________________
૧૬૪
આપ્તવાણી-૧૧
આપ્તવાણી-૧૧
૧૬૫ દાદાશ્રી : હા, પણ અહીં લઈ આવજો ને, તેડી લાવજોને પછી. ઊંધી શ્રદ્ધા બેસી ગઈ છે તે નીકળી જાય તો સારું ને ! ઊંધે રસ્તે દુઃખી થાય ને !
એવું નથી ?” ત્યારે કહે, “ચાલશે.’ તો પછી આપણે તરત સત્સંગમાં આવવું. એ કહે, “ના, ચાલે એવું નથી.” તો પછી આપણે ‘વ્યવસ્થિત’ કહીને પાછા જવું. એટલે ત્યાં ય દુર્થાન ના થાય, પેલા સાથે. વ્યવસ્થિત દુર્ગાનમાંથી બચાવે. રૌદ્રધ્યાન અને આર્તધ્યાનમાંથી બિલકુલ બચાવે એનું નામ વ્યવસ્થિત. તે બે ધ્યાન ગયાં, તેને જગતે ભગવાન કહેલો છે.
જે જાણીતી જગ્યા હોય ત્યાં સલામતી રાખવી આપણે. અને અજાણ્યાની સલામતી ‘વ્યવસ્થિત' સંભાળી લે છે. તમે જાણો એટલે સલામતી કરી લેવી અને અજાણ્યાની સલામતી વ્યવસ્થિત’ કરી લે છે. પછી બધું ‘વ્યવસ્થિત'ને સોંપી દેવું.
અજ્ઞાનતા પકડાવે ઊંધું !
આપણે સદ્ભાવના રાખવી સહુ કોઈની, આપણને ભેગો થયેલો એની, યોગ બેઠેલો હોય તો. કંઈ બધાને ઓછું સાચવવા જવાનું છે !
પ્રશ્નકર્તા: તો એને આ ભાઈ ઊંચકીને અહીં લાવે તો પછી એ તે વખતે એવું માને કે આ વ્યવસ્થિતમાં જ મને લઈ જાય છે !
દાદાશ્રી : એટલી સમજણ આવે ત્યારે તો સાચું જ ને !
પ્રશ્નકર્તા : અગર તો તમે ત્યાં જાવ એની પાસે ! તો ય વ્યવસ્થિત જ ને ?
દાદાશ્રી : હા. હું ત્યાં જઉં તો એનું ઊંધું વ્યવસ્થિત વધારે મજબૂત થઈ જાય. એને તેડી લાવ અહીં !
કોનું માનવું, મહતું કે વ્યવસ્થિતતું ?
પ્રશ્નકર્તા : મારો એક મિત્ર છે તે ‘દુનિયા વ્યવસ્થિત તંત્રથી જ ચાલે છે, અન્ય કોઈ બગાડી શકતું નથી’, એમ માનીને નોકરી છોડીને ઘેર બેસી રહે છે. કંપનીનો નોટિસનો જવાબ પણ આપતો નથી. કોઈના સમજાવાથી માનતો નથી. એટલું જ કહે છે કે જે બનવા કાળ છે તે બને જ જાય છે. પછી હું શું કરું ?
દાદાશ્રી : આ વ્યવસ્થિતનો દુરુપયોગ કહેવાય. પ્રશ્નકર્તા : આ બાબતમાં તેણે શું કરવું જોઈએ ? દાદાશ્રી : આવું કરાય જ નહીં. પ્રશ્નકર્તા : એ ભાઈએ “જ્ઞાન’ લીધું નથી.
દાદાશ્રી : હં... એ વ્યવસ્થિતનો અર્થ અવળો સમજી બેઠો છે ને! અને જ્યાં સુધી જ્ઞાન લીધું ના હોય ત્યાં સુધી વ્યવસ્થિત શબ્દ બોલાય જ નહીં.
પ્રશ્નકર્તા : એટલે હું જ્યારે કંઈ કહું તો એ આ વ્યવસ્થિત શબ્દ જ વાપર્યા કરે. એટલે આ શબ્દ કોઈ ઈન્દોરમાં કોઈ સંત મહારાજ પાસેથી શીખી લાવ્યા છે અને વાપર્યા કરે છે, ત્યારથી એમને આ મગજમાં એવું બેસી ગયું છે.
બે પ્રકારની ઈચ્છા હોય છે. વ્યવસ્થિતની ઈચ્છા હોય છે અને એક મનની ઈચ્છા હોય છે. વ્યવસ્થિતની ઈચ્છા સાચી.
પ્રશ્નકર્તા : એ ડિમાર્કેશન કેવી રીતે ખબર પડે કે આ વ્યવસ્થિતની ઈચ્છા છે અને આ મનની ઈચ્છા છે. પહેલા તો કેવી રીતે ખબર પડે ?
દાદાશ્રી : આપણે ના પાડીએ તો ય સંજોગો ભેગા થયા કરે એટલે આપણે સમજીએ કે વ્યવસ્થિતની ઈચ્છા છે.
પ્રશ્નકર્તા : એટલે પહેલા મનનું સાંભળવાનું જ નહિ, પછી જે આવે એ આવે.
દાદાશ્રી : આવે એ ખરું. મન જોય છે અને પોતે જ્ઞાતા છે. મનનું સાંભળવાનું હવે રહે નહીં. મનનું સાંભળતો હતો ત્યાં સુધી અજ્ઞાની હતો. અને મનના આધારે પોતે ચાલતો હતો. “મનકા ચલતા તન ચલે, તાકા