________________
આપ્તવાણી-૮
૧૦)
આપ્તવાણી-૮
એ સાધનજ્ઞાન છે. સાધ્યજ્ઞાન નથી એમાં. એમાં સાધનજ્ઞાન છે એટલે બુદ્ધિજન્ય છે. એટલે વેદ ‘ઈટસેલ્ફ' બોલે છે કે “ધીસ ઈઝ નોટ ધેટ.’ તું જે આત્મા ખોળે છે તે અહીં હોઈ શકે નહીં. એ અવર્ણનીય છે, અવક્તવ્ય છે, એ શબ્દમાં હોય નહીં. અને વેદ શબ્દરૂપ છે. એટલે ‘ગો ટુ જ્ઞાની” કે જ્યાં આત્મા હાથમાં આવી શકે, “ધીસ ઈઝ ધેટ' કહેશે એ !
વેદ એ બુદ્ધિજન્ય જ્ઞાન છે. અને આ જ્ઞાન ચેતનજ્ઞાન છે. બુદ્ધિજન્ય જ્ઞાન એટલે, બુદ્ધિ અને જ્ઞાનમાં ડિફરન્સ શું છે ? કે ‘ડિરેક્ટ નોલેજ” એ જ્ઞાન કહેવાય. ‘ઈન્ડિરેક્ટ નોલેજ' એ બુદ્ધિ કહેવાય. વેદ એ શબ્દરૂપ જ્ઞાન છે એટલે બુદ્ધિગમ્ય જ્ઞાન છે. વેદ એ ‘થિયરેટિકલ' છે અને જ્ઞાન એ ‘પ્રેક્ટિકલ' છે.
અહીં કહેવામાં આવશે. “જેમ છે તેમ !' ‘નથી’ અને ‘ના’ કહીશું અને છે” એને “છે” કહીશું. ‘નથી’ એને અમારે ‘છે' કહેવાય નહીં. અને છે' એને ‘નથી’ કહેવાય નહીં. એક-એક શબ્દના અમે જવાબદાર છીએ. અને ઠેઠ સુધીની વાત અમારી પાસે છે. કારણ કે એક સેકન્ડ પણ આ દેહનો હું માલિક નથી થયો, આ મનનો માલિક થયો નથી. આ વાણી એ
ઓરિજિનલ ટેપરેકર્ડ” બોલે છે, હું બોલતો નથી. એ “ઓરિજિનલ ટેપરેકર્ડ’ એ વક્તા છે, આપ શ્રોતા છો, હું જ્ઞાતા-દ્રષ્ટા છું, એટલે આ વ્યવહાર જુદી જાતનો છે. તેથી આ બધું ય “સોલ્યુશન’ આવે. અને એક પણ ‘સોલ્યુશન” બાકી ના રહે ત્યારે જાણવું કે જ્ઞાન પ્રગટ થયું. સમાધાન જ રહે, હંમેશાં નિરંતર સમાધાન રહે, એનું નામ જ્ઞાન કહેવાય. ગમે તે સ્થિતિમાં, ગમે તે સંજોગોમાં, ગમે તે કાળે જે સમાધાન રાખે, એનું નામ જ્ઞાન. બીજા બધાં અજ્ઞાન કહેવાય. એટલે આપને જે વાતચીત કરવી હોય તે કરો બધી. ‘જ્ઞાની પુરુષ' એટલે ચાર વેદના ઉપરી કહેવાય.
અને કોઈપણ જાતનો પ્રશ્ન પૂછાય, કારણ કે આ અમે જોઈને બોલીએ છીએ. પુસ્તકનું વાંચેલું બોલતો નથી એક શબ્દ ય ! હું જોઈને બોલું છું એટલે લોકોને કામ લાગે. અને પાછો હું બોલનારો નથી, ‘ટેપરેકર્ડ' બોલે છે, હું તો જ્ઞાતા-દ્રષ્ટા છું.
વેદ થીયરેટિકલ, “વિજ્ઞાત' પ્રેક્ટિકલ ! અમે ચાર વેદના ઉપરી હોઈએ. ચાર વેદ ભણી રહે ત્યારે એ વેદ બોલે કે “ધીસ ઈઝ નોટ ધેટ'.
પ્રશ્નકર્તા : વેદ અને જ્ઞાન, આ બે અલગ અલગ શબ્દો કેમ છે?
દાદાશ્રી : વેદ બુદ્ધિજન્ય છે, ક્રિયા સહિત છે, ત્રિગુણાત્મક છે. અને જ્ઞાન ત્રિગુણાત્મક ના હોય, બુદ્ધિજન્ય ના હોય અને સ્વભાવે ચેતન ભાવ જ હોય. જ્ઞાન હંમેશાં ચેતન હોય.
પ્રશ્નકર્તા : તો વેદ વાગમયમાં જ્ઞાન તો બધું ભરેલું જ છે. દાદાશ્રી : એ જ્ઞાન મોક્ષને માટે કામ ના લાગે.
પ્રશ્નકર્તા : એટલે અનુભવગમ્ય ?
દાદાશ્રી : હા. અનુભવગમ્ય એ જ સાચું જ્ઞાન. બાકી બીજું બધું તો ‘થિયરેટિકલ.' એ ‘થિયરેટિકલ' શબ્દરૂપ હોય. અને શબ્દથી તો આગળ, ઘણું આગળ ચેતનજ્ઞાન છે. એ અવક્તવ્ય હોય, અવર્ણનીય હોય. આત્માનું વર્ણન થઈ શકે જ નહીં, વેદ કરી શકે જ નહીં !
છતાં વેદમાં માર્ગદર્શન તો એક સાધન છે. એ સાધ્ય વસ્તુ નથી. જો ‘જ્ઞાની પુરુષ' મળ્યા નહીં ત્યાં સુધી કોઈ દહાડો ય કામ નહીં થાય.
પ્રશ્નકર્તા : જ્ઞાન અને વેદ આ જે બંનેનો ભેદ રહ્યો ને, એ શાબ્દિક ભેદ છે ? આમાં કંઈ બૌદ્ધિક કસરત છે ?
દાદાશ્રી : બૌદ્ધિક જ છે.
વેદ જ બૌદ્ધિક છે, ત્રિગુણાત્મક છે અને સાચું જ્ઞાન એ ત્રિગુણાત્મક ના હોય, એ જ વિજ્ઞાન છે. વિજ્ઞાન તો દરઅસલ જ્ઞાન છે અને આ જ્ઞાન એ એનું સાધન વસ્તુ છે.
પ્રશ્નકર્તા : બરોબર છે. પણ વિજ્ઞાન અને જ્ઞાન બંને શબ્દનો ઉપયોગ એક જ ઠેકાણે વેદમાં કર્યો છે.
દાદાશ્રી : એ વિજ્ઞાનનો ઉપયોગ થઈ શકે જ નહીં. વેદ તો