SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૮ આપ્તવાણી-૮ ર ‘આઈડિયા’ એવો છે કે આખા જગતમાં ‘આ’ ‘વિજ્ઞાન'ની વાત ખૂણે ખૂણે પહોંચાડવી અને દરેક જગ્યાએ શાંતિ થવી જ જોઈએ. મારી ભાવના, મારી ઇચ્છા જે કહો તે મારું આ જ છે !! ...ત્યારે “જ્ઞાન-પ્રકાશમાં આવે ! જગતમાં જે ‘રિયલ’ જ્ઞાન છે, “યુનિવર્સલ’ ‘ટુથ” છે, તેને બુદ્ધિ પહોંચી શકતી નથી. એ બુદ્ધિથી ય ઉપર છે. બુદ્ધિ ત્યાં આગળ અટકી જાય છે. બુદ્ધિનો એ છેલ્લો થર ઓળંગે તો ‘જ્ઞાન-પ્રકાશમાં આવી જાય, ‘યુનિવર્સલ ટ્રુથ'માં આવી જાય. એટલે મનનાં બધાં ‘લેયર’ પૂરા થાય ત્યાર પછી બુદ્ધિના થર શરૂ થાય અને બુદ્ધિના થર પૂરા થાય ત્યાર પછી “જ્ઞાનપ્રકાશમાં આવી જાય. પણ ત્યાં સુધી કોઈ જઈ શકે નહીં. અરે, બુદ્ધિના થરમાં લોક પહોંચી શક્યા નથી ને ! એટલે પછી મનના થરમાં રહે. જેથી કરીને બધાંને ‘યુનિવર્સલી' આ વાત પહોંચે ? દાદાશ્રી : આ વાત પહોંચી શકે, પણ અત્યારે વીતરાગોનું જે ‘લાઈટ’ છે ને, તેમની વાત પર આવરણ પડી ગયેલું છે ! અત્યારે હું એકલો ‘જ્ઞાની પુરુષ' છું. આખા ‘વર્લ્ડના” પ્રશ્નોના ખુલાસા આપવા તૈયાર છું, ચારેય અબજ માણસોને સંપૂર્ણ ખુલાસા આપવા તૈયાર છું. પણ મને એ ભેગા થવા જોઈએ. બાકી નહીં તો હું શું કરી શકું? ક્યાં ક્યાં પહોંચી વળું ? તમે મને ભેગા થયા એ “સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે અને ભેગા થયા તો તમારું કામ થાય. નહિ તો જે ભેગો ના થાય એનું કામ થાય નહીં. ભેગો થાય તો એને બધા ખુલાસા થાય, નહિ તો એને ખુલાસા થાય નહિ ! બાકી, એક દહાડો બધા ‘સાયન્ટિસ્ટોને ભેગા કરવાનો મારો વિચાર છે અને તે ‘હૉલ વર્લ્ડ'ના બધા ‘સાયન્ટિસ્ટોને ! અને ત્યારે આખી ખુલ્લભૂખુલ્લી બધી હકીકત બતાવીશ કે “આ શરીર શેનું બનેલું છે ? મન શું છે ? મનનો જન્મ કેવી રીતે થાય ? મનનો વિલય કેવી રીતે થાય ? બુદ્ધિ શું છે ? આત્મા શું છે ? જગત કેવી રીતે ચાલે છે ?” એટલે આખું વિજ્ઞાન છે આ તો, અને લોકોને પહોંચે તો લાભ થાય એવું છે ! પ્રશ્નકર્તા : મારું કહેવાનું આ જ હતું કે આપની પાસે ‘હું આત્મા છું, હું અસંગ છું” એ બધું “એક ને એક બે'ની જેમ સ્પષ્ટ થઈ જાય, ‘કશું હલાવવાની શક્તિ ય નથી મારામાં.” એવું સ્પષ્ટ પછી વર્તાયા કરે, એવું જગતને ય થાય તો બહુ લાભ થઈ જાય ને ! મોટો ઉપકાર થઈ જાય !! દાદાશ્રી : એવું છે ને, આખા જગતને એક સરખું દર્શન ના હોય. કારણ કે દરેકના ‘ધુ પોઈન્ટ” જુદા છે, એટલે દરેકને આની જરૂરે ય નથી. આપણે તો એટલું એને કહીએ કે, “આત્મા તને સમજ પાડીએ તો ય એને બીજે દહાડે કશું લક્ષમાં હોય નહીં. આ દર્શન નહિ પહોંચે ને મહેનત બધી નકામી જશે ! આપણા હિંદુસ્તાન માટે જ આ મહેનત કરેલી ફળદાયી થઈ શકે. અને “ફોરેન માટે તો કેટલી ફળદાયી થાય ? આપણે એમના ‘સાયન્ટિસ્ટોને માર્ગદર્શન આપી શકીએ અને એ સાયન્ટિસ્ટો એમની ભાષામાં એ લોકોને ઉતારી આપે તો જ બધું ઘેર ઘેર પહોંચે. મારો વર્લ્ડ'ની વાસ્તવિકતા, “જ્ઞાની' જ પ્રકાશે ! જ્ઞાની પુરુષ’ તો આખા ‘વર્લ્ડની ચીજ બતાવી શકે. વેદમાં ના હોય, કોઈ શાસ્ત્રમાં ના હોય એ બધું જ ‘જ્ઞાની પુરુષ’ બતાવી શકે, કારણ કે “જ્ઞાની પુરુષ” એ આપણું “મીડીયમ’ છે, એ “મીડીયમ” આપણાથી બધું જાણી શકાય. બાકી, એ હકીકત પુસ્તકમાં ઊતરે એવી નથી, એ અવક્તવ્ય ને અવર્ણનીય છે, એટલે વેદનો શો દોષ એમાં ? હા, હું તમને સંજ્ઞાથી સમજાવી શકે, પણ વેદ તો કેટલીક સંજ્ઞા કરે છે ? બાકી, વદ આનો જવાબ આપી ના શકે. વેદે નથી આપ્યું એ તો “જ્ઞાની પુરુષ'નું કામ છે ! લોક જેને ચેતન માને છે એ બધું ભૌતિક જ છે, એમાં આધ્યાત્મિક છે જ નહીં. આત્મા છે એ મૂળ વસ્તુ છે ! અને ‘તમે” જેને આત્મા માનો છો ને એ પણ બધું જ ભૌતિક છે. તેમાં કિંચિત્માત્ર પણ એક વાળ જેટલો પણ “આત્મા’ નથી, ‘તમે ભૂલથી “માનો છો એટલું જ ! કારણ કે “મૂળ આત્મા” છે એ ‘મિકેનિકલ’ નથી. અને તમે ‘મિકેનિકલ’ આત્માને મૂળ આત્મા માનો છો. પણ ‘મિકેનિકલ આત્મા’ એ ‘ભૌતિક આત્મા' છે. દાદાશ્રી : આ લોકો બધા ચેતનવાળા છે કે ચેતન વગરના ? પ્રશ્નકર્તા: ચેતનવાળા.
SR No.008830
Book TitleAptavani 08
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size108 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy