________________
જગત ખોળે તે જડે, આપ્તવાણીમાં !
કોઈ શાસ્ત્રનો આધાર નથી, કોઈ પુસ્તકનાં આધારે આ ખોલ્યા નથી. અમે જોઈને બધું કહીએ છીએ આ. એટલે અમને જે જ્ઞાન થયેલું એના આધારે અમે જોયું કે, ‘આત્મા શું છે ? હું કોણ છું ? જગત શી રીતે ચાલે છે ? કોણ ચલાવે છે ?' એ બધું દેખાયું ને તે બધું જેમ છે તેમ કહી નાખ્યું. જગત લોકિક જાણે છે, અલૌકિક જાણતું નથી. અમે અલૌકિક વાત આ પુસ્તકમાં કરી છે, જે અમે વાસ્તવિક જોયું તે ! જગતના લોકો વાસ્તવિક શું છે તે ખોળે છે. અમે આમાં કહ્યું છે તે બધું વાસ્તવિક કહ્યું છે. બહુ દહાડા લૌકિક સાંભળ્યું અને વાસ્તવિક સાંભળે ત્યારે આ પઝલનું સોલ્યુશન આવે !!
- દાદાશ્રી
આત્મવિજ્ઞાની ‘એ. એમ. પટેલ.' ની મહીં પ્રગટ થયેલા
દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો
5P ૩ જન
(ઉત્તરાર્ધ)
(559)
આપ્તવાણી શ્રેણી-૧૧ (ઉત્તરાર્ધ)
કર્તા-‘વ્યવસ્થિત'શક્તિ