________________
આપ્તવાણી-૧૧
૧૫૯
અજાયબ આ શોધખોળ |
૧૬૦
આપ્તવાણી-૧૧ થાય છે. આપણે કશું કરવાનું નહીં. એમાં ઉદયકાળ આપણી પાસે જ્યારે સહી કરાવડાવે ત્યારે નિકાલ કરી નાખવાનો.
ક્રમિક માર્ગમાં માલ ખપાવી ખપાવી ને આગળ જવાનું, ત્યારે કહેશે, “કોઈકે બધો માલ ખપાવી દીધોને, તો ?” તો ય ભગવાને કહ્યું, ‘સમસરણ આવરણ જ્યાં સુધી છે, ત્યાં સુધી ગમે તેટલા ખપાવ્યા હશે તો ય ઊભા થશે'. શાનું આવરણ છે ? સમસરણ માર્ગનું આવરણ. ભગવાને શું કહ્યું કે ‘સમસરણ માર્ગનું આવરણ તૂટે અને કર્મ ખપે તો મોક્ષ થાય'. સમસરણ આવરણ દરેક જીવને હોય. અમે એ સમસરણ આવરણ તોડી નાખીએ. પછી કર્મો જુદા પડી જાય છે. સમસરણ અને કર્મો એ બેનો આંકડો છે. તમે કર્મ ગમે એટલા ખપાવો, પણ પેલો આંકડો તો એમ ને એમ જ છે. જ્યારે આપણે બેઉ વિભાજન જુદું કરી નાખ્યું. જેમ વડોદરા સ્ટેશન પર ચોવીસ ડબ્બા અને ઈજીન હોય પણ આપણે આંકડો કાઢી લીધો હોય તો ઈજીન ચાલ્યું જાય ને ડબ્બા પડી રહે ! એવું આ કુદરતી રીતે ઊભું રહ્યું છે. આ મારી આજની શોધખોળ નથી. આ જે શોધખોળ બની શકે એવી નથી. ધીસ ઇઝ બટ નેચરલ ! આ બધાના પુણ્યનાં આધીન બન્યું છે. નહીં તો આવું બની જ શકે નહીં ને ! મને એક કલાક મળ્યા પછી એ માણસ મને છોડતા જ નથી. અને તે આ અક્રમ તેને કહેવાય છે. સમસરણ આવરણ એ અજ્ઞા ભાવ છે. આ પ્રજ્ઞા ભાવ પ્રગટ થઈ જાય છે. આત્મા, આત્માની જગ્યાએ છે. અને ખપાવવાના કર્મો, આ કર્મની જગ્યાએ છે.
હવે “ગોડાઉત' ખાલી કરવામાં !
ગયું કર્તાપદ અક્રમ જ્ઞાતે... એટલે અક્રમની તો આ વાત જ જુદી ને ! આ તો વિજ્ઞાન છે. પેલું ક્રમિક જ્ઞાન છે. તો હવે આપણને ‘આત્મા શું છે, કર્તા કેટલાનો છે, કેટલાનો નથી”, એ શંકા રહી નહિ ને !
આપણે અક્રમ માર્ગમાં ‘જગત શું છે? કેવી રીતે ચાલે છે? કોણ ચલાવે છે ?” એ બધું જ્ઞાન અમે આપી દઈએ. પછી ભાંજગડ જ ના રહીને ? પોતે કર્તા રહ્યો જ નહી ને ! કર્તા છે ત્યાં સુધી કર્મ બંધાશે. આ છે તે ક્રમિક માર્ગ જ એવો છે કે ‘હું કર્તા છું' એવું કહેવું જ પડે, તો આ ક્રિયા છે તે આવતા ભવમાં આવે, પણ તે મન-વચન-કાયાની એકતા જોઈએ.
અને અક્રમ જ્ઞાન તો પહેલે દહાડેથી કર્તાપણું છૂટી જાય છે. એટલે એને કર્મ જ બંધાય નહીં ને ! એટલે એકાવતારી જ થઈ ગયો. બસ બીજું શું રહ્યું ? તમને એકાવતારી થયા એવું લાગે છે કોઈને ? અનુભવાય છે એવું ? શું કહો છો ?!
પ્રશ્નકર્તા : બધાયને લાગે છે, અહીંયા મોક્ષ ભોગવાય છે એ જુદો.
અમે તો એમ જ કહીએને હવે કે આ વ્યવસ્થિત કર્તા છે. અમારું કર્તાપદ ગયું. વ્યવસ્થિતનું કર્તાપદ માન્યું એટલે ચિંતા જાય છે ને. એ છેલ્લે સમજાય એવી વાત છે.
દાદાશ્રી : ક્રમિક માર્ગમાં તો ના જાય ઠેઠ છેલ્લે સુધી ચિંતા, કર્તાપદ ખરુંને. હવે તમારે તો જ્ઞાનને સમજવાનું છે !
પ્રશ્નકર્તા : એ સમજું છું. એ જ કહું છું.
દાદાશ્રી : જે દર્શનમાં હતું તે સમજમાં આવવા માંડ્યું. અનુભવમાં આવવા માંડ્યું. અનુભવમાં આવ્યું એ જ જ્ઞાનમાં આવી ગયું. અને પછી
ક્રમિક માર્ગમાં એક કહે, ફલાણી ચીજ છોડી દેજો, આ છોડી દેજો. કારણ કે ત્યાં ખપાવતાં આગળ વધવાનું અને આપણે અહીં તો હવે નિકાલ કરી નાખવાનું, જે ગોડાઉન સિલ્લક છે. એમાં નવું કંઈ ઉત્પન્ન થતું નથી. અને ક્રમિક માર્ગમાં તો ઉત્પન્ન થાય અને ખપાવવાનું. ઉત્પન્ન થાય અને ખપાવવાનું, એટલે ખપાવી ખપાવી ને આગળ વધવાનું. અહીં ઉત્પન્ન થતું નથી. પણ ગોડાઉન પાર વગરનાં કરેલાં. હવે ગોડાઉન ખાલી કરવાનાં, બસ નિકાલ જ ! અને તે ય પાછું તેના ઉદયકાળે નિકાલ