________________ 354 આપ્તવાણી-૧૧ ચોવીસ તીર્થકરોની, એ બધી ગોઠવણીઓ જ બધી હોય, આ કંઈ નવું બનતું નથી. અને કોઈ કશું કરી શકતો નથી. નિમિત્ત છે આ બધું. કોઈ કોઈને કશું આપી શકતો નથી, લઈ શકતો નથી. નિમિત્તથી બધું તમારું તમને ઉઘાડી આપું. તમારે તમારું ચાખવાનું, કંઈ મારામાંથી આપવાનું નથી, બધાની પાસે છેને પોતાનો માલ ! ફક્ત એ માલ ક્યાં છે, શું છે, એનો ખ્યાલ નથી, એને ભ્રાંતિ છે એની, એ ભ્રાંતિ એની ઊડી જાય, કે કામ થઈ ગયું ! આપ્તવાણી-૧૧ 355 છોડાવશે. અજ્ઞાન બંધાવનાર તો ઠેરઠેર છે. જ્યારે છોડાવનાર જ્ઞાન તો ‘જ્ઞાની પુરુષ' ભેગા થઈ જાય તો એ મળે ! જ્ઞાની પુરુષ વગર સેલ્ફનું રીયલાઈઝ કરી શકાય નહીં. અને જ્ઞાની પુરુષ કોને કહેવાય ? આ અજ્ઞાન અને આ જ્ઞાન, પુદ્ગલ અને આત્મા બે જુદા પાડે. તે ભેદવિજ્ઞાની હોય, તેને જ્ઞાની કહેવાય. જુદાં પાડી આપવાની શક્તિ ધરાવતા હોય. પ્રશ્નકર્તા : જ્ઞાન આપી શકાય ? એ માગે છે રિલેટીવ અને હું આપું છું રિલેટીવ ! એમાં હું રિયલી ક્યાં આપું છું ?! અને રિલેટીવ બધું નિમિત્તભાવે છે. પછી ભાંજગડ જ ક્યાં રહી ?! જગત આખું નિમિત્તભાવે છે. પણ એ નિમિત્તભાવે છે, એમ બોલી ના શકે તે વર્તી ય ના શકે. અમે નિમિત્ત ભાવમાં જ હોઈએ. જ્યાં સુધી ધર્મને લોકો સમજે નહીં, આખા જગતના શાસ્ત્રો સમજેને ત્યારે ધર્મને સમજ્યો કહેવાય, પણ મર્મ પામે નહીં. એ સો ટકા મર્મ થાય નહીં ત્યારે જ્ઞાનાર્ક નીકળવાના શરૂ થાય અને સો ટકા જ્ઞાનાર્ક થાય ત્યારે મોક્ષનો એક્સટ્રેક્ટ મલે ! તે આ જ્ઞાનર્ક તમને આપ્યો છે. નહીં તો તો આ તમારું શું ગજુ ?! એક આટલું ય ચાલવાનું શું ગજુ? કે જુઓને જ્ઞાની પુરુષના આશરે શું ના થાય ? જ્ઞાની પુરુષ નિમિત્ત છે એટલે એ કર્તા નથી. માટે બધું જ કરી શકે. પોતે કર્તા નથી, નિમિત્ત ભાવે ચાહે સો કરે. આ બધાને મોક્ષમાં બેસાડી દીધાને ! જગ આપે અજ્ઞાત, જ્ઞાતી આપે જ્ઞાત ! દાદાશ્રી : હા, આપી શકાયને ! જ્ઞાન આપી શકાય. અને અજ્ઞાને ય આપી શકાય. આ જગત અજ્ઞાન આપી રહ્યું છે. જ્યારે જ્ઞાની જ્ઞાન આપી રહ્યા છે. બન્ને આપી શકાય એવી વસ્તુ છે. એટલું છે કે જ્ઞાન અને અજ્ઞાન બન્ને વસ્તુ નૈમિત્તિક છે. મૂળ જ્ઞાન તો તમારી અંદર ભર્યું પડેલું છે. અમારા નિમિત્તથી એ ઉઘાડ થાય. એટલે નૈમિત્તિક છે. હું તો નિમિત્તમાત્ર છું. આમાં અમારું કર્તાપણું ના હોય. કોઈ બાબતમાં અમે કોઈ ચીજના કર્તા હોઈ શકીએ નહીં. કર્તા હોય તો અમને ય કર્મ બંધાય. જે કર્તા થાય તેને કર્મ બંધાય. આખા જગતના કલ્યાણના નિમિત્ત છીએ ! આ તો જગત કલ્યાણ માટે નીકળ્યું છે આ બધું !!! - જય સચ્ચિદાનંદ. ભગવાન કોઈને બાંધવા આવતા નથી. આ તો અજ્ઞાનથી બંધાયેલો છે. ને જ્ઞાનથી છૂટે. એક ફેર છૂટ્યો તો ફરી ના બંધાય. અજ્ઞાન એ ય નિમિત્તથી મળે અને જ્ઞાન એ ય નિમિત્તથી મળે. “જ્ઞાની પુરુષ'ના નિમિત્તથી જ્ઞાન પ્રાપ્ત થાય. અમે “જ્ઞાન'માં જેમ છે તેમ હકીકત જોઈ છે, તે કહીએ છીએ. કોઈ બાપો ય બાંધતું નથી. અજ્ઞાન બાંધે છે ને જ્ઞાન