________________
૧૨૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મનનું સાયટિફિક સ્વરૂપ !
૧૨૭ કોઈ બંધ કરી દે તો એ રોગ થયેલો મટી જાય એવું છે. એટલે મન એ સાયકોલોજિકલ ઇફેક્ટ નથી. મન જો સાયકોલોજિકલ ઇફેક્ટ હોતને તો આપણે મનનો નાશ કરી શકીએ. કારણ કે સાયકોલોજિકલ ઇફેક્ટને કેટલાક માણસો નાશ કરી શકે છે. કોઈને સાયકોલોજીકલ ઇફેક્ટ થઈ હોય ને તો એમાં અવળી સાયકલ ચલાવવાથી એ નાશ થાય.
છે ચક્કરમાં ?
પ્રશ્નકર્તા : એ લોકોને એટલા વિચાર નથી, માણસને જ વિચાર
પ્રશ્નકર્તા : વિચારો નિર્જીવ છે એવું તમે કહ્યું છે, પણ બધી જે બહારની રિલેટિવ (સાપેક્ષ) ક્રાંતિઓ અને ફેરફારો થયા છે, તે તો વિચારો દ્વારા થયા, તે વિચારો લેખકોનાં કે સાયન્ટિસ્ટોનાં કે પોલિટિકલ માણસોનાં હતાં.
દાદાશ્રી : એ લોકોને વિચાર નથી, માણસને વિચાર છે. તો તમારે વિચારરહિત જગ્યાએ જવું છે પાછું ?
પ્રશ્નકર્તા : એનાથી સારી સ્થિતિ હોય તો.
દાદાશ્રી : વિચાર ના હોય તો સારી સ્થિતિ હોય જ નહીં. સારામાં સારી સ્થિતિ વિચારવાળી. એ તો બધા દેવલોકમાંય વિચાર નથી. ત્યાં સ્થિતિ તો બહુ સરસ, સુખો પાર વગરનાં છે પણ વિચાર નથી. માટે આ વિચારરૂપી સ્થિતિ બહુ સારી છે.
ચર-વિચર-અચર !
દાદાશ્રી : હા, પણ જ્ઞાનીઓની ભાષામાં કોઈ જીવતો જ નથી ને ! આ તો બધાં ઊઘાડી આંખની ઊંઘમાં જીવે છે.
પ્રશ્નકર્તા : પણ આ બહારની દુનિયામાં, વિચારોની ઇફેક્ટ તો જબરજસ્ત છે ને ?
દાદાશ્રી : આ લોકો આંખે જુએ છે, કાને સાંભળે છે, વાતો કરે છે, બધું કરે છે, કકળાટ કરે છે, મારમારો કરે છે એ બધું નિચેતન ચેતન છે. આમાં ચેતન કશુંય નથી.
વિચારતી સ્થિતિ, સારી ! કશું બીજું જાણવાની ઇચ્છા થાય છે, નવું કંઈક જાણવાની ? પ્રશ્નકર્તા : હા, થાય છે. દાદાશ્રી : શું જાણવાની ઇચ્છા થાય છે ?
પ્રશ્નકર્તા : આ જગતનાં જે રહસ્યો છે, એ જાણવાની ઇચ્છા થાય છે. માણસ શા માટે આ બધા ચક્કરમાં પડી જાય છે ?
દાદાશ્રી : માણસ એકલો જ પડે છે કે બીજા બધા જીવો પડે
પ્રશ્નકર્તા : મેં એક જગ્યાએ એવું વાંચેલું કે મન છે એ રજસ છે એ ફર્યા જ કરે. એને બંધ રાખવાનું. શરીર છે એ તમસ છે એટલે એને કામ જ કરવાનું. એટલે જે પેલું મન છે એને અટકાવવું જોઈએ. આ વાત બરાબર ?
દાદાશ્રી : ના. પણ એ થાય નહીં ને ! પ્રશ્નકર્તા : તો એ કરવું ના જોઈએ ?
દાદાશ્રી : પણ એ બને નહીં ને ! આ થાય જ નહીં ને ! મિકેનિકલ (યાંત્રિક) વસ્તુ કેમ અટકાવાય ? આ બૉડી, માઈન્ડ અને સ્પીચ (મન, વચન, કાયા) એ બધું મિકેનિકલ છે. મશીનરીમાં પેટ્રોલ, ઑઈલ નાખીએ પછી બંધ ના કરીએ ત્યાં સુધી ચાલ્યા જ કરે ને ! એવું આય ચાલ્યા જ કરે. આને અટકાવાય નહીં. વિચાર એ મિકેનિકલ છે.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે મિકેનિકલ ? દાદાશ્રી : વિચર, ચર શબ્દ માત્ર બધો મિકેનિકલ. ચર એટલે