SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્માઓના ટોળામાં કુસંગ અડે જ નહીંને ! બધાં જ મોક્ષના જ થેયી હોય, એક ધ્યેયી હોય ! [૧] તિર્મયતા, જ્ઞાતદશામાં ! ભયની ગાંઠને કઈ રીતે છેદવી ? જ્ઞાન મળ્યા પછી ઘણાંખરા ભય એની મેળે જ ઓછા થઈ જાય. અને સંપૂર્ણ નિર્ભય થવા માટે ચાર-છ મહિના જ્ઞાનીની જોડે ને જોડે જ રહેવું પડે. ‘વ્યવસ્થિત’ જેમ જેમ સમજાતું જાય તેમ તેમ ભય જતાં જાય ને ‘વ્યવસ્થિત’ સંપૂર્ણ સમજાઈ જાય ત્યાં કેવળજ્ઞાન પ્રગટ થાય ! અજ્ઞાનીને જ્યાં ને ત્યાં ભય, ભય ને ભય જ લાગે. જ્યારે જ્ઞાનીઓ નિર્ભય હોય સદા ! “આત્મા વીતરાગ છે, નિર્ભય છે’ - ગીતા. પૂજ્યશ્રી પોતાના જીવનના પ્રસંગનું વર્ણન કરતાં કહે છે કે “એક ફેરો મનેય ફોજદારે જેલમાં ઘાલી દેવાની ધમકી આપી. મેં દિલથી કહ્યું, ઘાલી દેને કોટડીમાં. ઘેર તો મારે બારણું વાસવું પડે, આ તો સિપાઈઓ રોજ વાસી આપશે.’ તે ફોજદાર ચમક્યો. જ્યાં સ્થિરતા હોય ત્યાં ભય ના લાગે. કોઈ એને હલાવી ના શકે. જ્ઞાન પછી ભય ના હોય, ભડકાટ હોય. ભડકાટ એ દેહનો ગુણ છે. ઓચિંતો મોટો અવાજ થાય તો શાનીનો દેહ હાલી ઊઠે, પણ મહીં આત્મામાં જ હોય. આને સંગી ચેતના કહી. સંગથી પોતે ચેતનભાવને પામેલી છે. મહાત્માઓને પૂજ્યશ્રી કહે છે કે ‘દુખ ના ખસે તો તમે ખસી જાવ. આત્મા પ્રાપ્ત થયો છે માટે આત્માની ગુફામાં પેસી જાવ ! બોમ્બ પડે તોય આત્માને કશું જ ના થાય, થાય તો તે પુદ્ગલને જ થાય છેને ! બોમ્બ પડે ત્યારે એવું જ્ઞાન હાજર રહે, તો પૂર્ણાહુતિ થઈ કહેવાય. [૧૩] નિશ્ચય-વ્યવહાર અક્રમ માર્ગમાં મહાત્માઓનો વ્યવહાર ‘ઉચિત’ વ્યવહારથી માંડીને ઠેઠ ‘શુદ્ધ વ્યવહાર’ સુધીનો હોય છે. ઉચિત વ્યવહાર એટલે શું ? કોઈનેય કિંચિત્માત્ર ખોડ કાઢવા જેવો નહીં તે. દાદાશ્રી કહે છે કે મહાત્માઓનો વ્યવહાર ઉચિત વ્યવહારથી માંડીને શુદ્ધ વ્યવહાર સુધીના ભેદ હોય છે. આમ જ્ઞાન મળ્યા પછી વ્યવહાર શુદ્ધ થવઘર જ હોય પણ ભેદપણે રહે છે. ઉચિત શુદ્ધ વ્યવહારથી માંડીને શુદ્ધ શુદ્ધ વ્યવહાર સુધીનો હોય. એટલે શરૂઆત ઉચિત શુદ્ધથી થાય છે ને એન્ડ શુદ્ધ શુદ્ધ વ્યવહારથી થાય છે. શુદ્ધ વ્યવહાર એટલે શું ? કોઈ અપમાન કરે, નુકસાન કરે તોય આપણે તેમને શુદ્ધાત્મભાવે જ જોઈએ, નિર્દોષ જોઈએ, દોષિતને ય નિર્દોષ જોઈએ એ શુદ્ધ વ્યવહાર, મહાત્માઓનો આવો શુદ્ધ વ્યવહાર, બહાર દેખવામાં આવે, તેને યથાર્થ શુદ્ધ વ્યવહાર કહ્યો અને બહાર દેખવામાં ના આવે, તેને ઉચિત વ્યવહાર કહેવાય. દાદાશ્રી કહે છે કે અમારો શુદ્ધ વ્યવહાર ૩૫૬નો હોય ને તીર્થંકરોનો શુદ્ધ વ્યવહાર ૩૬૦૦નો હોય. અને તે સહેજા સહેજ હોય. પરફેક્ટ શુદ્ધ વ્યવહાર કેવો હોય ? મનથી, વાણીથી કે વર્તનથી કોઈને કિંચિત્માત્ર નુકસાન ના થાય. દાદાશ્રીની પાંચ આજ્ઞા પાળે તો બિલકુલ શુદ્ધ વ્યવહાર કહેવાય. જેટલો ભાગ પાળે તેટલો શુદ્ધ વ્યવહારમાં જાય ને ના પળાય તેટલો ભાગ ઉચિત વ્યવહારમાં જાય. અને તેનું પ્રતિક્રમણ કરી અંતે પાછું મહાત્માઓ શુદ્ધ તો કરી જ નાખે છે. અક્રમ માર્ગમાં શુદ્ધ વ્યવહાર છે, પરમાર્થ કે સવ્યવહાર નથી. શુદ્ધ વ્યવહાર કાચો પડી જાય તો તેનો સદ્વ્યવહાર ગણવો હોય તો ગણાય. કોઈ ગાળો ભાંડે, ભયંકર અપમાન કરે તો મહાત્મા મહીં નક્કી કરે કે મારે આનો સમભાવે નિકાલ કરવો છે, એ એનો વ્યવહાર છે. મારે મારામારી’ નથી કરવી એવી જે એણે જાગૃતિ રાખી, એ જ એનો વ્યવહાર છે. એ બોલ્યો એ વ્યવહાર ગણાતો નથી. અંદરનો જે વ્યવહાર છે એ આદર્શ છે, શુદ્ધ છે અને ગાળો બોલ્યો એ ડિસ્ચાર્જ છે, બહારના ભાગનો છે. આ વાતનો આશય બહારના લોકોને કઈ રીતે સમજાય ? બહાર ગુસ્સો થતો હોય અને અંદર જોડે જોડે એમ રહેતું હોય કે આમ ના થવું જોઈએ' એ શુદ્ધ વ્યવહાર છે. એવું ચેતવનાર વચ્ચે પ્રજ્ઞા છે અને આત્મા બધાંનો જાણકાર છે ! ગાળો ભાંડે તેના માટેય મન ના બગડે તે શુદ્ધ વ્યવહાર અને તે જ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે ! 49
SR No.008837
Book TitleAptavani 12 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy