________________
‘હોય મારું’
૨૭૧
૨૭૨
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
પરમાણુ થાય. પૂરણ થયું એ ગલન થયા વગર રહે જ નહીંને ! પૂરણગલનમાં કશું આપણી મિલ્કત નથી. અને આપણી મિલ્કત છે તેમાંથી કશું પૂરણ-ગલન થતું નથી એવો ચોખ્ખો વ્યવહાર છે.
શેની ઉપર છે માલિકીભાવ ? તને તો કશાય ઉપર માલિકીભાવ નથી ! આ અમારી ઉપર તને માલિકીભાવ આવે એ માલિકી ના કહેવાય. મારી ઉપર માલિકીભાવ, તે કરવાનો હક્ક છે બધાંને. કારણ કે અહીં તો પ્રશસ્ત રાગ હોય જ. અને આ પ્રશસ્ત રાગ તે જ છે તે બધા રાગોને નાશ કરનારો છે. બીજા બધાય રાગો ઉઠી જાય. નહીં તો ઉઠે નહીં, જો અહીં રાગ ના થયો તો !
પ્રશ્નકર્તા : તો વીતરાગની ડેફિનેશન શું કહેવાય ?
દાદાશ્રી : દેહથી સંપૂર્ણ છૂટો થઈ ગયો એ વીતરાગ. દેહને લીધે આ બધું છેને ! દેહ વ્યવહારમાં માલિક છેને બધાનો. એ માલિકથી છૂટો થયો એટલે બધાથી છૂટો થયો એટલે વીતરાગ થઈ ગયો. જેમ પેલામાં માન્યતા માલિક છે એમ આ દેહ માલિક છેને ?!
પ્રશ્નકર્તા: એટલે આ વ્યવહારનો ? આ દેહ માલિક શેમાં કહ્યો?
દાદાશ્રી : આ જગતની બધી ચીજોમાં. એનાથી છુટા થયા એટલે છૂટો થઈ ગયો. આ દેહથી છૂટો થયો એ બધાથી છૂટો થયો. બધાનો માલિક દેહ છે.
કહેવાય ?
દાદાશ્રી : અવલંબન બધું વ્યવહારથી જ છે ને ! નિશ્ચયમાં તો કશું હોતું જ નથીને ! આપણે છીએ વ્યવહારમાં જ, તે નિશ્ચયની તો પ્રતીતિ બેઠી છે. પણ છીએ વ્યવહારમાં જ ને ? ખઈએ છીએ, પીએ છીએ, આપણે આ છીએ નક્કી થઈ ગયું. પણ હવે કંઈ એકદમ થઈ ગયું. કંઈ કબજો સોંપી દેવાયો. કબજો સોંપી દેવાય ? કબજો સોંપાય ત્યારે કશું રહ્યું નહીં. પછી આપણે નિરાલંબ થઈ ગયા.
પ્રશ્નકર્તા: એ તો ઠેઠ સિદ્ધક્ષેત્રે જાય ત્યારે સંપૂર્ણ નિરાલંબ થાય.
દાદાશ્રી : જયાં સુધી કબજો ના સોંપો ત્યાં સુધી શી રીતે જવાય ? મહાવીર ભગવાનેય કબજો સોંપ્યો ત્યારે ગયા. બોત્તેર વર્ષ ભાડાની જગ્યા લીધી'તી, ભાડું ચૂકવી દીધું, આપી દીધી જગ્યા ખાલી કરીને.
પ્રશ્નકર્તા : એટલે મહાવીર ભગવાન બોત્તેર વર્ષ સુધી ભાડાની જગ્યામાં રહ્યા. પણ એ સોંપાવા સુધી શું મહીં કરતા હતા ?
દાદાશ્રી : ધીમે ધીમે માલિકીભાવ ઉઠાવતા જાય. બધો ઉઠાવી રહ્યા એટલે પછી કબજો સોંપી દીધો હડહડાટ ભઈ. જેવો ઉઠાઈ રહ્યો એટલે એ પોતે ચાલ્યા આમ. આ આમ કબજો સોંપી દીધો. કબજો સોંપાય એટલે લોક લઈને બાળી મૂકે. માલિકી વગરનો હોય તે કચરો, પછી આપણે બાળવાનું નહીં. એની મેળે લોક બાળી મેલે, નહીં ?
પ્રશ્નકર્તા રહેનાર બાળે નહીં ?
દાદાશ્રી : રહેનાર શી રીતે બાળે ? રહેનાર તો રોફથી ગયા, ચાર નાળિયેર સાથે, પાણીવાળાં હોય કે પાણી વગરનાં હોય !
તે કેટલા વર્ષ ભાડે લીધી? સોએક વર્ષ કંઈ જીવને, લોકોનું કલ્યાણ થાય ! ખરું કે ખોટું ? આની હઉ ઇચ્છા છે ને આ લોકોને, કે જગતનું કલ્યાણ કરવું. આમ ફરે એટલે તો કામ કાઢી નાખે.
પ્રશ્નકર્તા : એટલે આ જગતનો વ્યવહાર છે એનું બધું કેન્દ્રસ્થાન દેહ કહેવાય. એટલે એવું કહો છો?
દાદાશ્રી : દેહ જ છેને માલિક, બીજું કોણ ? દેહ એ જ, દેહાધ્યાસ કહે છે કે, પોતે એનો ખરેખર માલિકેય નથી આ. એ જ રોંગ બિલિફ છે.
પ્રશ્નકર્તા : પોતે એટલે કોણ એમ ? દાદાશ્રી : સેલ્ફ, આત્મા. અત્યાર સુધી જે તમારી જાતને પોતે ગણો છો તે. પ્રશ્નકર્તા: દેહનો માલિકીભાવ ના હોય તો અવલંબન લીધું ના