SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૧ આપ્તવાણી-૧૧ નાશ પામે કે દિશા બદલે ? દાદાશ્રી : ના, એ ડીસ્ચાર્જ થઈ જાય, એ અહંકાર નાશ થઈ જાય, પણ પેલો ઊભો થાય છેને એક બાજુ. એક બાજુ ચાર્જ અહંકાર છે ને ! એ ચાર્જ અહંકાર બંધ થઈ જાય, તો પછી વિસર્જન અહંકારનો વાંધો નહીં. એટલે ડીસ્ચાર્જ અહંકાર તો આ બધામાં ખરો જ. અહંકાર સિવાય પાણી ય ના પીવાય. પણ આ “જ્ઞાન” પછી કર્તાપદનો અહંકાર ગયો, “હું કરું છું’. એ ભાન ગયું અને ‘કોણ કરે છે ?” એ વ્યવસ્થિત, સમજાઈ ગયું ને ! અક્રમ જ્ઞાતતે લો સમજી ! તમને આ જ્ઞાન લીધા પછી કર્તાપણાનું ભાન, ‘હું કરું છું આ જગતનું બધું’, એવું ભાન રહે છે તમને ? પ્રશ્નકર્તા : પહેલાં કરતાં ઓછું. દાદાશ્રી : ના, ઓછું એટલે રહેતું જ નથી. અત્યારે તમને જે કર્તાપણાનું ભાન રહે છે, તમે કહો છો ને થોડું રહે છે, એ કઈ બાબતમાં, એ તમે કહો ? ઊઠવામાં તમારે કશું કરવું પડે છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ત્યારે ઊંઘવામાં ? પડતી એમાં ચંદુભાઈને. આત્માની જરૂર ક્યારે પડે ? કે દેહાધ્યાસ હોય, અને કર્મ ફરી બાંધવા હોય તો જરૂર પડે. ફરી બાંધવા હોય તો તે એકાકાર થાય. | ‘હું શુદ્ધાત્મા છું” એવું ભાન થયું ખરેખર. હવે ‘હું જ કરું છું” એ તો તમે નાટકીય બોલો છો. નાટકીય એટલે ડ્રામામાં ભર્તુહરી બોલે કે ‘મેં આમ કર્યું, તેમ કર્યું, તમે આવો છો અને આમ છો, તેમ છો’, પણ અંદરખાને જાણતો હોય કે ‘હું લક્ષ્મીચંદ તરગાળો છું’. ના જાણે ? એટલે પોતે આનો કર્તા ઠરતો નથી. નાટકમાં નાટકનો કર્તા છે ! એટલે નાટક એને અડે નહીં. નાટકમાં જે ક્રિયા કરી તે એને અડે નહીં. એવું આ આપણે’ નાટક છે. ‘ચંદુભાઈ’ના નામનું નાટક ભજવવાનું છે અને પેલામાં ભર્તુહરીને ‘પોતે લક્ષ્મીચંદ છું’ એવું યાદ રહે, અને આપણને ‘હું શુદ્ધાત્મા છું' એવું રહે. ‘આનો કર્તા વ્યવસ્થિત છે” એવું થોડું ઘણું સમજાય કે વ્યવસ્થિત છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એ જેમ જેમ સમજાતું જશે ને, તેમ બધું એ જ કરી રહ્યું છે. એ જ્યારે સૂક્ષ્મ રીતે સમજશો તો એની મેળે એ જ કરી રહ્યું છે. અત્યારે ભાસે ખરું કે ‘હું હતો તો થયું આ’. પણ એ ખરેખર તેમ નથી. આમાં આત્માની જરૂર જ નથી. આ દેહાધ્યાસ હોય, એટલે ‘હું જ ચંદુભાઈ છું ખરેખર', તો એ દેહાધ્યાસ કહેવાય. ને તો કર્તા કહેવાય. ચંદુભાઈ જે કરે તેના કર્તા તમે કહેવાઓ અને ‘હું શુદ્ધાત્મા છું ને ચંદુભાઈ મારા પાડોશી છે'. તો તમે કર્તા નથી, ચંદુભાઈ જે કરે તેની આપણી આખી જવાબદારી તૂટી જાય છે. એટલે ‘હું શુદ્ધાત્મા છું'નું લક્ષ ઓફિસમાં રહે છે થોડું ઘણું ય ? પ્રશ્નકર્તા : હા, એ તો આખો દહાડો યાદ આવ્યા કરે છે કે “હું શુદ્ધાત્મા છું'. દાદાશ્રી : એટલે તમે શુદ્ધાત્મા છો, વ્યવસ્થિત જ કર્તા છે ! પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ત્યારે ખાવા-પીવામાં ? શેમાં તમને કર્તાપણાનું ભાન રહે છે એ મને કહોને એટલે હું તમને સમજાવું. એનો ફોડ પડી જાય. પ્રશ્નકર્તા : ઓફિસમાં જઈએ કે બીજો વ્યવહાર કરીએ તે વખતે, એ રહે છે. દાદાશ્રી : ના, એ તમને રહે છે એવું લાગે. બધો વ્યવહાર ચંદુભાઈનો જ છે અને એ ચંદુભાઈ જ કરી રહ્યા છે. ‘તમારી’ જરૂર નથી
SR No.008835
Book TitleAptavani 11 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages155
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy