SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ન્હોય મારું ૨૪૯ ૨૫૦ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) એક્ઝક્ટ છૂટું પડી જાય. અગર તો કશી અડચણ થાયને તો “મારું સ્વરૂપ ન્હોય” એમ કહોને, તોય છુટું પડી જાય. કારણ કે મારું અને તમારું બેની વચ્ચે લાઈન ઓફ ડીમાર્કશન નાખી છે. એટલે કંઈક ઝઘડો થાય એ બેનો પાછો, એટલે આ “મારું હોય’ કહે, તો છૂટું થઈ ગયું. મનનો બગદો, ચિત્તનો બગદો, ગમે તેવાં વિચારોમાં મન ચઢી ગયું હોય, તો ‘મારું ન્હોય” એમ કહીએ કે છુટું થઈ જાય, એક જ શબ્દથી. એ બોલવાની જ જરૂર. એટલે અડે નહીં આપણને ! છે જ નહીં આપણું સ્વરૂપ એ. મહીં ગૂંચાવ તો ચોંટી પડે, એનો બોજો રહે પછી. અને ગૂંચાળો આવે તો “મારો ન્હોય” એમ કહેવું. કારણ કે તમારો હોય આ બધો ગૂંચાળો. ગૂંચાળા તો ચંદુલાલના છે બધાં. જગત ‘અમારું છે, અમારું” કરીને આ વળગ્યું છે ભૂત ! ખરી રીતે એમનું છે નહીંને, છતાં ‘અમારું માને છે અને તમારે ખરેખર ‘નથી અમારું' એટલું કહેવામાં વાંધો શો છે ? આપણું નથી જ. ‘હોય મારું' કહ્યું કે બેઠો “સ્વ'માં ! પ્રશ્નકર્તા : આમ તો જેને ઉપયોગ ના રહેતો હોય એ સ્વરૂપની બહાર જ કહેવાય ? દાદાશ્રી : કોઈ પણ રિલેટિવ વસ્તુ આવે તો આ “મારી ન્હોય” એમ કહે એ “સ્વરૂપમાં છે. ત્યારે અહીં સ્વરૂપમાં બેસીને બોલે છે. નહીં તો બોલાય નહીં. બહાર ઊભો હોય તો બોલાય નહીં. આ ‘મારું ન્હોય'. આ એટલે આ સ્વરૂપમાં છે. ચોખ્યું છે તો પછી કશું રહ્યું ? પ્રશ્નકર્તા : પણ બધા સંજોગોમાં ‘મારું હોય એવું ના રહે, દાદા. દાદાશ્રી : તે ‘તારું છે' એવું લાગે છે તને ? પ્રશ્નકર્તા એવો કશો ભાવ ના હોય કે આ મારું છે કે નથી, એવું. દાદાશ્રી : એટલે ઉપયોગપૂર્વક નથી રહેતું એમ. એમ ને એમ તો રહે છે, પણ ઉપયોગપૂર્વક રહેવું જોઈએ કે “જ્હોય મારું'. આપણે ‘ન્હોય મારું બોલીએ એટલે મહીં બીજા બધા બેઠા છે એ સાંભળે ને કહેશે. ઓહોહો ! આપણી સાથે ચોખ્ખું જ બોલે છે હવે. બુદ્ધિ, મન ને ચિત્ત ને એમને ખાત્રી થઈ જાય કે હવે આ “એ” પક્ષના થઈ ગયા, હવે આપણે ચાલે નહીં. પ્રશ્નકર્તા : શરૂઆતની અવસ્થાઓમાં બોલવાનું, પછી તો પરમેનન્ટ એવું થઈ જાયને ? એટલે હમણાં બોલ્ય રાખવાનું? દાદાશ્રી : પણ હજુ શરૂઆત તો હમણાં જ થઈ છેને ! કહેવામાં શું વાંધો છે, ‘મારું હોય'. બસ ધીમે રહીને મનમાં, મોટેથી નહીં બોલવાનું ! મનમાં બોલવું કે “મારું હોય”. આ તિજોરીની આસપાસ પોલીસવાળા હોય છે. તે રાતે બાર વાગે તો બાર વાગ્યાના ઘંટ વગાડે. એક વાગ્યા હોય તો એકનો ઘંટ વગાડે અને પાછું કલાકે કલાકે બોલે, ‘અલ બેલ.. અલ બેલ.” એવું બોલે. એટલે પછી એ બધાય પોલીસવાળા સાંભળે, બધાય આરામથી સૂઈ જાય. ‘અલ બેલ' એટલે શું કહે છે ? ‘અલ બેલ” એટલે “ઓલ વેલ'. હવે એટલું બોલે છે, એટલે પેલાં પાછાં નિરાંતે સૂઈ જાયને પછી ? ના બોલે તો ત્યાર પછી શંકા પડે કે કેમ હજુ સાડા બાર થયા તોય બોલ્યો નહીં. ટકોરે ટકોરે બોલવાનું, એવું આપણે એ બોલવાનું. બોલવાથી પૂરવાર થાય કે, પોતે સ્વરૂપમાં છે, જાગૃતિપૂર્વક છે અને ‘મારું જોય’ કહે છે. સ્વરૂપમાં રહ્યા, એની ખાત્રી શું ? ત્યારે કહે, કોઈ ઢેખાળો મારે, તે ઘડીએ એને તરત જ એમ થાય કે આ ‘મારું સ્વરૂપ હોય. એટલે શું ? કે પોતે સ્વરૂપમાં બેસીને બોલે છે આ. ગમે તેવું રિલેટિવ આવે તો મારું સ્વરૂપ હોય” બોલે કે છૂટ્યો. પ્રશ્નકર્તા : ઘણી વખત જાગૃતિ રહે છે કે, આ ‘મારું સ્વરૂપ ન્હોય', સહજ રીતે રહે છે. ઘણી વખત જાગૃતિ રહેતી નથી અને તન્મયાકાર થઈ જવાય એ રિલેટિવ વસ્તુમાં. દાદાશ્રી : હા, તો આવું કહેને ! “મારું સ્વરૂપ ન્હોય’ એમ કહેવાનો અભ્યાસ કરીએને એટલે જાગૃતિ આવી જાય. અભ્યાસ કરવો જોઈએ. પ્રશ્નકર્તા: ઘણીવાર કોઈ રિલેટિવ વસ્તુ અથવા સંયોગ હોય નહીં ત્યારે એવું લાગે છે કે હું સ્વરૂપમાં છું. દાદાશ્રી : હા, બરોબર છે. વાંધો નહીં. સંયોગ આવે તો જ છે તે
SR No.008837
Book TitleAptavani 12 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy