________________
અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર !
૨૫૩
પ્રશ્નકર્તા : તો એ એનો ફાધર ?
દાદાશ્રી : ના, એ ફાધર ન હોય. એ તો એકલું એક ઓપિનિયન નથી કરતો, બીજાં બધા બહુ કાર્યો કરે છે. આ ઓપિનિયનથી માઇન્ડ
બંધાય છે. ઓપિનિયન ના કરે તો માઇન્ડ બંધાય નહીં. આ કરેક્ટ વાત કહું છું, લખી લો.
મતતાં દાદા-પરદાદા કોણ ?
પ્રશ્નકર્તા : આ ઓપિનિયન અને ભાષા એ બન્ને કોનું સર્જન
છે ?
દાદાશ્રી : ઇગોઇઝમનું સર્જન છે.
પ્રશ્નકર્તા : એ અહંકાર કોનું સર્જન છે ?
દાદાશ્રી : એ અહંકાર અજ્ઞાનતાનું સર્જન છે.
પ્રશ્નકર્તા : એ અજ્ઞાનતા કોનું સર્જન છે ?
દાદાશ્રી : એ દબાણ છે. અત્યારે અહીં આગળ અંધારું થઈ જાય ને, તો બધાં આંખોવાળા આમ આમ કરે કે ? એ શાનું સર્જન છે ? આ લાઈટ બંધ થઈ જાય તો આમ આમ કરતા હૂઁડે કે લોકો ?
પ્રશ્નકર્તા : હા, પણ એ અંધકારથી છે.
દાદાશ્રી : હા, અજ્ઞાનતા એટલે બિલકુલ અંધારું ઘોર. એ અંધારામાં બિચારો ભટક ભટક કરે છે.
પ્રશ્નકર્તા : અસ્તિત્વ કોનું છે ? અંધકારનું છે કે પ્રકાશનું છે ?
દાદાશ્રી : અંધકારનું હોય ત્યારે પ્રકાશ નથી હોતો. પ્રકાશ હોય ત્યારે અંધકાર નથી હોતો. આ હું અંધકાર જોઈ શકતો જ નથી.
પ્રશ્નકર્તા : આપ જેવા તો વિરલ વિભૂતિઓ જ હોય કે જે અંધકાર જોઈ જ ના શકે. સામાન્ય લોકોને તો આવું હોય જ નહીંને ?
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : તો શું માના પેટે હું જન્મેલો નથી ? ઉપરથી પડેલો છું કંઈ ? બધા માના પેટે જન્મેલાને થઈ શકે છે, ઇન્ડિયન હોવો જોઈએ. ફોરેનનો ના હોવો જોઈએ. મેઈડ ઈન ઈન્ડિયા' હોવો જોઈએ. પ્રશ્નકર્તા : તો દાદા, અભિપ્રાય અને બિલિફ, એ બેની વચ્ચે શું ફેર ?
૨૫૪
દાદાશ્રી : આ બે સગાભાઈ તો નહીં, પણ પિતરાઈયે નહીં ને કુટુંબીયેય નહીં. એકને નાળ ફાડેલી હોય ને એકની ગોળ હોય તો બેમાં કેટલો ફેર ?
પ્રશ્નકર્તા ઃ ફેર તો મોટો કહેવાય.
દાદાશ્રી : એવું આ અભિપ્રાય ને બિલિફને લેવાદેવા નહિ.
પ્રશ્નકર્તા ઃ બિલિફ જો હોય તો બિલિફથી પણ માણસ બંધાયેલો હોય છે ને ?
દાદાશ્રી : આ તમને ‘હું શુદ્ધાત્મા છું’ એ બિલિફ છે તેને ને અભિપ્રાયને શું લેવાદેવા ?
પ્રશ્નકર્તા : એ અભિપ્રાય નથી.
દાદાશ્રી : તો પછી એની જોડે એને શું લેવાદેવા ?
પ્રશ્નકર્તા : નાના સ્ટેજમાંથી અભિપ્રાય પાકો થતાં બિલિફ થઈ જાય ?
દાદાશ્રી : ના, બેને લેવાદેવા જ નહિ ને ! ઉત્તર-દક્ષિણ જેવા જ બિલિફ ને અભિપ્રાય. રોંગ બિલિફ ને રાઈટ બિલિફ, બે જ જાતની બિલિફ. અભિપ્રાય તો અનેક જાતના. અને તેય રોંગ બિલિફ હોય તો જ બેસે. રાઈટ બિલિફ હોય તો ના બેસે. ‘હું શુદ્ધાત્મા છું' તો અભિપ્રાય ના હોય.
પ્રશ્નકર્તા : એને પછી રાગ-દ્વેષ હોય નહીં ?