________________
ચાર્જ-ડિસ્ચાર્જ
૨૨૫
ન્યાય ? એમ કહે છે કે આ છૂટ્યો ને એય છૂટ્યો. આ એના ચાર્જ કરેલાં ભાવમાંથી છૂટી ગયો. એણે આવું ચાર્જ કર્યું તે એવામાંથી છૂટી ગયો. એ બન્ને છુટી ગયાને ? સાતે ગુમ્યા હોય. નવથી ભાગીએ તો ના ભગાય. એ તો સાતે જ ભાગીએ તો જ ભગાય.
પ્રશ્નકર્તા : એટલે દાદા એ જ્ઞાનથી પોતે અલિપ્ત રહે છેને ? એનાથી નિર્લેપ રહે છે એ !
દાદાશ્રી : હા, પણ છે જ નિર્લેપ પછી, નિર્લેપ છે, અસંગ છે પણ આ આય જોડે જોડે ખરુંને ! હિસાબ ચૂકતે થતા જાય. પણ અપમાન ચાર્જ કરેલા. તે ડિરચાર્જ અપમાન કરીને જ ઊડી જાયને ? માનના કરેલા ચાર્જિગ એ માને કરીને જ ઊડે. આ બેને ઊડાવવા માટે, એ તો નિકાલ કરવાં પડેને ?
પ્રશ્નકર્તા : પણ દાદા, જે અપમાન કરે છે, એના મનમાં ભાવો શું રહેવા જોઈએ ?
દાદાશ્રી : અપમાન કરે એટલે એના એ પ્રતિક્રમણ કરે. પોતે ચંદુભાઈને કહે કે “અતિક્રમણ કેમ કર્યું, પ્રતિક્રમણ કરો.’ અને પેલું સારું કર્યું હોય, તેનું પ્રતિક્રમણ કરવું નથી પડતું !
તેથી જ તો થયા તાિ ! પ્રશ્નકર્તા : એ ચાર્જ છે કે ડિસ્ચાર્જ છે, એની કંઈ ભેદરેખા ખરી ?
દાદાશ્રી : ખરીને ! ચાર્જ અહંકારથી થાય. અહંકાર વગર ચાર્જ ના થાય.
પ્રશ્નકર્તા : કેટલીક વખતે ખ્યાલ ના આવે.
દાદાશ્રી : ના, પણ હવે તમને ચાર્જ થાય જ નહીં ! ખ્યાલ હોય કે ના હોય !
પ્રશ્નકર્તા : જાગૃતિ ના રાખીએ તો ય ચાર્જ તો ના થાય ને ?
૨૨૬
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) દાદાશ્રી : ચાર્જ ના થાય. પણ એના એ જ કર્મો પછી જોડે આવે, પાછાં આવે. જેટલાં જેટલાં કર્મોનો નિકાલ ના કર્યો, એ સ્ટોકમાં રહ્યા. પણ કર્મ ચાર્જ ક્યારે થાય કે તમે “હું ચંદુલાલ છું એવું નક્કી થાય ત્યારે પાછું ફરી ચાર્જ થાય. અત્યારે “હું શુદ્ધાત્મા છું' એ નક્કી છે ને વ્યવહારથી ચંદુલાલ છે ને, એટલે ચાર્જ ના થાય.
પ્રશ્નકર્તા : એ શબ્દોથી કહેવાય, પણ સમજણથી પૂરું પકડાતું ના હોય તો ?
દાદાશ્રી : પકડાય કે ના પકડાય એ અમારે જોવાનું નહીં. અમારે તો કરાર શું થયો એટલું જ જોવાનું હોય. એ કરાર એનું ફળ આપ્યા જ કરશે. કરાર તમે કર્યા પછી તમે વાંકા ચાલો કે સીધા ચાલો, અમારે શું જોવાની જરૂર ?
પ્રશ્નકર્તા ઃ તો તો બધા નફીકરા થઈ જાય. દાદાશ્રી : થઈ જ ગયા છે ને ! કોઈને ય ચિંતા જ ક્યાં છે તે ?!
પ્રવૃતિમાં ય તિવૃતિ ! ડિસ્ચાર્જ એટલે આ પાંચ ઇન્દ્રિયોનું જે બધું કાર્ય થાય છે, એ પાંચ ઇન્દ્રિયો પોતે જ ડિસ્ચાર્જ સ્વરૂપે છે અને એનાથી જે જે કાર્યો થાય છે. એ બધું ડિસ્ચાર્જ સ્વરૂપે છે. એટલે અમે ‘વ્યવસ્થિત કહ્યું.
એટલે આ દેખાય છે તે આખો દહાડો કામ કરે છે ને, છતાંય આપણને ચાર્જ થતું નથી. પ્રવૃત્તિમાં નિવૃત્ત રહે છે અને લોકોને તો નિવૃત્તિમાં ય પ્રવૃત્તિ. ઘેર જઈને નિરાંતે બેઠાં હોય ને સૂઈ ગયા હોય, ત્યારે મહીં સહેજ મન ચંચળ થયું એ પ્રવૃત્તિ ચાલુ થઈ. એટલે નિવૃત્તિમાં પ્રવૃત્તિ રહે છે અને આપણને પ્રવૃત્તિમાં નિવૃત્તિ રહે છે. કયું સારું? એટલે ચાર્જ નથી થતું, ડિસ્ચાર્જ એકલું રહે છે ! ડિસ્ચાર્જ એટલે જેટલો હિસાબ ચોક્કસ ગોઠવાયેલો છે એટલો જ ભોગવવાનો, બીજો વધારે નહીં.
પ્રશ્નકર્તા : જે ચાર્જ કરે એ બધું ફાઈન કરે, તો એ સાચી વાત કે એને ડિસ્ચાર્જ બધું ફાઈન આવે ?