________________
૩૩૦
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
ભોગવવું - વેદવું - જાણવું
૩૨૯ વેદવાપણું ! ક્રમિકમાર્ગમાં વેદકતા જ હોય. વેદવાનું જ, જાણવાનું નહીં. અહીં આપણે જાણપણામાં હોય પણ પેલો પાછલો માલ, જરા ચીકાશ એટલે જરા વેદકતા થઈ જાય. છતાંય ગોઠવીને બેસે કે ના, હું તો જાણે છું, તો એવું રહે પછી. બીજું શું છે ? જ્ઞાયકપણાનો એનો ધર્મ જ છે.
પ્રશ્નકર્તા : વેદવાનું ચંદુભાઈને છેવટ સુધી રહેને ?
દાદાશ્રી : પણ તમારે જોવાનું એ. એ રહે, પણ તમારે જાણકાર તરીકે રહે.
પ્રશ્નકર્તા : હા, પણ ચંદુભાઈને તો વેચવાનુંને ?
દાદાશ્રી : છૂટકો જ નહીં. એ કો'ક દહાડો વેદે ને ? એ તો આપણે પછી અરીસા સામું તેડી જઈને કહીએ કે અમે છીએ. પણ એવા કેસ કંઈ રોજ સો ના આવેને ? બે-ત્રણ કેસને ! ચંદુભાઈને તો દવાનું બધું બહુ હોય, એટલે સારું-મીઠું વધારે હોય. કોલ્ડ બધું બહુ હોય, પછી હોટ તો કો'ક ફેરો આવે. કોલ્ડ તો આખી રાત હોય ત્યારે ઊંઘ એ બધું આવેને ! ત્યારે હોટ કો'ક દિ આવે ત્યારે નિવેડો લાવી નાખવાનો. નિવેડો લાવી નાખશોને ?!
વેદક તે જ્ઞાયક બન્ને ભિન્ન
એટલે આ વેદકમાં જો આપણે ભળીએ તો બહુ દુઃખ થાય. એટલે જો જ્ઞાયક રહેવાય તો દુઃખ બિલકુલ ઓછું થઈ જાય, દુ:ખ જ ના રહે.
વેદે તે પોતે નહીં. પોતે તો માત્ર જાણનાર, વેદકનો પણ જાણનાર, વેદનાનો પણ જાણનાર. એટલે પોતે વેદકનોય જ્ઞાયક અને વેદનાનોય જ્ઞાયક છે. ત્યારે લોકો તો વેદકના જ્ઞાયક નથી થતા અને વેદનાના જ્ઞાયક થાય. તે ‘મને જરા માથું ઉતર્યું લાગે છે” કહેશે, ત્યારે વેદનાનો જ્ઞાયક, ત્યારે વેદકનો નહીં. ત્યારે કહે, “ના, મને ચડ્યું છે'. તમારે તો કહેવાનું કે ‘ચંદુભાઈનું માથું ચડ્યું છે.” તું જાણનારો અને વેદનાર વેદે મહીં. જેનું માથું હોય તે વેદ. આપણે નહીં લેવા, નહીં દેવા, નથી ખાતાં, નથી પીતા, તે શાનું આપણું માથું દુખે ?
એટલે જો એ વેદનાને જાણે છે. વેદનાને એ જાણે છે કે હં, આ વેદના વધી-ઘટી. બધુંય જે જાણે છે, તે વેદક કેમ કરીને થાય ? વેદકનો એ જ્ઞાયક હોય. દાઢ દુખે છે, તે કોને દુખે છે ? ત્યારે કહે, વેદકને દુખે છે. અને વેદકને શું દુખે છે, વેદકને શું થાય છે, એ જ્ઞાયક જાણે છે. આટલો ભેદભાવ હોય ત્યારે દુ:ખ વેદના શાયકને ન પહોંચે. વચ્ચે કાઉન્ટર પૂલી નાંખે તો વેદના જ્ઞાયકને પહોંચે નહીં. કાઉન્ટર પૂલીઓ નથી નાંખતા ?! એક પૂલી આમ નાંખી અને એક પૂલી આમ નાંખે છે, તો પછી વજન અડધું નથી થઈ જતું ?
પ્રશ્નકર્તા : થઈ જાય છે.
દાદાશ્રી : એવું આ એક પૂલી નાંખે તો વેદક જ ભોગવે અને આપણે જાણીએ કે અત્યારે વેદકને વધારે પડતી વેદના છે. એટલે ભગવાન મહાવીરને અનાર્ય દેશમાં ઢેખાળા માર્યા, અપમાન કર્યા, પણ લોકોએ જોયું, તેથી લોકોના મનમાં થયું કે, ઓહો, ભગવાનને બહુ દુ:ખ થાય છે. પણ એ જુએ નહીં કે આ ‘વેદક' કોણ છે અને આ ‘જ્ઞાયક' કોણ છે. એ પોતે તો જ્ઞાયક હતા.
પ્રશ્નકર્તા : સામાને દુઃખ થાય ત્યારે તો આપણે પ્રતિક્રમણ કરીએ. પણ હવે જ્યારે પોતાને જ શારીરિક વેદના હોય અને દુઃખ થાય,
પ્રશ્નકર્તા : વેદનીય કર્મના ઉદય વખતે વેદના વેદે છે એ કોણ. તે જ વખતે વેદના થાય છે તે જાણે છે કોણ ?
દાદાશ્રી : વેદે છે અહંકાર ને પ્રજ્ઞા જાણે છે, પ્રજ્ઞા છે તે વેદકને પણ જાણે છે. અને આ વેદક છે તે વેદના વેદે છે. વેદક એટલે અહંકાર કહોને ! અહંકારમાં બધું આવી ગયું. અહંકાર છે તે માને છે કે આ મને જ દુ:ખ પડે છે. એટલે એ વેદે છે. તેથી વેદક કહેવાય. વેદક એટલે વેદન કરેલો માને છે, વેદેલો ! અને પ્રજ્ઞાશક્તિ જાણે છે એમાં. હવે ઘણાંખરાં આપણા મહાત્માઓને પ્રજ્ઞાશક્તિ રહી જાય છે અને વેદકભાવમાં આવી જાય છે, તે દુ:ખ વધે. બીજું કશું નહીં. ‘પોતે’ તન્મયાકાર થાય તો દુ:ખ વધે.