________________
૨૬૯
૨૭૦
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
એક્કેક્ટ પોતપોતાનું આવી જ જાય. અહીં ચિંતા ના થાય, નહીં તો ચિંતા થયા વગર રહે નહીં. કોઈ પણ બહારના વ્યવહારમાં ક્રમિક માર્ગના જ્ઞાનીને ચિંતા થયા કરે.
‘જોય મારું વખતે પણ એટલો જ પોતે એમાં સંડોવાઈ જવું પડે છે ?
દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : ત્યારે ખરેખર છૂટો જ રહી શકે એવું હોય છે ?
દાદાશ્રી : રહી શકે. અમુક હિસાબમાં છૂટો થઈ શકે છે. એ તું તારી માલિકીનું બધું છૂટું લઈ જા અને આપણી બેની સહિયારી માલિકીનો હિસાબ ચોખ્ખો કર. કર્મમાં આખું માલિકી સાથે સોંપેલું હોય બધું.
પ્રશ્નકર્તા: હં, એટલે ઉદય આખો માલિકી સાથે ઓપન થાય છે ?
દાદાશ્રી : એ ઉદય તો એ વખતે પછી જ્ઞાન પ્રમાણે માલિકી. જો પૂર્ણ જ્ઞાન હોય તો પોતાનું માલિકીપણું બધું ખેંચી લે. પોતે પોતાનું જ માલિકીપણું, બીજાનું નહીં, પુદ્ગલનું નહીં.
પ્રશ્નકર્તા : હું, એટલે ઉદય શરૂ થાય ત્યારથી પોતે પોતાનું માલિકીપણું ખેંચી શકે ?
દાદાશ્રી : જેટલું જ્ઞાનનું પ્રમાણ, એટલા પ્રમાણમાં માલિકીપણું ખેંચાઈ જ ગયેલું હોય.
પ્રશ્નકર્તા : પણ ઉદય થતી વખતે તો સાથે ઓપન થવાનું ને ? ઉદય થતી વખતે પોતે એમાં હાજર હોયને ? ઉદય શરૂ થવા માટે.
દાદાશ્રી : આપણે કશું લેવા-દેવા નહીં. જેમ આપણે ઊંઘતા હોય પણ તોય સૂર્યનારાયણ ઊગ્યો હોય.
પ્રશ્નકર્તા: હં, એટલે બધું જુદું છે અને એટલે અત્યારના ઉદયમાં નવો માલિકીભાવ પેસે છે ?
દાદાશ્રી : જેટલું જ્ઞાનનું પ્રમાણ ઓછું એટલો માલિકીભાવ રહ્યા કરે. ‘હું શુદ્ધાત્મા છું” અને આ આવી રીતે હું જુદો છું, એ જ્ઞાન થયું એટલે તારું માલિકીપણું છૂટયું અને જેટલી એમાં કચાશ એટલે અહીં માલિકીપણું રહ્યું. પણ તે આપણું આ જ્ઞાન એક્કેક્ટ છે, કેવળ જ્ઞાનસ્વરૂપ છે. એટલે
હવે પુદ્ગલ માગે શુદ્ધિકરણ ! પ્રશ્નકર્તા: કર્મના ઉદયના પરિણામે જેલ આવી, પણ હવે પોતાનો માલિકીભાવ સંપૂર્ણ ખેંચી લેવો, એ જાગૃતિ કેવી હોય વચ્ચે ?
દાદાશ્રી : માલિકીભાવ તો ખેંચાઈ ગયેલો છે. તે હવે પુદ્ગલ શું કહે છે ? હિસાબ ચૂકતે કરવા માટે જોયા કર. હું શું કરું છું એ ‘જોયા’ કર. મન શું કરે છે, બુદ્ધિ શું કરે છે, એ બધું જોયા કર. બીજું કશું ‘જોવાનું નથી. ચૂકીશ નહીં તે ઘડીએ, અજાગૃત ના રહીશ. તું તારા ભાનમાં રહે અને હું મારી ક્રિયામાં રહું. બન્ને પોતપોતાની ક્રિયામાં રહે. પછી એ ઉદયને ‘જોવો’ જોઈએ. ઉદયના બધા પર્યાય જોવા જ પડે. ‘જોવાથી એ શુદ્ધ થાય.
પ્રશ્નકર્તા : પણ એક વખત વાત એવી રીતે નીકળી હતી કે ઉદય એનું નામ જ કહેવાય કે પોતે તન્મયાકાર હોય તે ઘડીએ ?
દાદાશ્રી : હોય.
પ્રશ્નકર્તા અને પછી પુરુષાર્થ એનું નામ કહેવાય કે પોતે પોતાની જાતને છૂટી પાડે.
દાદાશ્રી : એ છૂટો થઈ જ જાય, એ તો ‘હું શુદ્ધાત્મા છું' બોલ્યો કે છૂટો થઈ જાય. એ પુદ્ગલ શું કહે છે કે “તું શુદ્ધાત્મા થઈ ગયો, એ માટે તું છૂટો થઈ ગયો એવું માનીશ નહીં. તે મને બગાડ્યો હતો, માટે તું અમને શુદ્ધ કર એટલે તું છૂટો અને અમે છૂટા.” ત્યારે કહે, “શી રીતે છૂટા કરું ?” ત્યારે કહે, ‘અમે જે કરીએ એ તું જો. બીજું ડખલ ના કરીશ. રાગ-દ્વેષ રહિત જોયા કર બસ. એટલે અમે છૂટા. રાગ-દ્વેષથી અમે મેલા થયા છીએ, તારા રાગ-દ્વેષને લઈને. હવે વીતરાગતાથી અમે છૂટા.” શુદ્ધ