________________
આપ્તવાણી-૮
૧૫
આપ્તવાણી-૮
જ છે, પ્રકાશ સ્વરૂપ છે. હા, જે પ્રકાશને સ્થળની ય જરૂર નથી, આધારની ય જરૂર નથી એવું પ્રકાશસ્વરૂપ આત્માનું છે ! અને ડુંગરોની ય આરપાર જઈ શકે એવું છે, એવો એ આત્મા છે !! અને એવા “આત્મા’માં ‘હું રહું છું !!! એટલે આ ‘એ. એમ. પટેલને ગાળો ભાંડે, મારે, તો ય “મને કશું ના થાય. “હું જુદો, “પટેલ” જુદા !“પટેલ” પાડોશમાં છે અને વ્યવહાર જે કરે છે એ “પટેલ” કરે છે.
આત્મા : સાકારી કે નિરાકારી ?' પ્રશ્નકર્તા : એવું કહેવાય છે કે ભગવાન તો તેજતેજના અંબાર છે, નિરંજન-નિરાકાર છે.
દાદાશ્રી : અને ભગવાન સાકારી પણ છે. પ્રશ્નકર્તા : તમે આમે ય કહો છો ને તેમે ય કહો છે.
દાદાશ્રી : “બાય રીલેટિવ વ્યુ પોઈન્ટ’ ભગવાન સાકાર છે અને ‘બાય રીયલ વ્યુ પોઇન્ટ' નિરાકાર છે.
પ્રશ્નકર્તા : એ અલૌકિક ભાષા ક્યાં શીખવા જવાની ?
વગર નિરાકાર ભગવાન છે.
એટલે તારે જો નિરાકાર ભગવાનને ભજવા હોય, નિરાકારનું ઓળખાણ કરવું હોય તો સાકારી ભગવાનની પાસે જા. નિરાકાર ભગવાન આંખે દેખાશે નહીં ને તને બુદ્ધિમાં નહિ સમજાય. તને કોઈ રીતે નિરાકાર સમજણ પડશે નહિ, પણ જેનામાં નિરાકાર પ્રગટ થઈ ગયેલા હોય, એવા સાકારી ભગવાન પાસે જા.
અહીં મનુષ્યરૂપમાં મુખ્ય સાકાર ભગવાન કોને કહેવાય ? “જ્ઞાની પુરુષ'ને ! કે જેમનામાં, મનુષ્યરૂપમાં જેને ત્યાં નિરંજન-નિરાકાર પ્રગટ થઈ ગયા હોય ! એ સાકાર ભગવાન કહેવાય !!
પ્રશ્નકર્તા : પણ આત્માને કોઈ આકાર સ્વરૂપે કલ્પવો હોય તો કેવું કલ્પવો ?
દાદાશ્રી : એનો આકાર કલ્પવાનો હોય જ નહીં, એના કરતાં સાકારી ભગવાનની જોડે બેસવું. સાકારી ભગવાન એ જ આત્માનું સ્વરૂપ ! જે દેહ સાથે આત્મજ્ઞાની છે, એ સાકારી ભગવાન કહેવાય, એ રીતે કલ્પવું, એમનાં આખા મંદિર સાથે દર્શન કરવાં. બાકી, આત્માને આકાર છે નહિ. એનું નિરાકારી સ્વરૂપ ‘જ્ઞાની પુરુષ' પાસે જાણવું પડે ! અને પછી એનું સ્વરૂપ આપણને ગેડમાં બેસી જાય, ‘ફીટ’ થઈ જાય, એ પછી ભૂલાય નહીં !
એટલે આત્માને આકાર ના હોય, એ નિરાકારી વસ્તુ છે. છતાંય પણ સ્વભાવે આત્મા કેવો છે ? જે દેહમાં છે, એ દેહનો જે આકાર છે એના જેવા આકારનો છે. પણ ત્યાં આગળ સિદ્ધગતિમાં છેલ્લા દેહના આકારનો ૧૩ ભાગ જેટલો આકાર ઘટી જાય છે. એટલે ૨૩ ભાગના આકારે રહે છે. એટલે જે પાંચમા આરાનો દેહ હોય અને ત્રીજા આરાનો જે દેહ હોય, એનામાં બહુ ગજબનો ફેરફાર છે. એ ઊંચાઈ જુદી અને આ ઊંચાઈ જુદી ! પણ જે ચરમદેહે કામ થયું તે દેહ પ્રમાણે જ ત્યાં સિદ્ધગતિમાં આકાર હોય છે. પણ આત્મા છે નિરાકાર !
પ્રશ્નકર્તા : ત્યાં પડછાયા જેવું હોય ? શું હોય ?
દાદાશ્રી : અહીં જ શીખવાની !
તમારું નામ ચંદુલાલ, ને નાના હતા તે દહાડે ય ચંદુલાલ હતું; ને પૈણ્યા પછી ય ચંદુલાલ છે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : ને પાછા “ધણી” કોના થયા ? શાના આધારે ? પહેલાં ધણી’ હતા ?
પ્રશ્નકર્તા : ના, પહેલાં નહોતો.
દાદાશ્રી : પણ એના એ જ ‘તમે છો ને ? ! એ જ મારું કહેવાનું કે આવું, એ નિમિત્ત ભેગું થાય ને, તો આ સંબંધથી ‘તમે’ ‘ધણી” કહેવાયા. આ સાપેક્ષ વાત છે. એવું પેલા સંબંધથી સાકાર ભગવાન છે અને સંબંધ