________________
૨૨૮
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
કે આ ના થયું, તો ઊભું કરવું આપણે. એટલે એવું કહેતો હતો, ઉપરથી બોલાવો, ‘આવો પધારો’ કહીએ, એટલે એની કાળજી રાખવી.
વાત છે ઘણી ઝીણી ! પ્રશ્નકર્તા : પણ ચોવીસેય કલાક તો એવું રહેતું નથી કે ‘હું શુદ્ધાત્મા છું'.
દાદાશ્રી : નહીં, ચોવીસ કલાકમાં એક મિનિટ પણ ઓછી નથી થતી. એક ફેરો નક્કી થઈ ગયા પછી પોતાનું નામ ભૂલી ગયા હોય તો ય શું થઈ ગયું ? તો ય તે કંઈ બીજું નામ ધારણ કરે નહીં એ. ચોવીસેય કલાક તું શુદ્ધાત્મા જ છું.
પ્રશ્નકર્તા : એટલે આ બહુ ઝીણી વાત છે આપની. ઘડીકમાં ખ્યાલમાં આવે એવું નથી. આ સમજવા જેવી વાત છે.
ચાર્જ-ડિસ્ચાર્જ
૨૨૭ દાદાશ્રી : ના. એવું કશું નહીં. ડિસ્ચાર્જ તો ફાઈન ને ના ફાઈન બન્ને ય આવે. એવું કશું નહીં. ડિસ્ચાર્જ જે પહેલાંનું ચાર્જ ખોટું કરેલું, તે બધું અત્યારે ખોટું આવે. તે એનું પસ્તાવો કરીને ધોઈ દેવાનું.
પ્રશ્નકર્તા : પહેલાં એટલે આ જિંદગીમાં કે બે-ત્રણ-ચાર જિંદગી પહેલાંનું પણ હોય ?
દાદાશ્રી : પાછલી એક જ જિંદગીનું અને ત્યારની આપણી ભૂલો હોય તેનું ડિસ્ચાર્જ ક્યારેક ખોટું ય આવે ને સારું ય આવે. આપણાં બ્લેડર્સ હોય તો ખોટું પરિણામ પણ આવે. હવે નવેસર ખોટું ના થાય, પણ જૂનું ખોટું હોય તે તો આવે ને ? એટલે ડિસ્ચાર્જ સારું ય આવે ને ખરાબે ય આવે. નિકાલ કરી નાખવાનો.
હે કર્મો ! આવો, પધારો ! પ્રશ્નકર્તા: દાદાનું જ્ઞાન લીધા પછી કેટલાક વ્યવહારના જે ડિસ્ચાર્જ હોય છે એ ગમતા નથી હોતા, તો એને કઈ રીતે મનાવવું?
દાદાશ્રી : એ ગમતા હોય તે આપણા, તો ના ગમતા હોય તે પારકાં ? ના ગમતા ને ગમતા આ બેઉનો સમભાવે નિકાલ કરવાનો અને ના ગમતા હોય તેને તો ઉપર અગાસીમાં જઈને બુમ પાડવી, કે ‘બધાં આવો ભેગાં થઈને.” બાકી ચિંતા ન કરવાની નહીં ચાર્જની તો.
પ્રશ્નકર્તા : તમે બોલ્યા હતા કે ડિસ્ચાર્જની ચિંતા ના કરવી કોઈએ.
દાદાશ્રી : આ ડિસ્ચાર્જને આ લોકો શું કહે છે ? “કેમ મને આમ થાય છે, તે આવું હજુ આ ક્રોધ થાય છે, એવું થાય છે. અરે મૂઆ, આ તો ડિસ્ચાર્જ થયું, તે સારું થાય છે. એ જ ડિસ્ચાર્જ ના થાય, તો તેની ભાંજગડ છે. આપણે એમ કહીએ છીએ કે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે ત્યારે તમે છે તે કંટાળો છો. તો આપણે તો ખરી રીતે તો ડિસ્ચાર્જ વહેલામાં વહેલું થઈ જાય એવું રાખવું જોઈએ એવું કહેવા માગીએ છીએ. એટલે ડિસ્ચાર્જ થાય છે તે ઊલટું આપણને ખુશી થવી જોઈએ કે ઓહોહો ! બહુ સારું થયું. જલદી નીકળી ગયું. ના થતી હોય તેની ઊલટી ભાંજગડ કરવી જોઈએ
દાદાશ્રી : સમજવું પડે ને ! એટલા હારું તો અહીં બેસી રહે છે. તમારે સમજવાની ઇચ્છા હોય તો હું તૈયાર છું. વાત બહુ ઝીણી છે અને સરળ છે, સહેલી છે.
ચાર્જ કરનાર કોણ હોય કે જ્ઞાન લીધા પહેલાં જે છે તે હું ચંદુભાઈ જ છુંએવું માનતા હતા. આપણે કહીએ કે, “ના, તું ચંદુભાઈ નથી. તું શુદ્ધાત્મા છું જ.' તો ય કહેશે, “ના, હું ચંદુભાઈ જ છું.” એ ચાર્જ કરનારો હતો. એ ચાર્જ કરનારો ચાલ્યો ગયો અને ડિસ્ચાર્જ કર્મ એની મેળે થયા કરે. ડિસ્ચાર્જ કરનારો ય રહ્યો નથી, એ ડિસ્ચાર્જ કરનારો જે છે તે વ્યવહાર ચંદુભાઈનો.
તે ડિસ્ચાર્જ સ્વભાવથી થઈ રહ્યું છે. પાણી ગરમ કરવું એ ચાર્જ કર્યું કહેવાય. અને પછી એ ગરમ પાણીની ટાંકી ઠંડી કરવી હોય તો આપણને કોઈ પૂછે કે “સાહેબ, મારે શું ઉપાય કરવાનો ?” ત્યારે કહે, “ના, તું સૂઈ જા બા. એ સ્વભાવથી જ એની મેળે ઠંડું થઈ જશે.” ડિસ્ચાર્જ એવું આપણે કહેવા માગીએ છીએ.