________________
ચાર્જ-
ડિસ્ચાર્જ
૨૩૯
૨૪૦
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
એમ થાય છે કે આ ખોટું છે, તો એ ઇફેક્ટને નિર્જરા થવા દેવી ?
દાદાશ્રી : ના, એ તે વખતે નિર્જરા થયા કરે છે. એ નિર્જરા થાય છે બધી વસ્તુની, એમાં કંઈ પુરુષાર્થ નથી. “ખોટું છે એવું માને તો ય નિર્જરા અને ના માને તો ય નિર્જરા છે.
પ્રશ્નકર્તા એટલે માનો કે હું પાંચ ડૉલર કોઈના ખિસ્સામાંથી લઈ લઉં છું, એ ઇફેક્ટ થઈ રહી છે. હવે આપણને એમ લાગે છે કે આ ખોટું છે, તો પાંચ ડૉલર લેવા અને ઈફેક્ટને નિર્જરા થવા દેવી અગર તો પાંચ ડૉલર નહીં લેવા અને.... ?
હિસાબ ચૂકતે ના થાય. આપણને ખબર પડે કે ના પડે કે આ અતિક્રમણ થઈ ગયું ?
પ્રતિક્રમણથી ભૂંસાય ડિઝાઈત ! આ જન્મની ઇફેક્ટને લઈને જરાક કચાશ રહ્યા કરે. એકદમ ઇફેક્ટ બદલાય નહીં ને એની ! આદત હોય ને, તે એકદમ સુધરે ?!
પ્રશ્નકર્તા : આપણે ઇફેક્ટ જે ભોગવીએ, ત્યારે કોઈક વાર એમ થાય ખરું, કે આ મારાથી થઈ ગયું.
દાદાશ્રી : ના, એ તો થાય તો ખરું પણ એ તો તરત જાણીએને મારાથી એટલે કોનાથી ? ત્યારે કહે, ‘ચંદુભાઈથી થયું. એ વખતે ખબર તો હોય ને ! મારો કયો ભાગ ને ચંદુભાઈનો કયો ભાગ ?!
પ્રશ્નકર્તા : પણ હવે જે બેડ ઇફેક્ટ થાય, તો.... ?
દાદાશ્રી : એ થાય જ, ઇફેક્ટ તો થાય ને પણ ! એ ઇફેક્ટને જાણે પોતે કે આ ઇફેક્ટ થાય છે અત્યારે ચંદુભાઈને. ઠેઠ સુધી એ જાણકાર રહે છે પોતે.
પ્રશ્નકર્તા : પણ એ સારી-ખોટી જે ઇફેક્ટ થાય છે, હવે એ વ્યવહારની દ્રષ્ટિએ એમ લાગે કે આ ખોટું છે, તો...
દાદાશ્રી : “ખોટું છે” એમ લાગે, એ તો પણ ચંદુભાઈને લાગે છે ને, વ્યવહાર દ્રષ્ટિથી છે અને એ ય જાણે કે ‘આ ખોટું છે'.
પ્રશ્નકર્તા : બરાબર. એ આપણે જાણીએ બધું, પણ છતાં એને ભાવ કરીને, એ ઇફેક્ટને સ્ટોપ કરવાની કે નિર્જરા થઈ જવા દેવાની ?
દાદાશ્રી : ના, આ “આપણી હોય’ એટલો ખ્યાલ રહેવો જોઈએ. એ ખ્યાલ ના રહેતો હોય તો એને કહેવું કે ‘આપણું હોય', એટલે છૂટું જ.
પ્રશ્નકર્તા : મારું કહેવાનું શું કે ધારો કે હું ચોરી કરું છું, હવે આપણે જાણીએ કે ઇફેક્ટ છે કે પૂર્વભવને લીધે થઈ, પણ એ ચોરી કરતાં આપણને
દાદાશ્રી : એ શું બને છે એ જોવું. નહીં લેવા કે લેવા, એનો નિશ્ચય નહીં કરવાનો આપણે. લેવાઈ જાય તો ય નિર્જરા અને ના લેવાઈ જાય તો ય નિર્જરા.
પ્રશ્નકર્તા : હવે આપણે જે ચોરી કરીએ છીએ, ત્યારે જે અંદર ભાવ થાય છે કે આ ચોરી નહીં થવી જોઈએ, તો એ પુરુષાર્થ કહેવાય ?
દાદાશ્રી : ના, એ તો આત્મા ના મળ્યો હોય તો એ પુરુષાર્થ કહેવાય. આત્મા મળ્યા પછી નિર્જરા, ઇફેક્ટ છે એ. પણ પસ્તાવો થાય તો સારું કે એ ડીઝાઈન જલ્દી ભૂસાઈ જશે. નહીં તો ડીઝાઈન ભૂસાશે નહીં, પસ્તાવો નહીં થાય ત્યાં સુધી. એટલે પ્રતિક્રમણ કરવાથી ફાયદો થયો.
ભોળાં કર્મો તો ભોગવટો હળવો !
પ્રશ્નકર્તા : દાદા, તમે એક વાત કરી કે તમારે જે ભોગવવાનું છે એ અત્યારે જ ભોગવી લો છો એટલે નિર્જરા થાય. હવે અમારે લોકોને સંસારમાં રહેવાનું. આ કંઈક વાગ્યું કે માથું દુ:ખ્યું તો તરત ગોળી લઈ અને પાછાં કામ પર જઈએ, તો એ નિર્જરા કહ્યું કહેવાય કે એ ભોગવવાનું રોકી રાખ્યું કહેવાય ?
દાદાશ્રી : ના. નિર્જરા થઈ કહેવાય. દવા મળી તોય નિર્જરા, દવા ના મળી ને પાંચ દહાડા મોડું કરીએ તો ય એ નિર્જરા. દવા માટે હાયવોય