે છે. આજ્ઞા પછી નિરંતર રાખવી જોઈએ. એક ક્ષણવાર ચૂકવી ના જોઈએ. અને આજ્ઞાનું આરાધન એ જ મોક્ષ. કારણ કે કોની આજ્ઞા ? તીર્થંકરોનું જે જ્ઞાન એ જ્ઞાનીની મારફત નીકળેલું અને જ્ઞાનીની આજ્ઞા એ મોક્ષ કહેવાય. જ્ઞાની તો હિન્દુસ્તાનમાં જોઈએ એટલા છે બધા. પણ એ જ્ઞાની કહેવાય નહીં. જેનામાં સહેજ પણ બુદ્ધિ હોય એ જ્ઞાની ના કહેવાય. બિલકુલેય બુદ્ધિ ના હોય એ જ્ઞાની કહેવાય. કોણ જ્ઞાની કહેવાય ? બુદ્ધિ ના હોય તે. દાદાતી આજ્ઞા એ જ સર્વસ્વ ! પ્રશ્નકર્તા : મારી બુદ્ધિ કે દેહશક્તિ એટલી નથી કે હું પ્રશ્નો ઊભા કરી શકું, મને તો દાદાનું શરણું મળી જાય તો બસ છે એટલું. દાદાશ્રી : હા, બધી વાત તો એવું છે ને કે આ વાત હવે બહાર કરીએ તો જરાય પહોંચે નહીં એ વાત, આ વાતો બહુ જુદી જાતની. આવી વાત હોય નહીં દુનિયામાં. આપણે ત્યાં જે વાતચીત થાય છે બધી, તે આત્મા ને પરમાત્માની વાત થાય છે. જ્યારે જગતમાં બહાર આત્મા અને પુદ્ગલની વાત ચાલે છે. એટલે અહીંની વાત ત્યાં બહાર હોય જ નહીંને ? આપણને વાત પહોંચે નહીં ને નકામા બોલ બોલ કરીએ, એનો શો અર્થ થાય ? સાંભળ સાંભળ કરવું અને શરણું લેવું. સમજણ ના પડે ને તો સારામાં સારું શરણું, કે જે દાદાનું થાય એ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) મારું થજો. દાદાના કહ્યા પ્રમાણે રહેવું. એ કહેશે, ઊભો થઈ જા, તો ઊભા થઈ જવું. એ કહેશે, ના પૈણીશ, ત્યારે કહે, નહીં પૈણું. એ કહેશે, બે પૈણ. ત્યારે કહીએ, બે પૈણીશું. ત્યાં એવો ડખો ના કરે કે સાહેબ, શાસ્ત્રમાં ના કહ્યું છે ને તમે બે પૈણવાનું કહો છો તે ? તો મોક્ષ માટે તું અનફીટ થઈ ગયો. ૫૦ જ્ઞાનીની આજ્ઞા આગળ શાસ્ત્રની તુલના ના કરાય. જ્ઞાની તો શાસ્ત્રના ઉપરી છે. જ્ઞાનના ય ઉપરી જ્ઞાની. એ જે આજ્ઞા કરે, એ આજ્ઞા પ્રમાણે ચાલવું. તેથી આપણે પાંચ આજ્ઞા આપીએ છીએને ? અઘરી બહુ છે નહીંને પાંચ આજ્ઞા ? પ્રશ્નકર્તા : માને તો અઘરી ય છે અને પળાય એવી ય છે. નિષ્ઠા રાખે બરોબર આપનામાં અને મનમાં એમ રાખે, દ્રઢ થઈ જાય કે મારે પાળવી જ છે, પછી બીજું કંઈ કરવાનું રહેતું નથી. પળાય પછી. દાદાશ્રી : અને ખાંડ એકલી ખાવાની ના કહી હોય ને તો ? આજ્ઞા આપી હોય કે ખાંડ ના ખાશો, તો શું કરે બધાં ? ના, પણ એ અઘરી પડે કે નહીં ? પ્રશ્નકર્તા : ના પડે. દાદાશ્રી : ખાંડ ખાશો નહીં એમ કહ્યું તો ? એક સંત પુરુષે આજ્ઞા આપેલી એના જેવાને કે તમારે ખાંડ ખાવાની નહીં. એટલે સંત પુરુષે જબરજસ્તી નહીં કરેલી. રાજીખુશી થઈને માગણી કરેલી કે મને આજ્ઞા કોઈ એક આપો. ત્યારે કહે, ‘શું તને ફાવશે ? આ તને ફાવશે ? આ ફાવશે ? ખાંડ ના ખાવાની તને ફાવશે ?’ ત્યારે કહે, ‘ખાંડ ના ખાવાની ફાવશે મને.’ તે આજ્ઞા લીધા પછી, ચાલીસ વર્ષ પછી મને ભેગા થયા. અમારે જોડે જમવા બેસવાનું થયું. ત્યારે પેલા માણસે જમવામાં શ્રીખંડ બનાવેલો. તે મને કહેવા માંડ્યો, મારે ખાંડની બાધા છે. એટલે હું જાણું કે હવે, શ્રીખંડ નહીં ખાય એ. તે શ્રીખંડ તો આવ્યો એમનો આટલો બધો અને મંગાવ્યો ગોળ ને ભેગો કરી ખાધું ! તોય વાંધો નહીં ! પછી એવું બોલ્યા બે-ત્રણ જણને કે ભઈ, કોઈ ખાંડની બાધા લેશો નહીં. મેં તો લીધી તે લીધી પણ ખાંડની બાધા કોઈ જગ્યાએ લેશો નહીં. તે એવી બાધા
SR No.008837
Book TitleAptavani 12 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy