SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આશાની મહત્વતા ૩૨ ચૂકી જવાય, તેને માટે તમે જોખમદાર નથી. આ દુષમકાળમાં આટલી બધી છૂટ આપે નહીં તો કોણ મોક્ષ પામે ? પ્રશ્નકર્તા: કો'કવાર આજ્ઞા ભૂલી જવાય ખરી, પણ અંતરમાં તો ખરું કે પાળવી જ છે. દાદાશ્રી : એ ભૂલી જવાય તેનું પ્રતિક્રમણ કરવું. હંમેશાં જેટલું માણસ ભૂલી જાય, તેમાં તેનો ગુનો નથી. ત્યારે મેં તમને ઉપાય બતાડ્યા છેને કે એ ભૂલી ગયા એવું યાદ આવે ત્યારે તમારે પ્રતિક્રમણ કરવું કે, ‘દાદા, મારે તો આજ્ઞા પળાઈ નહીં. બે કલાક તો સમૂળગા એમ ને એમ નકામાં ગયા. મને ક્ષમા કરજો. ફરી આવી ભૂલ નહીં કરું.’ એટલુંય જો બોલોને તો એ આખુંય બધું પાસ થઈ ગયું. હંડ્રેડ પરસેન્ટ માર્ક મૂકી દઈશું, નવ્વાણું નહીં કરવાના. પછી હવે વધારે શું જોઈએ ? આજ્ઞામાં રહો એટલે તમારાં કામો સહજ ભાવે નીકળ્યા જ કરે. તેમાં લોક કહે, ‘દાદા, તમારી કૃપાથી નીકળી ગયું.” અલ્યા, આમાં કૃપા ના હોય. કૃપા તો કો'ક દહાડો મુશ્કેલી હોય ત્યારે હોય. આ તો આજ્ઞામાં રહે તેથી સહજ ભાવે નીકળી જાય. આ તો વિજ્ઞાન છે. આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) અમારે તો અહીં કેટલાંય લોકોને જ્ઞાન આપ્યું છે, તે નિરંતર સમાધિમાં જ રહે છે. કારણ કે ડખો નહીંને ! એણે નક્કી કર્યું કે, જે વાત આપણે માનતા હતા એ વાત દાદાના કહેવાના હિસાબે બધી ખોટી નીકળી. માટે એ વાત બાજુએ મૂકી દો. અહીં કશું ના સમજતો હોય તો તેનો વહેલો ઉકેલ આવી જાય. જ્ઞાની પુરુષની પાંચ આજ્ઞામાં રહેવું પડે. પાંચ આજ્ઞા પાળે તો નિરંતર સમાધિ. અમે ગેરન્ટી બોન્ડ લખી આપીએ. નિરંતર સમાધિ રહે એવું છે ! આજ્ઞા પળાય છે કંઈક ? પ્રશ્નકર્તા : પળાય છે, પળાય. દાદાશ્રી : આજ્ઞા બધી પાળે ત્યારે કલ્યાણ થાય. કેટલી પાળી તે ? પ્રશ્નકર્તા: જેમ યાદ આવે એમ પાળું, દાદા. દાદાશ્રી : યાદ આવે ત્યારે ? પાંચ આજ્ઞા ધમધોકાર પાળો. હજુ જીવાય એવું છે થોડો વખત, કરોને કંઈક, પછી નહીં જીવ્યા હોય ત્યારે શું કરીશ ? દેહનો શો ભરોસો ? કોણ બચાવશે ? આ જ્ઞાનય જતું રહેશે અને મોક્ષે જતો રહેશે, પાંચ આજ્ઞા પળાય નહીં તો, આ ધાંધલમાં ને ધમાલમાં. આજ્ઞા પાળ્યા વગર દહાડો વળે નહીં. આ કંઈ ગપ્યું છે ? આ તો વિજ્ઞાન છે. જ્ઞાત પછી ત પાળે આજ્ઞા ત્યાં ... પ્રશ્નકર્તા : શુદ્ધાત્માનું જ્ઞાન આપીને તે વખતે લક્ષ” કરાવો છો પછી પાંચ આજ્ઞાઓ આપ આપો છો. હવે એ પાંચ આજ્ઞાઓ અમે બિલકુલ ના પાળીએ અને આપે જે લક્ષ આપ્યું એ લક્ષ થઈ ગયું છે, એમ માનીને ચાલે તો ? દાદાશ્રી : તે લક્ષ જતું રહે. હમણે તો ચાલુ રહે, પણ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી જતું રહે. પ્રશ્નકર્તા એટલે પાછા જ્યાંથી અમને ઊંચક્યા'તા, ત્યાં જ રહીએ ? કોરી પાટી પર એકડો સ્વચ્છ ! એટલે તમે જરા બરોબર પદ્ધતિસર સમજી લેજો. બહુ ગૂંચળાવાળું લાવ્યા હોય અને દાખલો પોતે જાતે ગણવા માંડ્યા તે શું થાય ? નહીં તો જ્ઞાની પુરુષની આજ્ઞામાં જો રહેને, તો હમણે સમાધિ રહે. પણ આજ્ઞામાં રહેવાય નહીંને ! શી રીતે આજ્ઞામાં રહે ? પાછલું જ્ઞાન એને ગૂંચવી નાખેને ? પાછલું જ્ઞાન બધું ફ્રેક્ટર કરી નાખ્યું હોય તો કશુંય ડખો ના થાય. અમે આજ્ઞા આપી છે ને એ આજ્ઞામાં રહેને તો નિરંતર સમાધિમાં રહે એવું છે. એ આજ્ઞા અઘરી ય નથી. એમાં વિરોધાભાસ લાગે છે કંઈ ? આપણે અહીં તો જેનો કોરો કાગળ એનો જલદી ઉકેલ આવે. અને પાછું પુસ્તકો ભણ ભણ કર્યા’તા. જો પુસ્તકો ના ભણ્યા હોયને તો એથી બહુ ઊંચી દશા હોત. આ તો પુસ્તકો પાછાં ઠેબાં માર માર કરે.
SR No.008837
Book TitleAptavani 12 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy