________________
૨૫૨
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
‘જોય મારું
૨૫૧ આઘુંપાછું થવાનો સંભવ છે. તો સંયોગને આપણે કહી દેવું કે ‘મારું સ્વરૂપ જોય'.
પ્રશ્નકર્તા : સંયોગ ન હોય ત્યારે આપણે સ્વરૂપમાં હોઈએ ?
દાદાશ્રી : સંયોગ ના હોય એટલે, એ વાતને સમજ્યો નથી. મન પણ ના હોય તે ઘડીએ ! પણ મન જો વિચારતું હોય, તો એ સંયોગ કહેવાય. તોય તમે જ્ઞાયક સ્વરૂપમાં જ છો. ભટકતા ચિત્તને તમે જોયા કરો, તે ઘડીએ તમે સ્વરૂપમાં છો. જેમ આપણી ગાય હોય, તે આમ દોડે, આમ દોડે, તે પણ એને તમે જોયા જ કરો, તો એ તમે સ્વરૂપમાં છો. ચિત્તનો સ્વભાવ ભટકવાનો પણ એની જોડે તન્મયાકાર થાય તો એ બગડ્યો. કોઈ દા'ડો થયેલો તન્મયાકાર ?
પ્રશ્નકર્તા : થયેલો. અત્યાર સુધી તન્મયાકાર જ હતા.
દાદાશ્રી : એને તન્મયાકાર કહેવાય, તદાકાર કહેવાય, તે છે એનાં આકારનો આ થઈ જાય.
પ્રશ્નકર્તા : દાદા, ઘણી વખતે એકાદ મિનિટ તન્મયાકાર રહેવાય અને બીજી જ મિનિટે જાગૃતિ આવે કે આ મારા વિચાર હોય.
દાદાશ્રી : તો વાંધો નહીં. પછી બીજી મિનિટે બોલીએ તોય વાંધો નહીં. તે ઘડીએ છીંક આવતી હોય તો ના કહેવાય. છીંક ખાધા પછી આપણે કહેવાય. પછી બોલો છો તે જાગૃતિ ઓછી જરા, પણ વાંધો શો છે ? પણ તરત કહીએ છીએને પછી.
એ તા થવા દે એક ! પ્રશ્નકર્તા આત્મા ને અનાત્માના સાંધાને એક ના થવા દે, એ માટે ક્યો ઉપાય કરવો ?
દાદાશ્રી : આપણે આ ખેતર હોય એમાં ડીમાર્કેશન લાઈન નાખી કે ભઈ, આ છે તે આનું અને આ આપણું. હવે તે પેલા ખેતરવાળાને ભ્રમ પેસી જાય, કો'ક કહે આવીને કે તારા ખેતરમાંથી ભીંડા લઈ ગયો એક
જણ. તે એને પેલું કહ્યું એટલે મગજ ફરી ગયેલું હોય, ફરી જઈને જુએ એટલે પાછું પોતાનું જ એવું લાગે, કારણ કે પોતાના નજીકનું છે ને ! એટલે તરત બૂમાબૂમ કરે, ઉપાધિ કરતો હોય, ગાળો દેતો હોય ને બધું... તો પછી કોઈ જ્ઞાની આવે તે કહે છે, “ભઈ, શું કરવા ઉપાધિ કરું છું વગર કામનો ?!” “અરે, મારા ભીંડા ગયાને, હું ઉપાધિ ના કરું ? તમને હલ થાય.” “અરે, ભઈ તું જોતો ખરો ! જો આટલે સુધી તારું ને આ આનું', એટલે પછી ખૂબ આનંદમાં આવી જાય.
એટલે આપણે “શુદ્ધાત્મા છું' એ હોમ ડીપાર્ટમેન્ટમાં હોઈએ તો કંઈક જરા ઉપાધિવાળું સ્પંદન થવા માંડ્યું, કંઈ અડચણવાળું, તે ‘મારું સ્વરૂપ હોય’ કહ્યું કે છૂટી જાય. જેમ આ ખેતરમાં મારું હોય, આ બાજુનું, એમ કહ્યું કે છૂટી ગયુંને ! મારી છે” એમ કહ્યું ત્યાં સુધી ઉપાધિ આવવાની. એટલે એવું બોલવું પડે. શું બોલવું પડે ? ‘મારું હોય'. તે ઘડીએ યથાર્થ રહે પછી.
આણે કશું અડાડ્યું કે તરત જો હાથ ખસેડી લીધોને, પેલું ગલીપચી થઈ એ પુદ્ગલનો સ્વભાવ છે, પણ આમ હાથ લઈ લીધો એ પુદ્ગલનો સ્વભાવ. પણ બીજી જ મિનિટે મેં કહ્યું “આ મારું હોય’ કે તરત પછી કશુંય ના થયું, મારાપણું રહી ગયું હોય કોઈ જગ્યાએ, ત્યારે મારું હોય? એ કહેવાય તો પછી ભાંજગડ નહીં થાય. ‘મારું હોય’ કહ્યું એટલે બેઉ છૂટું થઈ ગયું પાછું.
કર્મો જુાં તે આત્મા જુદો ! પ્રશ્નકર્તા : હોટલમાં પહેલાં ક્યારેક ખાઈ આવ્યો હોઉં, એવી વસ્તુ ખાવાના બહુ વિચાર આવે કે બિસ્કીટ ખઉં કે આ ખઉં કે તે ખઉં, તો એમાં પ્રતિક્રમણ કરવાં પડે કે ખાલી જોયા કરવાનાં ?
દાદાશ્રી : ત્યાં ‘ન્હોય મારું એવું કહેવાનું. જોયા કરવાનું નહીં. ‘ન્હોય મારું', એ તો ચંદુભાઈનું. ‘ચંદુભાઈ, તારું દુઃખેય અમે લેતાં નથી” એવું કહેવાનું.
પ્રશ્નકર્તા : એટલે કંઈ બન્યું, તેને માથે ના લેવાય.