________________
આપ્તવાણી-૧૧
૧૮૫
૧૮૪
આપ્તવાણી-૧૧ કહે એટલે ખલાસ થઈ ગયું. ગોઠવાયેલું કહેવાય નહીં, છે ગોઠવાયેલું, પણ તે જ્ઞાનીની દ્રષ્ટિએ ગોઠવાયેલું છે અને તમને આ વાત જ્ઞાની અવલંબનરૂપે આપે, આ એક્કેક્ટ અવલંબન છે. પણ એ વાપરવાનું અમારી કહેલી સમજણ પ્રમાણે વાપરજો. તમારી સમજણ પ્રમાણે વાપરશો નહીં.
વિરોધાભાસવાળું છે ! અને આપણું આ જ્ઞાન આપ્યું કે ‘વ્યવસ્થિત' છે એટલે પછી શંકા જ ઊભી ના થાયને !
અધુરું જ્ઞાત ખતરે જાત !
જ્યાં સુધી કેવળદર્શન તમને થયું નથી ત્યાં સુધી અમે કહીએ કે ભઈ, આમ બેન્કમાંથી બહાર આવો તો ગજવું દાબી રાખજે. “બીવેર ઓફ થીડ્ઝ' લખેલું આવે ત્યારે ગજવું દાબી રાખજે અને તેમ છતાં એ મરચાં આંખમાં નાખી જાય ને ગજવું કાપી નાખે તો આપણે કહેવું કે ‘વ્યવસ્થિત છે'. આપણો પ્રયત્ન હતો. બહુ સમજવા જેવું છે. વ્યવસ્થિત તો બહુ ઊંડી વસ્તુ છે.
એ ગોઠવાયેલું જ્ઞાનીની દ્રષ્ટિથી છે. તમારી દ્રષ્ટિ એ ગોઠવાયેલું નથી. જો તમારી દ્રષ્ટિએ ગોઠવાયું કહેશો તો ઊંધું કરી નાખશો. ગોઠવાયેલું એક ક્ષણવાર ના માનીએ. અમે જ્ઞાનમાં જાણીએ કે આવું ગોઠવાયેલું. પણ માનીએ નહીં. મનનો સ્વભાવ જુદી જાતનો છે. મનનો સ્વભાવ વિચિત્ર છે. કંઈ નવી જ જાતનું તોફાન ઊભું કરી દે. પણ આપણને ગજવું દાબી રાખવામાં વાંધો ખરો ?
આ તો શા માટે વ્યવસ્થિતનું જ્ઞાન તમને આપ્યું ? કે તમને મોક્ષ જતાં સંકલ્પ-વિકલ્પ ના થાયને ! અને છે વ્યવસ્થિત, એઝેક્ટ વ્યવસ્થિત જ છે.
વ્યવસ્થિત પૂરેપૂરું નહીં સમજાવાથી ભૂલો થવા માંડી. તારી ભૂલ તેને લીધે છે.
પ્રશ્નકર્તા : શી ભૂલ ?
દાદાશ્રી : આપણે બે જણ સત્સંગ કરતા હોઈએ તો સામાને પૂછીએ તો સારું હોય કે ના સાચું હોય, એ સાચું જ માનેને ? બધાય, દરેક માણસ એવું જ કરે. તને કેવું લાગે છે ?
પ્રશ્નકર્તા : હા સાચું માને.
દાદાશ્રી : સાચું માનેને ? હવે એવું માનવાથી અત્યાર સુધી બધાએ માર ખાધો ખૂબ. અમુક બાબતમાં વ્યવસ્થિત સમજાઈ ગયું. અમુક બાબતમાં ના સમજાયું.
એ લોકોને જેને સમજાયું એ હવે સમજી ગયા. અને નથી સમજાયું તે હજુ કાચું છે બધાનું. ના સમજીને વ્યવસ્થિત ઉપર ચાલેલા બધા. તેમાં શું ફેર થઈ ગયો ? આ વ્યવસ્થિત છે. આ ય વ્યવસ્થિત.” એવું બધાએ માન્યું હશે ને ? આ તમે અર્થ સમજાવ્યો, તે પ્રમાણે આ અર્થ કર્યો તમે. પણ એમ પછી બધાને સમજણ પાડી. મેં કહ્યું, આ કેવી રીતે આવું કાચું પડી ગયું બધાનું ? પછી સમજાવ્યું કે વ્યવસ્થિતનો અર્થ બરોબર સમજ્યા નથી. પછી વ્યવસ્થિતનો અર્થ સમજાવ્યો બધાને. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે પણ એ તો વ્યવસ્થિત કરી કાલે સવારે સાત વાગ્યે ઊઠ્યો વ્યવસ્થિત કરીને ઊઠાયું. બીજે દહાડે આઠ વાગ્યે ઊઠ્યો તો વ્યવસ્થિત કરીને ઊઠાયું. એવું બને કે ના બને ?
પ્રશ્નકર્તા : હા, બને. દાદાશ્રી : વ્યવસ્થિતનું સમાધાન કરે ને સમાધાન વ્યવસ્થિત કરે ને.
પ્રશ્નકર્તા : આપણે કરવાનું હોય તો તો ભય ઊભો થઈ જાય, પણ હવે વ્યવસ્થિત કર્તા એટલે આપણને આમ ભય રહે નહીં.
દાદાશ્રી : હા, ખરું છે પણ જગતના લોકોને તો આમ બોલે ખરા કે જે થવાનું હશે તે થશે અને પછી જ્યારે “રેડ’ આવે, ત્યારે પાછો મહીં વિચાર આવે કે ‘હવે શું થશે ?” અલ્યા, હમણે તો બોલ્યો કે “જે થવાનું હશે તે થશે, ને પાછું, હવે શું થશે ? એવું શું કામ બોલે છે ?” પણ એને એ જ્ઞાન રહે નહીંને ! “થવાનું હશે તે થશે” એ જ્ઞાન