SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આશાની મહત્વતા ૨૩ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) લાગે છે બાકી ? રસ્તામાં કંઈ ખૂટે છે. નાસ્તો-બાસ્તો કશું ખૂટી પડે છે ? ખૂટે એવું નથી આપ્યું, ઠેઠ મોક્ષે જતાં સુધી કશું ખૂટે એવું નથી ! પણ કહ્યા પ્રમાણે પોટલી છોડીને પછી ખાવું જોઈએ. જે આજ્ઞા આપી છેને પાંચ, એ પોટલી છોડીને ખાવું જોઈએ. પ્રશ્નકર્તા : અને પાછું નવું નવું મળ્યા કરે છે રોજ. દાદાશ્રી : નવું નવું પણ વસ્તુ એ પેલામાં ને પેલામાં મદદ કરે. જે આપ્યું છે ને તેમાં મદદ કરે. આ બધું નવું નવું, જાતજાતનું નવું હોયને ! પળાય નહીં. આજ્ઞામાં તો જબરજસ્ત બળ હોય. પોતાનું ડહાપણ કરવા ગયો કે મરી ગયો. આજ્ઞા એટલે પોતાનું ડહાપણ નહીં. આ ડહાપણ હોત તો આવું ગાંડી સ્થિતિ જ ના થાયને ! આ તો પુરુષો ય ગાંડા ને આ સ્ત્રીઓ ય ગાંડી, તે જ દુઃખી છેને બિચારાં ! આજ્ઞા આવે એટલે બધાં દુ:ખ ઉડાડી દે. આજ્ઞા તો ચેતન છે. નહીં તો આ જવાન ઉંમરના છોકરાઓ બ્રહ્મચર્ય શી રીતે પાળી શકે ?! ગમે ત્યાં આગળ આજ્ઞા એટલે હાજર જ થઈ જાય ને રક્ષા કરે. મળે નહીં કોઈને આજ્ઞા. આ પાંચ મળી છે તે. સ્પેશ્યિલ આજ્ઞા મળે નહીં. પ્રશ્નકર્તા ઃ દાદા, આ પાંચ જે આજ્ઞા આપી છે ને, એ એનો ખ્યાલ નથી રહેતો એટલે એની કચાશ બહુ રહે છે. દાદાશ્રી : એ ધીમે ધીમે આવશે. પહેલાં નિદિધ્યાસન ક્યાં થતું હતું ?! એનાં અંતરાય તૂટી જાય એટલે આવે પછી. એ બધી ચીજો આવવાની.. પ્રશ્નકર્તા : એ ટાઈમ બધો નકામો જાય છે અત્યારે. દાદાશ્રી : ના, ના. ટાઈમ નકામો ના જાય. કઢી કરવા મૂકી તો કંઈ નકામો ગયો ટાઈમ ? કશું નકામું જતું નથી એ નક્કી માનજે. જેને ટાઈમ બગાડવો નથી, તેને બગડે નહીં. નિદિધ્યાસન સરસ રહે છે ને ? પ્રશ્નકર્તા : હા દાદા. જેવું ધારું એવું રહે છે. દાદાશ્રી : અને આજ્ઞા મળે એટલે બહુ થઈ ગયું. આજ્ઞા મળે એટલે જાણવું કે આજે મારે ધન્ય દિવસ છે હવે. એ બધું બુદ્ધિ દેખાડે કે નકામું જાય છે. એને બાજુમાં બેસાડવી. સાચા દિલથી જે કરેલું, કોઈ દહાડો નકામું જાય નહીં. આ પાંચ આજ્ઞા પાળવામાં જરાક મજબૂતી રાખવાની જરૂર. બીજું કશું નહીં. પ્રશ્નકર્તા : દાદાએ બધું આપી દીધું છે કે હજુ કંઈ આપવાનું બાકી રાખ્યું છે ? દાદાશ્રી : બધું આપી દીધું છે. કશું બાકી નથી રાખ્યું. તમને કશું આજ્ઞાથી કુસંગ હટે ! આ જે જ્ઞાન આપીએ છીએને, ત્યારે પાંચ આજ્ઞાઓ આપી છે તે અભ્યાસ માટે આપેલી છે. આ સંસાર એ અભ્યાસનું પરિણામ છે. આ સંસારનો અભ્યાસ કર્યો, તેથી અધ્યાસ થઈ ગયો. અધ્યાસ શાથી થઈ ગયો ? પેલો અભ્યાસ કર્યો તેથી અને ફરી આ અભ્યાસ કરીને છૂટી જાય. પ્રશ્નકર્તા: એટલે પૂર્ણતા એની મેળે થયા કરે. એ કયા પોઈન્ટ ઉપર આપણી પરિણતિ હોય, તો ત્યાંથી પૂર્ણતા થાય ? દાદાશ્રી : આજ્ઞા પાળવાની ઉપર, બીજા કોઈ ઉપર નહીં, આજ્ઞા પાળવાની ઉપર પરિણતિ હોય તો ત્યાં ઠેઠ પહોંચે. બસ, બીજું કશું જરૂર નથી. આજ્ઞા પાળવાનો એનો ધ્યેય હોય, તેને ઠેઠ પૂર્ણત્વ એની મેળે થયા જ કરે. એને કશું કરવાની જરૂર નથી. બીજું કશું દર્શન કરવાનું નહીં. વાંચવાની જરૂર નથી. જો આજ્ઞા પાળતો હોય તો દાદાને મળવાનીય જરૂર નથી. પ્રશ્નકર્તા : મળવું તો પડે. એય આજ્ઞામાં આવી ગયું. દાદાશ્રી : આ તો દાદાને મળવાનું એટલું જ કારણ છે કે સ્પીડી ઉકેલ આવે, જલદી. અને મારી જોડે છ મહિના ફરે તો ખલાસ થઈ ગયુંને ? સીડી એનો મેળ પડી જાય.
SR No.008837
Book TitleAptavani 12 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy