________________
ભરેલો માલ
૨૧૭
૨૧૮
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા: આ ‘ખરી પડે' જે કહ્યુંને, એ શબ્દ મને બહુ ગમ્યો. એવો વિચાર કરું છું કે કેટલો સહજ ભાવ છે, “ખરી પડે’ એમાં !
દાદાશ્રી : અને ‘ખરી પડે’ ત્યાં સુધી તમારે “જોયા’ કરવું પડે. પ્રશ્નકર્તા : પ્રયત્નો નહીં કરવાના.
દાદાશ્રી : નહીં. ડખોડખલ જ નહીં. પ્રશ્નકર્તા : એટલે એનો યોગ્ય સમય આવશે ત્યારે ખરી પડશે ?
દાદાશ્રી : એની મેળે જ ખરી પડશે. ભલેને, લોક આમનું બોલવું હોય તો આમ બોલે ને તેમનું બોલવું હોય તો તેમ બોલે. પણ આપણે જો ડખો કરીએને, તો બધું ડખલ થઈ જશે.
પ્રશ્નકર્તા : પણ દાદા, તમે ઝાડના મૂળિયાની અંદર પેલી દવા મૂકી આપી છે ને, એટલે પાન-બાન દેખાય પણ બધાં ખરતાં ને ખરતાં રહ્યાને ! હવે તો ધીરે ધીરે અમારાં બધા કબાટો ખાલી થઈ જશે.
પ્રશ્નકર્તા : એ તો આપે દાખલો આપ્યો છે ને કે અડધા ઇંચની નળી સામે આંગળી રાખો તો રહે, પણ દોઢ ઇંચના પાઈપ સામે ન રહે.
દાદાશ્રી : કો'કને પાંચ ઇંચની હોય તો શી રીતે રહે ? એવું આખો દહાડોય ના રહે. પણ તોય સત્સંગમાં પડી રહેવાથી એ બધું ખાલી થઈ જશે. કારણ કે જોડે રહેવાથી, અમને જોવાથી અમારી ડિરેક્ટ શક્તિઓ પ્રાપ્ત થાય, એટલે જાગૃતિ એકદમ વધી જાય !
પ્રશ્નકર્તા થઈ ગયા પછી જોવાય છે, પણ જ્યારે થતું હોય છે ત્યારે એટલી જાગૃતિમાં નથી રહેવાતું કે ત્યારે ને ત્યારે પણ જુદાપણું દેખાય.
દાદાશ્રી : મહીં તે ઘડીએ જુદાપણું જોતા હતા, પણ આ જે કર્મોનો ધક્કો વાગ્યો એટલે ખસી ગયું.
| વિચારો ય ભરેલો માલ મનમાં ખરાબ વિચાર આવે તે ય સંયોગ ને સારો વિચાર આવે તે ય સંયોગ. ખરાબ ને સારા તો આ લોકોએ નામ પાડ્યાં છે. ભગવાનને ત્યાં એવું કશું છે નહીં. એ જોય છે અને તમે જ્ઞાતા છો. તમારે જોયા કરવાનું કે ખરાબ વિચાર આવે છે. આ ભાઈને માટે સારા વિચાર આવે તે ય શેય છે. સાઠ વર્ષે ય પૈણવાનો વિચાર આવે. એને ય નિકાલ કહ્યો. પૂરણ કર્યું'તું એ ગલન થાય છે. ગલન થતી વખતે આપણે નિકાલ કરવાનો.
પ્રશ્નકર્તા : દાદા, સાઠ વર્ષે ઉદય આવે તો લગ્ન કરી લેવા કે વિચારોને ખાલી જોયા કરવાનું, ખાલી જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું !
- દાદાશ્રી : હવે ભરેલો માલ, એટલે આપણે જોયા કરવાનો કે શું ઘાલેલો છે. આ માલ ? આ સાઠ વર્ષે આવું ઢેડફજેતા જેવી વાત કહે મહીંથી ! એટલે એ ભરેલા માલ પર રાગ-દ્વેષ નહીં કરવો અને અજ્ઞાની ભરેલો માલ જ્યારે ખાલી થાય છે ત્યારે રાગ-દ્વેષ કરે છે, તેથી નવો ભરાય છે. એટલે આ ભરેલો માલ આશ્રવ થઈને એ ખાલી થવાની તૈયારી કરે છે અને નિર્જરા થઈ ગઈ, એ ખાલી થઈ ગયું કહેવાય. એ અરસામાં
દાદાશ્રી : હા. એટલે કબાટ તો બધાં ખાલી જ થઈ જવાનાં ને ! તે આપણને મોક્ષે જવાની ઇચ્છા થઈ એટલે આ સંસારભાવ તૂટ્યો, એની મેળે જ તુટ્યો. આપણે અહીંથી મામાની પોળ જવું છે, એ તરફ ગયા એટલે આપણે ટાવર તરફ નહીં જઈએ, એ નક્કી થઈ ગયું. એટલે આ બાજુ મોક્ષ ભણી વળ્યો એટલે પેલો ત્યાગ જ થઈ ગયો, ભાવત્યાગ જ વર્યા કરે. એટલે એની મેળે ખરી પડવું જોઈએ. ‘ખરી પડવું' શબ્દ સમજ્યા તમે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : મૂર્છા ના હોયને એટલે ભરેલો માલ બધો ખરી પડે. એનો કાળ આવે એટલે ખલાસ થઈ જાય !
પ્રશ્નકર્તા: દાદાજી, એ પાછો પ્રશ્ન આવે કે અજાગૃતિ કેમ થઈ જાય ? દાદાશ્રી : પણ થઈ જાયને, પેલો ફોર્સ વધારેને !