________________
આપ્તવાણી-૮
૨૯૫
૨૯૬
આપ્તવાણી-૮
લોકોને શી રીતે પહોંચે ?! એક અચ્છેર દારૂ પીધો ને એ શેઠનામાં ફેરફાર થાય છે, તો આ તો રોજનો દારૂ ! સવારના ઉઠ્યો ત્યારથી લોક દારૂ પા પા કરે છે. લોકો ના કહે કે, “આવો ચંદુભાઈ, આવો ચંદુભાઈ. તમે તો અમારા વેવાઈ થાવ, તમે આમના ધણી થાવ, આના મામા થાવ, આના કાકા થાવ ?” ને પછી ‘તમે’ પણ એવું માનો છો. એટલે આ જ દારૂ પીધો છે અને એનો નર્યો કેફ જ ચર્ચા કરે છે. આ દારૂ પીને જ તમે બોલી રહ્યા છો અને પાછો કહો છો, ‘મેં દારૂ શી રીતે પીધો ?” આખું જગત જ આ દારૂ પીને ફરે છે. આ તો પાછા પેલો દારૂ ય પીવે છે ને મહીં, ત્યારે લોક એના દારૂની ખોડ કાઢે. અલ્યા, એનાં દારૂની શું કરવા ખોડ કાઢો છો ?
‘કર્મનો કર્તા કોણ ? વાસ્તવિક જાણ્યા પછી કશું જાણવાનું બાકી રહેતું નથી. પછી ‘પોતે’ જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી ને સનાતન સુખનો સ્વામી થયો, પછી કોઈ માલિકીપણું રહેતું નથી. પાછું આ સંસારમાં જે સુખ દેખાય છે એ બધાં ય આરોપિત સુખ છે. ‘આત્મા’ ભણી તો નર્યું સુખ જ છે, પણ ‘તમે” બહાર બધે આરોપ કર્યો કે આ ચીજોમાં સુખ છે, આમાં સુખ છે. એટલે એમાં ‘તમને’ સુખ આવે, પણ સુખ એમાં નથી હોતું. સુખ પોતાના સ્વભાવમાં છે.
પ્રશ્નકર્તા : તો એ ભ્રાંતિને રોકે કોણ ? દાદાશ્રી : એ ભ્રાંતિને ‘જ્ઞાની પુરુષ' રોકી શકે.
પ્રશ્નકર્તા : હું અત્યારે આપની પાસે જ્ઞાન લઈને જઉં. પછી કાલે ઊઠીને અંદર જે ભ્રાંતિ છે એ પાછું એવું ને એવું જ કરાવે ને કે, “ના, ભાઈ, તારે આ કરવું જ જોઈએ. નહિ તો તારું ચાલે નહિ.”
પ્રશ્નકર્તા : એ જે પરિસ્થિતિમાં મૂકાણો, એમાં એને આત્માએ મૂક્યો કે ભ્રાંતિએ મૂક્યો ? અને આત્મા એને કંટ્રોલ ન કરી શકે ?
દાદાશ્રી : આત્માને આમાં લેવાદેવા જ નથી. આ તો અહંકારનું જ છે બધું ! જે ભોગવે છે તે અહંકાર ભોગવે છે. આ દુઃખો ભોગવે છે તે ય અહંકાર છે અને સુખો ભોગવે છે તે ય અહંકાર છે. અને અહંકાર’ ખલાસ થાય એટલે ‘તમે’ ‘આત્મા” થઈ ગયા, ને મુક્તિને માટે લાયક થઈ ગયા. અહંકારથી તો આ બધો સંસાર ઊભો રહ્યો છે અને અહંકારથી જ રાગ-દ્વેષ છે ને ‘અહંકાર'થી જ ‘તમે’ કર્મના કર્તા છો ! જ્યારે “અહંકાર' નહિ હોય ત્યારે કર્મનું કર્તાપણું ‘તમને’ નહિ હોય. અત્યારે ‘તમે’ કર્મના કર્તા છો. માટે ભોક્તા છો. એ કર્તાપણું ‘તમને” ભ્રાંતિથી ઉત્પન્ન થાય છે.
એટલે આ શેઠે દારૂ પીધો નહોતો ત્યાં સુધી કશું અવળું બોલતા નહોતા. પણ દારૂ પીધો કે પછી અવળું બોલવા માંડ્યા, એમાં ત્યાં આગળ કોઈને ગાળો ભાંડી દે, તો એ કર્મ દારૂના ધેનમાં કર્યું કહેવાય, ભ્રાંતિમાં કર્યું કહેવાય. પણ પછી ભોગવવું તો પડેને ? પેલો કંઈ છોડે નહીં ને ?!. કે તમે તો મને દારૂ પીને ગાળો ભાંડતા હતા, એવું વઢે ને ?! એટલે એવી રીતે આ કર્મો ભોગવવાં પડે છે. અને કર્મનો કર્તા ‘પોતેથાય છે, તો “પોતે કર્મને આધાર આપે છે. ‘હું કરું છું !' ઓહોહોહો, સંડાસ જવાની શક્તિ નથી ને શું કહે છે કે ‘હું કરું છું આ બધું !' તેથી આ બધાં કર્મ બંધાય છે અને પછી ચારે ય ગતિઓમાં ભટક ભટક કયાં કરે છે. જ્યારે ‘જ્ઞાની’ પાસેથી વાત સમજી લે, તો ભટકવાનું બંધ થઈ જાય !
અશુદ્ધતાની ઉત્પતિ કોતામાં ! પ્રશ્નકર્તા : ગમે તેટલી સાવધાની રાખવા છતાં આત્મામાંથી અશુદ્ધ પર્યાય કેમ ઊઠતાં હશે ?
દાદાશ્રી : પણ આમાં ‘તમને’ શું ફાયદો ? પ્રશ્નકર્તા : આપણને બંધ પડે ને ? દાદાશ્રી : તે ‘તમારામાંથી અશુદ્ધ પર્યાય ઊઠે તો ‘તમને’ જ બંધ
દાદાશ્રી : ના, એવું નથી. પછી તો પ્રકાશ થાય ને ! એવું છે ને, પેલાં શેઠ સાંજે આટલુંક પીને બેઠા એટલે પછી શું કહે ? કે ‘હું તો આ ફલાણો રાજો છું” એ શાથી બોલે છે ? એ શેઠ ગાંડો થયો છે ? ના. પેલા દારૂના અમલથી એને ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે !