________________
‘ન્હોય મારું
૨૫૩
૨૫૪
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
હોય”. તો કશું જ ના થાય. એક ફેરો બોલી તો જુઓ ! એવું પાંચપચ્ચીસ વખત બોલી જુઓ, પછી પ્રેક્ટિસ(આદત) પડી જશે ! “મારું હોય’ કહ્યું કે તરત જુદું. આપણું છે જ નહીં, જે જુદું પડી ગયું, એને મારું હોય’ એમ કહેવામાં વાંધો શો છે ? અને આ ચારિત્ર મોહનીય છે. ગમે તેવો પણ મોહ છે એ.
દાદાશ્રી : હા, માથે ના લેવાય. તમે જુદા અને અમેય જુદા. એટલું કહી દીધુંબસ થઈ ગયું ! એટલું કહેવું પડે. અમે જુદા, તે ઘડીએ આપણું જ્ઞાન ગુલાંટ ના ખઈ જાય એટલા માટે બોલવું પડે. શુદ્ધાત્મા જુદો છે ને આ ય જુદો છે, બેઉ જુદી જ વસ્તુ છે ને એટલે જેમ છે એમ બોલવું આપણે. જે જાણ્યું છે એટલું. પછી અસર ના કરે જરાય. મહીં જરાક કંઈક ફેરફાર થયો કે એમાં તમે જુદા ને હું જુદો, બસ થઈ રહ્યું ! આપણે છીએ એવું ગમ્યું નહીં બોલવાનું. આ કલ્પિત નથી વસ્તુ !
આપણે શુદ્ધાત્મા છીએ ને આ કર્મ છે. તે કર્મ એ વસ્તુ છે તે પરિસ્થિતિ છે. તે બદલાયા કરે. તે આપણે ‘તમે જુદા ને અમે જુદા' બોલીએ, તેથી કરીને આપણને અસર ના થાય. કર્મ કર્મનો ભાગ ભજવ્યા કરે. પણ અસર ના થાય, અન્ઇફેક્ટિવ અને પેલું માથું મારીએ તો કંઈ સુધરતું નથી એ, આપણું જે સુખ હોય તે અંતરાય છે ઊલટું. માથું મારવાની ટેવ પહેલેથી પડેલીને, તે હજુ જતી નથીને ! આપણે હવે આ ટેવ પાડવી જોઈએ, ‘તું જુદો, હું જુદો. હું તને છે તે પાછળ હેલ્પ(મદદ) કરીશ.' એવું કહીએ.
પ્રજ્ઞા પાડે જુદું ! પ્રશ્નકર્તા: અંદરથી આ વાર્તાલાપ થાય, એ પણ પ્રતિષ્ઠિત આત્મા જ કરેને ?
જ્યારે સફીકેશન-ગૂંગળામણ થઈ જાય, તો કહેવું, ‘હોય મારું'. જો કે સફોકેશન બહુ નુકસાન નથી કરતું, પણ સુખ આવતું અટકી જાયને ! જે આપણું નથી, તેને આપણે કેમ કહેવાય જુદું પાડ્યા પછી ? નહીં તો પહેલાં કહેતા હતા જ ને, “આ મારું, આ મારું.’ ‘આ મારું” ન્હોતા કહેતા ? હવે જે આપણું નથી એ નક્કી કરેલું એટલે પછી એ “આપણું ન્હોય’ એમ કહી દીધું કે તે ઘડીએ છુટું. કો'કને માટે મહીં ગુસ્સાના પરમાણુ આવ્યા હોય ચંદુભાઈને, તે ઘડીએ તમે કહો “મારું હોય’ તો એની મેળે ટાટું પડી જાય તરત. પણ તમને અસર તો ના થાય. વખતે ઊકળે તોય તમને અસર ના થાય. જે પોતાનું નથી એને નથી પોતાનું કહેવાનું, જ્યારે આ લોકો તો પોતાનું નથી તેને પોતાનું કહે છે. આપણે નથી તેને નથી કહીએ છીએ અને જે પોતાનું છે એને છે કહીએ છીએ. એ આપણે સીધેસીધી ડાયરેક્ટ વાત કરીએ છીએ.
તોડવો પડે જગ આધાર ! પ્રશ્નકર્તા : આપે એક વખત કહ્યું'તું કે નિશ્ચિંત અને નિર્ભય ના થાય તો આપેલો આત્મા ય જતો રહે.
દાદાશ્રી : એ તો એમાં પડી રહ્યું જ નહીંને ! એ આપણે ત્યાં બને નહીં. પણ વસ્તુસ્થિતિમાં પ્રયોગ કરવા જોઈએ કે અનાદિકાળથી આ સંસાર શેના આધારે ઊભો રહ્યો છે? જે આધાર હજૂ તૂટ્યો નથી. એટલે એનો આધાર તોડ તોડ કરવો પડે. આપણું જ્ઞાન લીધા પછી શું તોડ તોડ કરવું પડે ? જેના આધારે આ જગત ઊભું રહ્યું છે, સંસાર ઊભો રહ્યો છે એ આધાર તોડવો જોઈએ. હવે કેટલાકને આધાર તૂટી જાય છે અને કેટલાકને આધાર ઊભો રહેલો છે. તે આધાર તોડ તોડ કરવાનો છે, બીજું કશું છે નહીં.
દાદાશ્રી : આ પેલું જે પ્રજ્ઞા સ્વરૂપ છે ને, એ પ્રજ્ઞા બધું કામ કરી જ લે છે. આત્માને કશું કરવું પડે નહીં. જ્યાં સુધી અહીં સંસારના કર્મ સ્વરૂપ છે, ત્યાં સુધી પ્રજ્ઞા છે. કર્મ સ્વરૂપ પૂરું થઈ ગયું કે પ્રજ્ઞા બંધ થઈ ગઈ. ત્યાં સુધી પ્રજ્ઞા કહી દે, કે ‘ભાઈ, તમે જુદા ને અમે જુદા, આપણે કંઈ લેવાદેવા નહીં.”
પ્રશ્નકર્તા : એ કર્મોની ઇફેક્ટ પણ અરુચિકર ઘણી થઈ જાય છે.
દાદાશ્રી : એ તો તમે એને અડવા દો એટલે અરુચિ થાયને ! હંમેશાંય એનો સ્પર્શ થાય એટલે તરત એને આપણે કહીએ કે “મારું