________________
૧૨૮
આપ્તવાણી-૧૧
આપ્તવાણી-૧૧
૧૨૭ મૂકીને જવું આપણે, આપણે જાણીએ કે આવું જ થાય છે, તો સેફસાઈડ તો જોવી જ પડે. વ્યવસ્થિત પર ના મૂકાય.
પ્રશ્નકર્તા : હા, જે થવાનું હશે એ થશે, એવું ના થાય.
દાદાશ્રી : સેકસાઈડ જોતાં પછી જે થાય એ વ્યવસ્થિત. તમે છોકરાને મૂકીને આવો જ નહીં ને, આ ફેરા જ બન્યું છે. કોઈ દા'ડો બને નહીંને. એટલે એનો ભય રાખશો નહીં. કોઈ ભય રાખશો નહીં.
આવા કંઈ રોજ ઈનામ હોતા હશે ? લોક આપણે કહીએ તો ય ઘર તોડવા ના આવે. કારણ કે એક આટલું પણ બનવું તે કેટલાં સંજોગો ભેગાં થાય ત્યારે એ કાર્ય થાય. એ તમારે ત્યાં થયું તે કેટલાં સંજોગો ભેગા થયા હશે. આપણે તો કોઈ પણ સંજોગ થાય તો હિસાબ કાઢવો કે ‘ભઈ, આ આટલું મોટું થવાનું હતું તેને બદલે આટલેથી પતી ગયું. એટલું સારું થયું.’
પ્રશ્નકર્તા : પાછું દાદા, શું થયેલું ? કે ટી.વી. ઉપર સોનું હતું, બચી
દાદાશ્રી : એ તો ના જ જાયને, ફીયર તો આપણે જાણવું જ પડે ને, કે આ ચંદુભાઈને ફીયર ઉત્પન્ન થઈ, એ તો જાણવું જ પડે ને ? અને ઘણી ખરી ફીયર તો બધી ઉડી ગઈ. એ બધું ઉડી ગઈ પેલી અને આ ખરી જે સંવેદનની ફીયર છે, એ તો સંવેદન આપી જાય. વેદના આપીને જાય તો જ ફળ આપે ને ?! ફળ આપ્યા વગર જાય નહીં ને ? કડવાં-મીઠાં ફળ આપશે. આપણે આપણું કામ કર્યું જવું. કામ નિરંતર કર્યા કરો.
પ્રશ્નકર્તા : વહેતું મૂકે એટલે કામ જ ના કરે. ફીયર લાગે, પછી કામમાં બ્રેક લાગે.
દાદાશ્રી : ના, એ ના ચાલે. મહીંથી જે પ્રેરણા થાય. એ કામ કર્યું જ જાવ. એટલે જવું પડે. એ પ્રેરણા દબાવો નહીં. ખાવાની બાબત થાયને, ટાઈમ થાય ને ત્યારે ‘વ્યવસ્થિત’ નથી બોલતો ! એ તો કામનાં ટાઈમ થાય એટલે પ્રયત્ન કરવાનો. વ્યવસ્થિત બહુ સુંદર વસ્તુ છે. બધા સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બધા કેટલાં સંજોગો ભેગાં થાય છે એમાં.
ગયું.
વ્યવસ્થિતતું નહિ, વ્યક્તિનું પ્રતિક્રમણ !
દાદાશ્રી : તેં તો સોનું રાખ્યું છે, એવું સોનું રાખો નહીં. જે રોકડું હોય તેને પણ બેન્કમાં કે લોકરમાં રાખો. આપણે સાવચેતી બધી રાખવી. પછી જે બન્યું તે વ્યવસ્થિત. આનું નામ જ્ઞાન. અજ્ઞાનતામાં પેલો બે ખોટ ખાય. ચોર તો લઈ ગયા છે અને કકળાટ પાર વગરનો, એ આવતો ભવ બગાડે તે બીજી ખોટઆ આવતો ભવ નહીં બગાડે ને લમણે લખેલી ખોટ જાય. અનુભવમાં આવ્યું ને અને અનુભવમાં એક ફેરો આવ્યું એટલે જ્ઞાન મજબૂતી થઈ જાય. મનોબળે ય વધી જાય. પછી નાની નાની બાબતમાં નડે નહીં.
ફીયરતે લાગે ફાયર જ્ઞાતથી !
પ્રશ્નકર્તા : આપણે કોઈવાર બહુ ઠંડી પડતી હોય અને આર્તધ્યાન થઈ જાય કે ‘આ બહુ ઠંડી પડે છે.’ તો પછી વ્યવસ્થિત શક્તિનાં આધીન બધું ચાલે છે. તો વ્યવસ્થિત શક્તિનું પ્રતિક્રમણ કરવું પડે ?
દાદાશ્રી : ના, એનું શાનું પ્રતિક્રમણ કરવાનું ? ‘બહુ ઠંડી પડે છે.” તું એને ગાળો ભાંડું છું, ઠંડીને ?
પ્રશ્નકર્તા : ના, એટલે બોલાઈ જવાય ?
દાદાશ્રી : હા, બોલાય. તે ઠંડું હોય તેને ઠંડું કહેવાય. બહુ ઠંડું હોય તેને બહુ ઠંડું કહેવાય. ગરમ હોય તેને ગરમ કહેવાય. એક ફેરો જાણ્યું એટલે વાત કરીએ છીએ, તિરસ્કાર કરતા હોય ત્યારે ! તિરસ્કાર નથી કરતાં ને ?
પ્રશ્નકર્તા : આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ બધું ભેગું ના થાય, ત્યાં સુધી કાર્ય બને નહીં, એ સમજાયું. પણ એ છોડતું નથી, એટલે ભોગવટામાં ફેર છે. ભોગવટો આમાં ફેર પડે છે, પણ પેલો એક જાતનો જે ફીયર હોય, એ જતો નથી.