________________
પુદ્ગલ સુખ - આત્મસુખ
૩૩૩
પ્રશ્નકર્તા : હવે તો સંસાર બિલકુલેય પોષાતો નથી, એવું થાય છે.
દાદાશ્રી : શી રીતે પોષાય ? પરિણામ ભોગવ્યા વગર છૂટકો છે ? પણ જ્ઞાતા-દ્રષ્ટા રહીને ‘જોઈએ’ તો ચાલી જાય અને આપણે કહીએ કે ‘ઓહોહો, ચંદુભાઈ તમે તો બહુ ભારે કર્યા છે માટે ભોગવો હવે.’ એટલે આપણને ના અડે. અગર તો એ ઊભું થાય તો ‘મારું ન્હોય’ એમ કહીએને તોય ના અડે !
ગોદા મારતાર મહા ઉપકારી !
તે એક ભાઈ તો કહે છે, ‘મને ગોદા લાગે એવું થાય છે શરીરમાં ! એવો કંઈ ઉપાય કરો કે જેથી મને મટી જાય.' મેં કહ્યું, ‘આ ગોદા મારનાર મળે નહીં.' એ ગોદા મારનાર શું કહે છે ? ‘મોક્ષે જાવ ! અહીં શું કરવા સૂઈ રહ્યા છો ?” એ બહુ સારું કહેવાય. માટે આ ગોદા મારનાર હોય તો તેનો ઉપકાર માનજો. અહીં મટાડવા ના આવશો. આ દવાવાળા પાસે દવા લેવાય ના જશો. ગોદા મારનાર ક્યાંથી મળી આવે ?! મહાન ભાગ્યશાળીને ગોદા મારનાર મળે !
પ્રશ્નકર્તા : એ ઉપકારી કહેવાય.
દાદાશ્રી : હા. નહીં તો હાર્ટ ફેઈલ ભેગું થાય, ભાગ્યશાળીને તો ! પણ ગોદા મારનાર ના ભેગા થાય. ગોદા મારનાર તો મોક્ષે જનારા હોયને, તેને ગોદા માર માર કરે. ઘેર બૈરી હઉ ગોદા મારે !
જુઓને, આ ભાઈને કેટલા ગોદા લોકો મારે છે ! છ-સાત વર્ષથી એમને ગોદા મારે છે. ત્યારે આ ભાઈ બે-ત્રણ વર્ષથી કહે છે, ‘હવે મોક્ષે જ જવું છે. હવે ક્યાંય નથી જવું.' એ નક્કી થઈ ગયું હવે. કારણ કે રોજ રોજ ગોદા મારે, પછી મોહ તો રહેતો હશે કે ? મોહ રહે પછી ?
પ્રશ્નકર્તા : પછી મોહ ના રહે.
દાદાશ્રી : જ્યાં ત્યાંથી ગોદા મારે. હવે ગોદા મારવાની દવા કરીએ તો પછી મોહ રહી જાય. મહાપરાણે ગોદા મારવા માટે લોકોને ભાડે
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
રાખવા પડતા હતા. પણ ભાડાવાળા ગોદા મારે નહીંને, બરોબર ! તમનેય ગોદા મારનારા તો હશે જ ને ? સહુને ઘેર ગોદા મારનારો હોય. આ શબ્દ સમજવા જેવો નથી ?
૩૩૪
પ્રશ્નકર્તા : હા, બહુ સરસ વાત છે.
દાદાશ્રી : જે આપણને દુઃખદાયી લાગતું હતું, તે સુખદાયી થઈ પડ્યું. ઓહોહો આવું ! આ સુખદાયીને આપણે દુઃખદાયી માનતા હતા, એ ભૂલ હતી. એ ભૂલ ભાંગી જાય, એનું કામ થઈ જાય. અમે તો આખી જિંદગી જ એવી રીતે રહ્યા છીએ. ગોદા મારવાની દવા નહીં કરેલી, બા ! અમે તો કોઈ ગોદો ના મારેને, તો એને ઊભો કરી આપીએ. એટલે બેન કહે છે, ‘દાદા, રાત્રે ઓઢેલું તમે શું કરવા કાઢી નાખો છો ? એટલે મેં કહ્યું, ‘ઓઢીએ એટલે પછી ઊંઘ આવે છે. જરા ઠંડું લાગેને, ટાઢ લાગે ત્યાર પછી જાગૃતિ રહે. ગોદા મારનાર જોઈએ. તે આખી રાત ગોદા માર માર કરે ને આપણે એમ કરીએ. ‘તું છું ને હું છું’, કહીએ. ક્યારે સૂઈ નથી ગયો ? અનંત અવતાર સૂઈ જ ગયો હતોને ! બીજું શું હતું તે ?
પ્રશ્નકર્તા : શાતાશીલિયા હોય તે પહેલી દવા કરે.
દાદાશ્રી : આ તમે ટિકિટ ચોડીને અહીં આવ્યા’તા. ત્યારે મેં કહ્યું,
‘આ શેની ટિકિટ ચોડી છે ?’
પ્રશ્નકર્તા : મેં દાદાને કહ્યું કે, ‘આ વાગ્યું’તુંને એટલે માખો બહુ બણબણતી હતી. એટલા માટે પટ્ટી લગાડી છે. ત્યારે તમે કહ્યું કે આ તો
ઉપાય તમે કાઢ્યો !
દાદાશ્રી : લોકો કહે છે, ‘દાદા, ઉધરસની દવા હું તમને આપું.’ મેં કહ્યું, ‘બળ્યું, ઉધરસ તો હું ઊભી કરું છું ને વળી પાછું દવાથી સારું કરો છો ? તું તો મટાડવાની દવા આપું છું પાછો ! આ ઉધરસ મહીં આવે, તો પછી કામ થઈ જાયને ! આ ગોદા મારે છે એ ખબર પડેને ? હવે એની દવા પીએ એટલે ગોદા મારનારો બંધ થઈ ગયો. એટલે ગોદા મારનાર
જોઈએ આ કાળમાં. મેં તમને હાથમાં મોક્ષ આપ્યો છે. હવે ગોદા મારનાર