________________
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
સામે તું ઊંધો રસ્તો કરવા જઇશ તો પણ કાળ તને છોડવાનો નથી, એટલો કાળ તારે માર ખાવો જ પડશે. માટે આ સંયોગ એ વિયોગી સ્વભાવવાળો છે, એ આધારે ધીરજ ધરીને તું ચાલવા માંડ.”
આ ગજસુકુમારને માટીની પાઘડી બાંધી દીધી હતી ને, એમના સસરાએ ? ને એમાં દેવતા મૂકયો. તે ઘડીએ ગજસુકુમાર સમજી ગયા કે આ સંયોગ મને ભેગો થયો છે અને તેમાં સસરાએ મોક્ષની પાઘડી બંધાવી છે એવો સંયોગ ભેગો થયો. હવે એ એમણે માનેલું, “બીલિફ”માં માનેલું કે આ મોક્ષની પાઘડી બંધાવી છે ને તેમાં દેવતા સળગાવ્યો. હવે નેમીનાથ ભગવાને ગજસુકુમારને કહેલું કે, ‘તારું' સ્વરૂપ ‘આ’ છે અને આ સંયોગો એ ‘તારું સ્વરૂપ નથી. સંયોગોનો ‘તું જ્ઞાતા છે. સંયોગ એ બધા જોય છે.’ એટલે ‘પોતેએ સંયોગોમાં ય જ્ઞાતા રહ્યા. અને જ્ઞાતા થયા તે છૂટી ગયા ને મોક્ષ પણ થઈ ગયો. નહિ તો કલ્પાંત કરીને ય માણસ મરી તો જાય છે જ ! મરવાનો થયો, અને કલ્પાંત કરીને મરે, તો પેલું કલ્પાંત કરવાનું ફળ મળશે.
એવું જ લખી નાખે કે બધું નિયતિના આધીન છે.
સ્વભાવે જ ઊર્ધ્વગામી ! પણ ક્યારે ?! પ્રશ્નકર્તા: આત્માનો મૂળ સ્વભાવ ઊર્ધ્વગામી છે. આ મનુષ્યદેહ આપણને મળ્યો છે એ ઊર્ધ્વગામી સ્વભાવના હિસાબે મળ્યો છે એમ કહેવાય છે. હવે આ મનુષ્યના અવતારમાં જે કર્મો કરે છે એ કર્મોનાં ફળ મળે તો તિર્યંચગતિમાં જવું પડે. હવે તિર્યંચગતિ ભોગવીને મનુષ્યદેહમાં પાછો આવે, તો એને કયો નિયમ લાગુ પડે છે ત્યાં ?
દાદાશ્રી : એ તો એવું છે ને, કે અહીં કર્મ બાંધે એટલે પૌદ્ગલિક ભાર વધ્યો અને પુદ્ગલનું વજન વધ્યું એટલે નીચેની ગતિમાં જાય. પછી નીચલી ગતિમાં એ પુદ્ગલ ભોગવાઇ જાય એટલે પૌગલિકભાર ઘટ્યો, ને પાછો મનુષ્યમાં આવે ! અને મનુષ્યમાં આવીને મનુષ્યધર્મનો ભાવ તૂટ્યો અને દેવધર્મનો ભાવ ઉત્પન્ન થયો તો હલકો થયો એટલે ઉપર દેવગતિમાં ગયો. બોજો વધે એમ નીચે જાય, તે નીચે સાત પાતાળો છે, સાત લોક છે, ત્યાં સુધી જાય છે ! અને હલકો થાય તો ઉપર છ લોક છે ત્યાં સુધી જાય. એવું આ ચૌદ લોકની દુનિયા છે !
| મુગલ એ અંધકાર છે ને આત્મા એ પ્રકાશ છે. અંધકારમાં ખેંચાયો એટલે નીચે જાય, પ્રકાશમાં ખેંચાયો એટલે ઉપર જાય.
અધોગામી તો “અહંકાર'ના આધારે !
આત્મજ્ઞાત પછી ક્રમબદ્ધતા ! પ્રશ્નકર્તા : જેમ બાળકના શિક્ષણની એકડાથી શરૂઆત થાય છે, એટલે કે ક્રમસર જ તે આગળ વધે છે, એવું ધર્મને વિષે પણ ન કહી શકાય ?
દાદાશ્રી : આ ધર્મમાં પણ એવું જ છે બધું. પણ ધર્મમાં અહીં આગળ મનુષ્યમાં આવ્યા પછી પાછું બદલાઇ જાય છે, પછી બધું અવળુંહવળું થઇ જાય છે. અહીંથી મનુષ્યગતિમાંથી અધોગતિમાં જાય છે, કે ઊર્ધ્વગતિમાં જાય છે.
પ્રશ્નકર્તા : એટલે અહીં મનુષ્યગતિ પછી ક્રમ જેવું રહેતું નથી ?
દાદાશ્રી : ના. પણ આત્મજ્ઞાન થયા પછી પાછો ક્રમ થઇ જાય છે. એટલે આત્મજ્ઞાન થયા પછી ક્રમવાર થાય છે. જ્યાં સુધી મનુષ્યનો જન્મ છે અને આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી ભટકવાનું, એમાં ક્રમ-છમ ઊડી જાય છે બધું. નહિ તો મનુષ્ય જન્મમાં વચ્ચે આવું ના થતું હોય તો તો ભગવાન
પ્રશ્નકર્તા : પણ આત્માનો તો સહજ સ્વભાવ છે ને ? તો પછી શ્રેયની સાધના શા માટે કરવી પડે ?
દાદાશ્રી : આત્માને શ્રેય નથી ને પ્રેમ પણ નથી. આત્માનો સ્વભાવ ઊર્ધ્વગામી છે, નિરંતર ઊર્ધ્વગામી સ્વભાવમાં આત્મા છે. આત્મા ઊર્ધ્વગામી સ્વભાવી છે, જ્યારે પુદ્ગલનો સ્વભાવ અધોગામી છે.
પ્રશ્નકર્તા : તો ઊર્ધ્વગામીની વ્યાખ્યા કહો. દાદાશ્રી : ઊર્ધ્વગામી એટલે સ્વભાવથી જ મોક્ષે જાય એવો છે.