________________
આપ્તવાણી-૧૧
૨૨૭ એવો લાભ કે એનાથી ઓછો કે વધારે ?
દાદાશ્રી : ખાલી ભાવફળ મળે. કોઈ આપણને કહે કે, ‘લો', જમો', તો પણ શું મળ્યું ?
પ્રશ્નકર્તા : એવું બને કે સત્સંગ કરવા માટે નિશ્ચય કરીને નીકળીએ પણ સામે કોઈ મળ્યો કે ચાલો તમારે મારી સાથે જ્યાં એક્સિડન્ટ થયો છે ત્યાં આવવું જ પડશે, તો શું કરવું ?
દાદાશ્રી : એ આપણે ‘વ્યવસ્થિત’ કહીને ત્યાં જઈએ.
પ્રશ્નકર્તા: હવે ‘વ્યવસ્થિત’ કહીને ગયા, પણ દાદાનો સત્સંગ તો ના થયો, તો પણ એ સત્સંગનું ફળ મળે ? - દાદાશ્રી : જમવા બેસીએ પણ કોઈ બોલાવવા આવ્યું એટલે બહાર જવું પડે. પણ પેટમાં ભૂખ તો કંઈ છોડી દે ? એ તો મહીં પેટમાં જમવાનું પેસે તો જ કામનું. ભાવના તો બધી સોનાની કરીએ આપણે, તેમાં કશું વળે નહીં ને? “વ્યવસ્થિત છે એ “વ્યવસ્થિત' ! છતાં બનતાં સુધી આવું બનતું નથી. કો'ક વખત હોય એ કંઈ કાયમનું હોતું નથી. આપણો નિશ્ચય હોય તો કોઈ રોકનાર જ નથી. અદબદ રાખવાની જરૂર નથી. લપસણું આવ્યું હોય, એક માઈલ સુધી અને મનમાં થાય કે લપસી પડીશ તો ? તો પછી એનો ઉપાય નથી. ‘ના જ લપસું, કેમ લપસાય ?’ એવો નિશ્ચય જોઈએ. તો એવી વ્યવસ્થા પણ કરશે, મન ને બધાં સીધાં રહેશે. કેમ લપસાય ?” કહીએ, એવો નિશ્ચય કર્યો કે બધું ચોખ્ખું ! તેમ છતાં ય પછી લપસી પડે તો ‘વ્યવસ્થિત” !
૨૨૮
આપ્તવાણી-૧૧ કોઈ દહાડો ? ચામાં અંતરાય કેમ પડવા નથી દેતો ? આ બધાં અંતરાયો જાણી જોઈને પાડેલા છે. અજાણે અંતરાય પડતાં હોય તો ચામાં, બીજામાં બધામાં પડે, પણ ત્યાં તો કશું પડતા નથી. બહુ પાકાં લોક છે ને ! એ પાકાઈએ જ એમને માર્યા, કાચો હોત તો સારો.
પ્રશ્નકર્તા : એટલે જો નિશ્ચયબળ હોય તો અંતરાય તૂટી જ જાય.
દાદાશ્રી : નિશ્ચયબળ તો મોક્ષે લઈ જાય અને અનિશ્ચય તેનાથી જ આ બધું અટક્યું છે.
પ્રશ્નકર્તા : અનિશ્ચય અને અનિર્ણય, એ બે એક જ ને ? દાદાશ્રી : એક જ પણ અનિશ્ચયનું જોર વધારે છે. પ્રશ્નકર્તા : નિશ્ચય એ ફરજિયાત છે ?
દાદાશ્રી : ના, ફરજિયાત કશું ય નથી. નિશ્ચય એટલે તો આપણો ધ્યેય છે. એ ધ્યેય તરફ લઈ જનારી વસ્તુ.
પ્રશ્નકર્તા : છતાં ઘણી વાર અંદર દ્વિધા ઉત્પન્ન થાય કે ‘ટુ બી ઓર નોટ ટુ બી’.
દાદાશ્રી : હા, બસ દ્વિધા ઉત્પન્ન થાય. એમાં કશો ભલીવાર ના હોય. એ તો નિશ્ચય જોઈએ કે મારે સવારમાં જવું જ છે, તે એ ચાલ્યો જ, જાણો ને !
પ્રશ્નકર્તા : એટલે એવો નિશ્ચય કર્યો તો તે અહંકાર કર્યો ના કહેવાય ?
દાદાશ્રી : તમને આ જ્ઞાન લીધા પછી (મહાત્માઓને) અહંકાર રહ્યો જ નહીં, પછી કરવાનો ક્યાં રહ્યો ?! અને જે હશે તે “ડીચાર્જ અહંકાર છે.
પાંચ આજ્ઞા એ પુરુષાર્થ ! પ્રશ્નકર્તા : પાંચ આજ્ઞા પાળવાનો નિશ્ચય કરવાનો, એટલે એ
પ્રશ્નકર્તા : એટલે દાદા. નિશ્ચયની અંદર અંતરાય તોડવાની શક્તિ ખરી ?
દાદાશ્રી : હા, બધા અંતરાય તોડી નાખે. કોઈ અંતરાય પડવા ના દે. પ્રશ્નકર્તા : ત્યારે અંતરાય જે નડે છે તે નિશ્ચયની ખામી ?
દાદાશ્રી : નિશ્ચયની જ ખામી છે. પોતે કરેલાં અંતરાય, પોતે ઊભા કરેલા, નિશ્ચયથી ઉડી જાય. કેમ જમવામાં અંતરાય નહીં પડતો હોય,