________________
ચાર્જ-ડિસ્ચાર્જ
૨૨૯
બાંધે બાઉન્ડ્રી પરિગ્રહતી ! વાત સમજવાની છે. આપણો વ્યવહાર રહ્યો ટૂંકો. હવે પેલું તો આખા જગત જોડે વ્યવહાર રાખે. કારણ કે એણે હજુ લિમિટ બાંધી નથી ત્યાં સુધી શું થાય ? તેથી જૈન શાસ્ત્રો લિમિટ બાંધી આપે છે કે ભઈ, તને જ્ઞાન ના હોય પણ લિમિટ તો બાંધજે કે આટલી હદની બહાર મારે નીકળવું નથી. એટલે એટલામાંથી જ તારો હિસાબ બંધાશે. નહીં તો આ તો એ આખી દુનિયા જોડે ફેલાવો જ રહ્યા કરે અને આપણી તો આ લિમિટ આવી ગઈ. ડિસ્ચાર્જની લિમિટ આવી ગઈ કે આટલાં જ.
પ્રશ્નકર્તા : બસ, આ પૂર્વનાં જે બાકી છે એ. દાદાશ્રી : હં. એ પરમાણુનો નિકાલ કરવાનો છે.
પ્રશ્નકર્તા : તો આ પરિગ્રહને સંકોચવો એ લિમિટ કે પરિગ્રહની મર્યાદા બાંધવી ?
દાદાશ્રી : બધુંય ડિસ્ચાર્જ છે. પરિગ્રહ વધારવો તે ય ડિસ્ચાર્જ અને પરિગ્રહની મર્યાદા કરવી તે ય ડિસ્ચાર્જ અને અપરિગ્રહી રહેવું તે ય ડિસ્ચાર્જ. કારણ કે અપરિગ્રહી રહેવાનો જે ભાવ કર્યો હતો, તેથી અપરિગ્રહી આવ્યું. પણ એ ય ડિસ્ચાર્જ છે, એ ય છોડી દેવું પડશે. એ ય ત્યાં મોક્ષે ના આવે કંઈ જોડે. એ તો જે સ્ટેશને એ હેલ્પ કરતું હોય તે સ્ટેશને હેલ્પ કરે, આ સ્ટેશને હેલ્પ કશું કરે નહીં. આ સ્ટેશને તો તારે એનો ઉકેલ લાવવાનો છે. એને સોલ્વ કરી નાખવાના છે બધાને.
૨૩૦
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) ડિસ્ચાર્જ એને કૉઝીઝ લાગે છે અને કહેશે, ‘આવું કેમ વર્તન કરો છો ?” અલ્યા મૂઆ, અમને ભય નથી લાગતો ને તને શાનો ભય લાગે છે ? અને લાગે તો દાદાને ભય લાગે કે, ભઈ, આ બધાં મારા ફોલોઅર્સ આવાં કેવા છે ?! પણ હું તો જાણું છું કે આ જે માલ ભરેલો છે તે નીકળે છે. નવો ક્યાંથી કાઢવાનો છે ?
જ્ઞાત પછી અહંકારેય તિઅહંકારી ! પ્રશ્નકર્તા: આપણા જ્ઞાનના હિસાબે આપણું ડિસ્ચાર્જ છે એમ કહીએ તો એની આડ લઈને છટકી તો ના જવાય ને ?
દાદાશ્રી : છટકી જવાય એવું રાખ્યું જ નથી. શંકાસ્પદ રાખ્યું જ નથી.
પ્રશ્નકર્તા : હું શંકાસ્પદ નથી કહેતો. હું શું કહું છું કે, એમાં પણ એક જાતનો અહંકાર નથી થઈ જતો કે આ મારું તો ડિસ્ચાર્જ છે.
દાદાશ્રી : ના, એવું નથી. એ એમ નિર્અહંકાર છે ! એ અહંકાર છે ને તે ય નિર્અહંકાર છે.
પ્રશ્નકર્તા : આપને જ્ઞાન તો બરાબર છે, પણ અમારી બધા મહાત્માઓની શું હાલત છે એમાં ?
દાદાશ્રી : એમની સરસ હાલત છે, હાઇક્લાસ હાલત છે. હું તપાસ કરું પાછું, બધું મારી ઝીણવટથી તપાસ કરું, ના, પણ બહુ સરસ હાલત છે. પછી મહીં અમુક કાચા ય પડે ! એ તો મારે તપાસ કરવાની જ.
ડિસ્ચાર્જ એટલે ડિસ્ચાર્જ, પછી ભાંજગડ જ શાની ? જે અહંકાર કરે છે તેય અહંકાર નથી, એ ય ડિસ્ચાર્જ છે.
પ્રશ્નકર્તા : એમ જો જોઈએ, વાસ્તવિકતામાં જોઈએ તો બધે જગત આખામાં ડિસ્ચાર્જ છે ને !
દાદાશ્રી : ના, એ ડિસ્ચાર્જ હોય ! એ ચાર્જ વત્તા ડિસ્ચાર્જ.
આમાં ભય કોને ?
એટલે આ દુનિયામાં બધું ડિસ્ચાર્જ છે. હવે ડિસ્ચાર્જની ખોડ કાઢવી, એમાં કશો સ્વાદ નહીં આવે. ડિસ્ચાર્જની ખોડોથી તો આ જગત ઊભું રહ્યું છે. જેને તમે પરિણામ કહો છો, તેને જગત કૉઝીઝ કહે છે અને તેથી જ જગત ગૂંચાઈ રહ્યું છે. અને “આ તમે જ કર્યું” કહેશે અને તમે કહો કે “ના, આ પરિણામ છે, આ ડિસ્ચાર્જ છે.” એટલે તમને ભય નથી. તમારા