________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
તમે ‘સમભાવે નિકાલ કરવાનું' નક્કી કરશો તો તમારું બધું રાગે તે એની મેળે બધો નિવેડો લાવી આપશે.
પડશે. એ શબ્દમાં જાદુ
૧૬૩
પ્રશ્નકર્તા : સમભાવે નિકાલ કરવો એટલે સામી વ્યક્તિ જે કંઈ કહે
એ હા એ હા કરવું ?
દાદાશ્રી : એ કહે કે અહીં બેસો તો બેસીએ. એ કહે કે બહાર જતાં
રહો, બહાર જતાં રહીએ. એ વ્યક્તિ કંઈ નથી કરતી, આ તો વ્યવસ્થિત કરે છે. એ તો બિચારી નિમિત્ત છે ! બાકી હા એ હા કરવાની નહીં, પણ ચંદુભાઈ શું હા કહે છે કે ના કહે છે, એ ‘આપણે’ જોવું ! પાછું હા એ હા કરવી એવું કંઈ તમારા હાથમાં સત્તા નથી. વ્યવસ્થિત તમને શું કરાવડાવે છે એ જોવું. આ તો સહેલી બાબત છે, એને લોકો ગૂંચવે છે.
પ્રશ્નકર્તા : પણ સામો માણસ છૂટા થવામાં રાજી હોય તો આપણે છૂટા થવું ?
દાદાશ્રી : એ તો સારો કહેવાય, ઘણો સારો કહેવાય. બીજી જગ્યાએ તો મારી મારીને દમ કાઢી નાખે ! તમને માર્યા તો નથીને ?! તો બહુ સારું ! મારા તો ધન્યભાગ્ય કહીએ !
પ્રશ્નકર્તા : પછી એ તો એમને એમની રીતે રહેવું હોય. દાદાશ્રી : તમે કલ્પનાઓ શા માટે કરો છો કે એ આવું કરશે ? પ્રશ્નકર્તા : એ કરી જ રહ્યા છે, એને અનુભવી જ રહ્યા છીએ.
દાદાશ્રી : નહીં. અનુભવ થાય છે, તોય તમારે કલ્પના નહીં કરવાની. આ કલ્પનાથી જ બધું ઊભું થયું છે, ગાંડું ! બિલકુલ સીધું છે અને સમભાવે નિકાલ કરવાની અમારી આજ્ઞા પાળેને, તો એક વાળ જેટલી મુશ્કેલી નથી આવતી અને તે બધાં સાપની વચ્ચે હઉ ! અને આ તો એ સાપણ હોય, એ તો સ્ત્રી છેને ?! અને કશું નથી, આ તો તમે જ આ બધું ચીકણું કર્યું છે !
કળાતી નહીં, નિશ્ચયતી જરૂર !
જીવન જીવવાની કળા જાણવી પડે !
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : દાદા, તો પછી સમભાવે નિકાલ કરવામાં અમુક કળા પણ જોઈએ એવું થયુંને !
૧૬૪
દાદાશ્રી : એ કળા નહીં હોય, તો પણ એવું બોલશે તોય એને કળા આવડી જશે પછી. એટલું બોલેને ‘દાદાની આજ્ઞા પાળવી છે !’ પછી કળા
નહીં આવડતી હોય તોય આજ્ઞા પાળે છે માટે આવડશે.
પ્રશ્નકર્તા : પણ એ પૂરેપૂરું નિકાલ ના થાયને, આવી રીતના કળા સાથે એડજસ્ટમેન્ટ જો ના આવડ્યું તો ?
દાદાશ્રી : વળી કળા ક્યાંથી હોય તે આ કાળમાં ?! જીવતાં જ નથી આવડતું તો ત્યાં કળા ક્યાંથી આવડે ?! આ બધી સ્ત્રીઓ મારી પાસે આવે છે અને કહેશે, આ ધણીની પરીક્ષા લો જોઈએ. તો લાખોમાં બેત્રણ પાસ થાય, તેમાં નિષ્પક્ષપાતી લઉં તોય ! ધણી થાય તો કકળાટ કેમ થાય છે ? મતભેદ કેમ પડે છે ? મતભેદ પડે છે, માટે તને ધણી થતાં આવડતું નથી.
આ તો સમભાવે નિકાલ કરવાનો કહ્યો, એનો અર્થ એટલો જ કે જે પૈણ્યા છો, એને તો ઉકેલ લાવવો જ પડેને ! અને તેય છે તે છૂટકારો થાય તો એના જેવું ઉત્તમ એકુંય નથી ! છૂટકારો તો કરવો જ પડશેને જ્યારે ત્યારે ! ત્યાં સુધી નવમું ગુંઠાણું (સંપૂર્ણ બ્રહ્મચર્યનું) ઊંચકાય જ નહીંને ! ને નવમું ગુણસ્થાનક જાય નહીં ને દહાડો વળે નહીં ! છોકરાં જોડે તિકાલતો રાહ !
પ્રશ્નકર્તા : છોકરાંઓ ડિમાન્ડ કરે કે સ્કુટર લેવું છે, ટી.વી. લેવું છે. હવે વર્ષનો પગારેય એટલો ના હોય ! તો અહીંયા સમભાવે નિકાલ કેવી રીતે કરવો, દાદા ?
દાદાશ્રી : છોકરાંઓને કહીએ, લાવોને ! કમાઈને લાવો. મારે વાંધો નથી. હું મારી કમાણી પ્રમાણે લાવ્યો છું. તમે તમારું કમાઈને લાવો. મને વાંધો નથી. હું વઢીશ નહીં. પછી શું કર્યું ? બેંકમાંથી લોન
લીધી ?