SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ આપ્તવાણી-૯ કરવા જેવું જગત જ નથી ને !' દાદાશ્રી : શંકાથી જ આ જગત ઊભું થયું છે. શંકાથી, વેરથી, અમુક અમુક એવા શબ્દો છે, જેના પર જગત ઊભું રહ્યું છે. કોઈની ઉપર શંકા કરવી તેના કરતાં એને બે ધોલ મારી દેવી સારી, પણ શંકા ના કરવી. ધોલ મારીએ તો પરિણામ આવે ઝટ, પેલો સામે ચાર આપે ને ? પણ શંકાનું પરિણામ તો પોતાને એકલાને જ ! પોતે ખાડો ખોદે ને મહીં ઊંડાં ઊતરવાનું, ફરી બહાર નીકળાય નહીં. આ બધી પીડાઓ શંકાથી ઊભી થઈ છે. તમને આ ભાઈ ઉપર શંકા આવે કે “એ ભાઈએ આમ કર્યું.’ એ શંકા જ તમને કરડી ખાય. હવે વખતે એવું કર્યું હોય ને શંકા આવતી હોય, તો ય આપણે શંકાને કહીએ, ‘હે શંકા, તું જતી રહે હવે. આ તો મારો ભાઈ છે.’ થાપણ મૂક્યા પછી શંકા ?! આપ્તવાણી-૯ જાય, છતાં આપ શાથી ભેદ નથી પાડતા ? દાદાશ્રી : તે અમે જાણીએ કે આ મૂળો છે તે આવો સોઢે (ગંધાય), આ ડુંગળી છે તે આવી સોઢે. એ બધું ના સમજીએ ? પછી એ સોઢે તેમાં આપણે એને વઢીએ તો ખોટું ના દેખાય ?! એ છે જ ડુંગળી, તેમાં શું વઢવા જેવું ?! મૂળાને મૂળાના સ્વભાવની સુગંધી હોય જ. ડુંગળી હોય તે પેણે આગળ બૂમાબૂમ કરતી હોય તો અહીં આગળ સોઢે, તે એનો સ્વભાવ છે. એને અમે જાણીએ કે એ આ સ્વભાવનો છે. કારણ કે અમે ઊંધું કરવા જઈએ તો એના પરથી કૃપા જતી રહેને એટલે એનું અહિત થઈ જાય. જેનું હિત કરવા બેઠા, તેનું જ અહિત ક્યું. એટલે અમે તો, અમારી જિંદગીનો પરિશ્રમ જ આવો છે કે અમે જે ઝાડ રોપી દીધું હોય, પછી ‘પ્લાનિંગ' કરે ને એ ઝાડ રોડ વચ્ચે આવતું હોય, તો ય પણ એ ઝાડને અમે ના કાપીએ, પછી રોડ ફેરવવો જ રહ્યો ! અમારું રોપેલું, અમારું પાણી છાંટેલું ને અમારા ઉછેરેલા એ ઝાડને અમે કાઢીએ નહીં. પણ એ રોડને જ ફેરવવો રહ્યો. પહેલેથી જ પદ્ધતિ જ અમારી એ જાતની છે કે અમારા હાથે રોપાયેલું અમારા હાથે ઉખડવું ના જોઈએ. બાકી, જીવો તો બધી બહુ જાતના ભેગા થવાના ને ! આ તો પાર વગરની શંકાઓ ! શંકા, શંકા, હેંડતા ચાલતા શંકાવાળું જગત ! અને કોઈથી ભૂલેચ કે કોઈ ફલાણાભાઈની ‘વાઈફ’ ઉપર હાથ મુકાઈ ગયો, એ શંકા પડી ! તેની તો ઘેર વઢવાડો પાર વગરની ચાલે છે. હવે પેલી બઈનો કશો દોષ નથી, છતાં ય વઢવાડો પાર વગરની ચાલે. હવે આ લોકોને ક્યાં પહોંચી વળાય તે ?! એટલે આપણો હાથ મુકાઈ ગયો તો નિઃશંકપણાથી એ શંકાને ઉડાડી દેવી. શંકા શેનાથી ભાગી નાખવાની ? નિઃશંકપણાથી ! તે ‘દાદા’ના નિઃશંકપણાથી શંકા ગઈ એમ કહીએ. શંકા કરવા કરતાં..... બાકી, જગતમાં મોટામાં મોટો રોગ હોય તો શંકા ! પ્રશ્નકર્તા : પણ આપનું આ વાક્ય બહુ જબરજસ્ત મોટું છે. ‘શંકા પ્રશ્નકર્તા : એક માણસે મને ગાળ ભાંડી. પણ હવે એણે મને ગાળ ભાંડી નથી, એવું તો મારાથી શી રીતે મનાય ? મારું મન કેવી રીતે માને ? દાદાશ્રી : એવું કહેવાય જ નહીં ને ! ગાળ ભાંડી છે, એ તો ભાંડી જ છે ને ! એનો સવાલ નથી. પણ આપણે શું કહીએ છીએ ? એની ઉપર શંકા ના હોવી જોઈએ. આપણે ગાડીમાં પચાસ હજાર રૂપિયા કોઈને મૂકવા આપ્યા અને કહીએ કે ‘જરા હું સંડાસ જાઉં છું.’ અને પછી સંડાસમાં શંકા પડી તો ? અરે, પાંચ લાખ રૂપિયા આપ્યા હોય અને શંકા પડે ને, તો શંકાને કહીએ કે, ‘હવે તું ચાલી જા. મેં આપ્યા એ આપ્યા. એ જવાના હોય તો જાય અને રહેવાના હોય તો રહે !” શંકા તો વગર કામની સામા પર દોષ બંધાવડાવે. અને મારા જેવાને જો કદી રૂપિયા આપ્યા હોય ને પેલો શંકા રાખે તો એની શી દશા થાય ? એટલે કોઈ જગ્યાએ બિલકુલ શંકા કરવા જેવું જગત જ નથી. ધીરેલું યાદ આવ્યું તે ! રાત્રે સૂવા ગયો, અગિયાર વાગ્યા હોય અને ઓઢીને સૂઈ ગયો
SR No.008831
Book TitleAptavani 09
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size99 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy